આ દિવસોમાં માતા દર્ગાની આરાધનાનું મહાપર્વ મહાનવરાત્રિ ચાલી રહ્યું છે. આ દરમિયાન માતા દુર્ગાની ભક્તિથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. જૂના પાપોથી મુક્તિ મળી જાય છે અને દેવી કૃપા પ્રાપ્ત થાય છે.
માતા દુર્ગાની પ્રસન્નતા માટે ભક્તો દ્વારા અનેક પ્રકારે પૂજા-અર્ચના કરવામાં આવે છે. જો તમે પણ માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માગતા હોવ તો આ નાનકડો ઉપાય અપનાવો...
બ્રહ્મ મૂહુર્તામાં ઊઠી સવા નિત્ય કર્મોથી નિવૃત્ત થઈ જાઓ. ત્યારબાદ કોઈપણ સિદ્ધ માતાના મંદિરમાં જાઓ અને પોતાની સાથે 21 કેળા લઈ જાઓ. મંદિરમાં પહોંચી માતાને કેળા અર્પિત કરો. તેની સાથે જ માતા દુર્ગાના મંત્રોનો જાપ કરો કે આરતી કરો. પોતાના કાર્યો પૂર્ણ કરવાની પ્રાર્થના કરો. ત્યારબાદ કેળા મંદિરમાં જ અન્ય ભક્તોમાં વહેંચી દો.
આ પ્રકારે આ ઉપાય નવરાત્રિથી શરૂ કરી અઠવાડિયામાં એક દિવસ ચોક્કસ કરો. થોડા જ દિવસોમાં જ સકારાત્મક પરિણીમ પ્રાપ્ત થવા લાગશે. દેવી-દેવતા પોતાના ભક્તોની બધી જ મનોકામના પૂરી કરે છે પરંતુ ભક્તોએ પણ એવી જ શ્રદ્ધા અને આસ્થા રાખવી પડે છે. અવિશ્વાસથી કે મનમાં શંકા રાખી ઉપાય કરવાથી તે સિદ્ધ થતા નથી...
Monday, 3 October 2011
આવો સ્વભાવ અને વ્યવહાર હશે તો તમારું વ્રત સિદ્ધ નહીં થાય
તિથિ કે ઉત્સવ ઉપર વ્રતથી કામનાસિદ્ધિ માટે માત્ર ધાર્મિક કર્મ જ નહીં, પણ આ વાતો પણ છે
ધાર્મિક કર્મ હોય કે વ્યાવહારિક જીવન ઈચ્છાઓને પૂરી કરવા કે કાર્યસિદ્ધિ કરવા માટે સંકલ્પનું મહત્વ છે. સંકલ્પને પૂરો કરવો યોગ્ય, કુશળ અને સમર્પિત માણસ માટે શક્ય છે.
ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો તેની માટે વ્રતનું વિધાન બતાવાયું છે. વ્રત પણ સંકલ્પનો પર્યાય માનવામાં આવે છે. જેની પાછળ ઈચ્છા પૂરી કરવી કે સંકટમુ્ક્તિની ભાવના હોય છે. પરંતુ મોટાભાગે વ્રત કે ઉપવાસ માત્ર ધાર્મિક કર્મની દ્રષ્ટિએ જ રાખવામાં આવે છે, પરંતુ તેની સાથે જોડાયેલ સંયમ કે વ્યવહારના પક્ષને નજર અંદાજ કરવામાં આવે છે.
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં વ્રત દ્વારા મનોરથસિદ્ધિ માટે એવા જ કેટલાક વિશેષ નિયમ બતાવવામાં આવ્યા છે, જે સ્પષ્ટ કરે છે કે, વ્રત-ઉપવાસ દ્વારા ઈચ્છાપૂર્તિ ધાર્મિક કર્મની સાથે મન, વચન અને કર્મની શુદ્ધિ દ્વાર જ શક્ય છે. કુતર્કો કે દોષ દર્શનથી અલગ રહી વિચાર કરો તો આ વાતો આજે પણ ચરિત્ર અને વિચારોના દોષ દૂર કરવામાં સાર્થક થશે. જાણો નિયમ-
-વ્રત ધર્મગ્રંથ અને વેદોના અભ્યાસને માનનાર અને સન્માન કરનાર હોય.
-બુદ્ધિમાન અને સંકલ્પવાન વ્યક્તિ, જે પૂ્ર્ણ રીતે વિધિ-વિધાનથી ધર્મ-કર્મમાં વિશ્વાસ ધરાવતો હોય.
-વ્રતના ઈચ્છુકો મન, વચન અને કર્મથી સત્યનું પાલન કરનાર હોય.
-વ્રતના આકાક્ષી પરોપકાર અને હિતની સંભાવના રાખનાર હોય.
-વ્રત કરનાર વ્યક્તિ જુઠો, કપટી કે છળ કરનાર ન હોય.
-વ્યક્તિ લોભી કે લાલચી ન હોય.
-શાસ્ત્રોમાં બતાવેલ વર્ણાશ્રમ જેમ કે બ્રહ્મચર્ય, ગૃહસ્થસ વાનપ્રસ્થ, સન્યાસ આશ્રામ માટે નક્કી ઉંમર, ધર્મ અને સંસ્કારો પ્રમાણે પવિત્ર આચરણનું પાલન કરનાર હોય. આ બાબતે આધુનિક યુગ પ્રમાણે ઉંમર અને અવસ્થામાં બદલાવની દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે છે.
શાસ્ત્રો પ્રમાણે એવા ગુણ અને પવિત્ર વિચાર રાખવાથી જ કોઈ જાતિ, પંથ કે વર્ણના સ્ત્રી કે પુરુષ દ્વારા વ્રતમાં કરવામાં આવતા ધાર્મિક કર્મ અને કામના સિદ્ધિ થાય છે.
ધાર્મિક કર્મ હોય કે વ્યાવહારિક જીવન ઈચ્છાઓને પૂરી કરવા કે કાર્યસિદ્ધિ કરવા માટે સંકલ્પનું મહત્વ છે. સંકલ્પને પૂરો કરવો યોગ્ય, કુશળ અને સમર્પિત માણસ માટે શક્ય છે.
ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો તેની માટે વ્રતનું વિધાન બતાવાયું છે. વ્રત પણ સંકલ્પનો પર્યાય માનવામાં આવે છે. જેની પાછળ ઈચ્છા પૂરી કરવી કે સંકટમુ્ક્તિની ભાવના હોય છે. પરંતુ મોટાભાગે વ્રત કે ઉપવાસ માત્ર ધાર્મિક કર્મની દ્રષ્ટિએ જ રાખવામાં આવે છે, પરંતુ તેની સાથે જોડાયેલ સંયમ કે વ્યવહારના પક્ષને નજર અંદાજ કરવામાં આવે છે.
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં વ્રત દ્વારા મનોરથસિદ્ધિ માટે એવા જ કેટલાક વિશેષ નિયમ બતાવવામાં આવ્યા છે, જે સ્પષ્ટ કરે છે કે, વ્રત-ઉપવાસ દ્વારા ઈચ્છાપૂર્તિ ધાર્મિક કર્મની સાથે મન, વચન અને કર્મની શુદ્ધિ દ્વાર જ શક્ય છે. કુતર્કો કે દોષ દર્શનથી અલગ રહી વિચાર કરો તો આ વાતો આજે પણ ચરિત્ર અને વિચારોના દોષ દૂર કરવામાં સાર્થક થશે. જાણો નિયમ-
-વ્રત ધર્મગ્રંથ અને વેદોના અભ્યાસને માનનાર અને સન્માન કરનાર હોય.
-બુદ્ધિમાન અને સંકલ્પવાન વ્યક્તિ, જે પૂ્ર્ણ રીતે વિધિ-વિધાનથી ધર્મ-કર્મમાં વિશ્વાસ ધરાવતો હોય.
-વ્રતના ઈચ્છુકો મન, વચન અને કર્મથી સત્યનું પાલન કરનાર હોય.
-વ્રતના આકાક્ષી પરોપકાર અને હિતની સંભાવના રાખનાર હોય.
-વ્રત કરનાર વ્યક્તિ જુઠો, કપટી કે છળ કરનાર ન હોય.
-વ્યક્તિ લોભી કે લાલચી ન હોય.
-શાસ્ત્રોમાં બતાવેલ વર્ણાશ્રમ જેમ કે બ્રહ્મચર્ય, ગૃહસ્થસ વાનપ્રસ્થ, સન્યાસ આશ્રામ માટે નક્કી ઉંમર, ધર્મ અને સંસ્કારો પ્રમાણે પવિત્ર આચરણનું પાલન કરનાર હોય. આ બાબતે આધુનિક યુગ પ્રમાણે ઉંમર અને અવસ્થામાં બદલાવની દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે છે.
શાસ્ત્રો પ્રમાણે એવા ગુણ અને પવિત્ર વિચાર રાખવાથી જ કોઈ જાતિ, પંથ કે વર્ણના સ્ત્રી કે પુરુષ દ્વારા વ્રતમાં કરવામાં આવતા ધાર્મિક કર્મ અને કામના સિદ્ધિ થાય છે.
હંમેશા નીરોગી જીવન જીવવા માંગો છો... રોજ બોલો આ સરળ દેવી મંત્ર
કોઇપણ રૂપમાં નબળાઇ એ આપણી ગંભીર મુશ્કેલીઓનું મુખ્ય કારણ બને છે. આ માટે નબળાઇ પ્રત્યે હંમેશા સચેત રહી દુખ અને ચિંતાઓથી બચી શકાય છે. ખાસ કરીને શરીરમાં રહેલી નબળાઇ એ સફળ અને સુખી જીવનની ઇચ્છાઓમાં વિઘ્નો લાવી શકે છે.
એટલે જ તો આપણે ત્યાં કહેવત છે કે – નીરોગી જીવન તે જ પહેલુ સુખ. હિંદુ ધર્મમાં પૂજાનું પર્વ નવરાત્રિ એ બે ઋતુઓનું સંગમ કાળ હોય છે જેનાથી વાતાવરણમાં રહેલો બદલાવથી અનેક જાતનાં રોગાણુઓ સ્વાસ્થય પર ખરાબ અસર લાવે છે.
વ્યવહારિક રૂપથી તો બીમારીને મટાડવા કે અટકાવવા દવા એ આવશ્યક અને અસરકારક છે. પરંતુ ધર્મમાં આસ્થાવાન લોકો આવી સંકટોને હરવા માટે ભગવાનનું સ્મરણ કરે છે.
આ જ સંદર્ભે શાસ્ત્રોમાં આપવામાં આવેલ એક સરળ દેવી મંત્રનું સ્મરણ રોગી કે તેના પરિજનો દ્વારા કરવુ એ મોસમી બીમારીઓ જ નહી પરંતુ મહામારી અને સંક્રામક રોગોથી પણ છુટકારો મેળવવામાં અચુક માનવામાં આવે છે. ધર્મભાવથી આ મંત્ર દવા અને દુવાનુ પણ અસરકારક કામ કરે છે.
- રોગી અથવા તેના પરિજન દેવીની પંચોપચાર પૂજા, ગંધ, અક્ષત, ફૂલ, નૈવેધ, ધૂપ, દીવાથી પૂજા અને આરતી કરો તે સાથે આ સરળ મંત્રનું ધ્યાન પણ કરો.
ऊँ जयंती मंगला काली भद्रकाली कृपालिनी।
दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते।।
એટલે જ તો આપણે ત્યાં કહેવત છે કે – નીરોગી જીવન તે જ પહેલુ સુખ. હિંદુ ધર્મમાં પૂજાનું પર્વ નવરાત્રિ એ બે ઋતુઓનું સંગમ કાળ હોય છે જેનાથી વાતાવરણમાં રહેલો બદલાવથી અનેક જાતનાં રોગાણુઓ સ્વાસ્થય પર ખરાબ અસર લાવે છે.
વ્યવહારિક રૂપથી તો બીમારીને મટાડવા કે અટકાવવા દવા એ આવશ્યક અને અસરકારક છે. પરંતુ ધર્મમાં આસ્થાવાન લોકો આવી સંકટોને હરવા માટે ભગવાનનું સ્મરણ કરે છે.
આ જ સંદર્ભે શાસ્ત્રોમાં આપવામાં આવેલ એક સરળ દેવી મંત્રનું સ્મરણ રોગી કે તેના પરિજનો દ્વારા કરવુ એ મોસમી બીમારીઓ જ નહી પરંતુ મહામારી અને સંક્રામક રોગોથી પણ છુટકારો મેળવવામાં અચુક માનવામાં આવે છે. ધર્મભાવથી આ મંત્ર દવા અને દુવાનુ પણ અસરકારક કામ કરે છે.
- રોગી અથવા તેના પરિજન દેવીની પંચોપચાર પૂજા, ગંધ, અક્ષત, ફૂલ, નૈવેધ, ધૂપ, દીવાથી પૂજા અને આરતી કરો તે સાથે આ સરળ મંત્રનું ધ્યાન પણ કરો.
ऊँ जयंती मंगला काली भद्रकाली कृपालिनी।
दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते।।
નવરાત્રિ : આ યંત્રો તમને મનોવાંછિત ફળ આપશે
હિન્દુ ધર્મમાં વિભિન્ન યંત્રોનું પૂજન કરવા અંગે જણાવાયું છે. આ યંત્રોના વિધિ-વિધાનથી પૂજન કરવાથી મનવાંછિત સફળતા મળે છે. એવા જ કેટલાક યંત્રોની જાણકારી અહિંયા આપવામાં આવ્યા છે. નવરાત્રિ દરમિયાન આવા યંત્રો લાવી તેને સિદ્ધ કરવાનું વિશેષ મહાત્મય છે
શ્રી ગણેશ યંત્ર- શ્રી ગણેશ યંત્રની નિત્ય વિધિ-વિધાનથી પૂજન કરવાથી વિશેષ ઉપલબ્ધિઓ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ધનની પ્રાપ્તિ, અષ્ટ સિદ્ધિ તથા નવ નિધિની પ્રાપ્તિ માટે આ અચૂક મંત્ર છે.
શ્રીમંગલ યંત્ર- આ યંત્રની પૂજા કરવાથી ઉચ્ચ રક્તચાપ તથા મંગળગ્રહથી થતા રોગોનું નિરાકરણ થાય છે. આ યંત્રના નિયમિત પૂજનથી તુરત જ તમામ પ્રકારના ઋણોમાંથી મક્તિ મળી જાય છે.
બીસા યંત્ર- બીસા યંત્ર જેની પાસે હોય છે. ભગવાન તેની દરેક પ્રકારને સહાયતા કરે છે. સવારે ઉઠીને આ યંત્રના દર્શન કરવાથી તમામ પ્રકારની બાધાઓ દૂર થઇ જાય છે.
શ્રીકનકધારા યંત્ર- ધન પ્રાપ્તિ અને દરિદ્રતા દૂર કરવા માટે આ અચૂક યંત્ર છે. આ યંત્ર અષ્ટસિદ્ધિઓ અને નવ નિધિઓ પ્રદાન કરવા સક્ષમ છે.
સૂર્ય યંત્ર- સૂર્ય યંત્રના નિયમિત પૂજનથી તમામ પ્રકારના રોગો નાશ થાય છે. તથા શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ બની રહે છે.
પંચાદશી યંત્ર- આ યંત્ર ભગવાન શંકરની કૃપા અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.
શ્રી ગણેશ યંત્ર- શ્રી ગણેશ યંત્રની નિત્ય વિધિ-વિધાનથી પૂજન કરવાથી વિશેષ ઉપલબ્ધિઓ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ધનની પ્રાપ્તિ, અષ્ટ સિદ્ધિ તથા નવ નિધિની પ્રાપ્તિ માટે આ અચૂક મંત્ર છે.
શ્રીમંગલ યંત્ર- આ યંત્રની પૂજા કરવાથી ઉચ્ચ રક્તચાપ તથા મંગળગ્રહથી થતા રોગોનું નિરાકરણ થાય છે. આ યંત્રના નિયમિત પૂજનથી તુરત જ તમામ પ્રકારના ઋણોમાંથી મક્તિ મળી જાય છે.
બીસા યંત્ર- બીસા યંત્ર જેની પાસે હોય છે. ભગવાન તેની દરેક પ્રકારને સહાયતા કરે છે. સવારે ઉઠીને આ યંત્રના દર્શન કરવાથી તમામ પ્રકારની બાધાઓ દૂર થઇ જાય છે.
શ્રીકનકધારા યંત્ર- ધન પ્રાપ્તિ અને દરિદ્રતા દૂર કરવા માટે આ અચૂક યંત્ર છે. આ યંત્ર અષ્ટસિદ્ધિઓ અને નવ નિધિઓ પ્રદાન કરવા સક્ષમ છે.
સૂર્ય યંત્ર- સૂર્ય યંત્રના નિયમિત પૂજનથી તમામ પ્રકારના રોગો નાશ થાય છે. તથા શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ બની રહે છે.
પંચાદશી યંત્ર- આ યંત્ર ભગવાન શંકરની કૃપા અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.
પૈર જમીન પે મત રખો...એ તો તારા વિશે ઘણુ કહે છે !
જેમ હાથની રેખાઓ અને બનાવટ કોઈ વ્યક્તિના ભૂત, ભવિષ્ય અને વર્તમાનને દર્શાવે છે. એ જ રીતે પગની એટીઓ અને તેની બનાવટ કોઈ પણ વ્યક્તિના ભવિષ્યની વાતોને દર્શાવી શકે છે. આમ તો પગની રેખાઓ અને તેની બનાવટ તથા તેના આધારે ભવિષ્ય જાણવાનો ઉલ્લેખ ભાગવત પુરાણમાં પણ જોવા મળ્યો છે. તેમાં સૌથી વધારે વિવરણ વરાહમિહિરના કાળમાં કરવામાં આવ્યું છે. તો જાણીએ કેવી રીતે જાણી શકાય એડીની બનાવટ પરથી કે તમારી આવતીકાલ અને સોનેરી ભવિષ્ય કેવું હશે?
- જો પંજાના આગળના ભાગની તુલનામાં એડી મોટી હોય તો તે વ્યક્તિની ઉંમર ખૂબ લાંબી હોય છે પરંતુ મોટી એડી ધરાવનારી મહિલાનો સ્વભાવ કંજૂસ હોય છે.
- જે વ્યક્તિની એડી સામાન્ય રીતે નાની હોય તે વ્યક્તિ પોતાનું જીવન ગરીબીમાં જ પસાર કરે છે. જે વ્યક્તિની એડી થોડી ઉપસેલી હોય તે વ્યક્તિ હંમેશા પોતાના દુશ્મનો પર જીત મેળવનારી હોય છે.
- જે વ્યક્તિની એડી ભારે હોય તે વ્યક્તિ પોતાના મિત્રોનો પ્રેમ મેળવનારો અને સૌનો માનીતો હોય છે.
- જે વ્યક્તિની એડી અને પંજા બરાબર હોય તે વ્યક્તિ ખૂબ સુખી જીવન વ્યતિત કરે છે.
- જે વ્યક્તિની એડી કઠોર અને કઠણ હોય છે તે વ્યક્તિ સંતાન સુખથી વંચિત રહી શકે છે.
- જે વ્યક્તિની એડી ગોળ અને નરમ તથા સુંદર હોય તે વ્યક્તિનું જીવન દરેક રીતે સુખી અને તેઓ ઐશ્વર્યથી ભરપૂર હોય છે.
- જો પંજાના આગળના ભાગની તુલનામાં એડી મોટી હોય તો તે વ્યક્તિની ઉંમર ખૂબ લાંબી હોય છે પરંતુ મોટી એડી ધરાવનારી મહિલાનો સ્વભાવ કંજૂસ હોય છે.
- જે વ્યક્તિની એડી સામાન્ય રીતે નાની હોય તે વ્યક્તિ પોતાનું જીવન ગરીબીમાં જ પસાર કરે છે. જે વ્યક્તિની એડી થોડી ઉપસેલી હોય તે વ્યક્તિ હંમેશા પોતાના દુશ્મનો પર જીત મેળવનારી હોય છે.
- જે વ્યક્તિની એડી ભારે હોય તે વ્યક્તિ પોતાના મિત્રોનો પ્રેમ મેળવનારો અને સૌનો માનીતો હોય છે.
- જે વ્યક્તિની એડી અને પંજા બરાબર હોય તે વ્યક્તિ ખૂબ સુખી જીવન વ્યતિત કરે છે.
- જે વ્યક્તિની એડી કઠોર અને કઠણ હોય છે તે વ્યક્તિ સંતાન સુખથી વંચિત રહી શકે છે.
- જે વ્યક્તિની એડી ગોળ અને નરમ તથા સુંદર હોય તે વ્યક્તિનું જીવન દરેક રીતે સુખી અને તેઓ ઐશ્વર્યથી ભરપૂર હોય છે.
Subscribe to:
Comments (Atom)