હિન્દુ ધર્મમાં વિભિન્ન યંત્રોનું પૂજન કરવા અંગે જણાવાયું છે. આ યંત્રોના વિધિ-વિધાનથી પૂજન કરવાથી મનવાંછિત સફળતા મળે છે. એવા જ કેટલાક યંત્રોની જાણકારી અહિંયા આપવામાં આવ્યા છે. નવરાત્રિ દરમિયાન આવા યંત્રો લાવી તેને સિદ્ધ કરવાનું વિશેષ મહાત્મય છે
શ્રી ગણેશ યંત્ર- શ્રી ગણેશ યંત્રની નિત્ય વિધિ-વિધાનથી પૂજન કરવાથી વિશેષ ઉપલબ્ધિઓ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ધનની પ્રાપ્તિ, અષ્ટ સિદ્ધિ તથા નવ નિધિની પ્રાપ્તિ માટે આ અચૂક મંત્ર છે.
શ્રીમંગલ યંત્ર- આ યંત્રની પૂજા કરવાથી ઉચ્ચ રક્તચાપ તથા મંગળગ્રહથી થતા રોગોનું નિરાકરણ થાય છે. આ યંત્રના નિયમિત પૂજનથી તુરત જ તમામ પ્રકારના ઋણોમાંથી મક્તિ મળી જાય છે.
બીસા યંત્ર- બીસા યંત્ર જેની પાસે હોય છે. ભગવાન તેની દરેક પ્રકારને સહાયતા કરે છે. સવારે ઉઠીને આ યંત્રના દર્શન કરવાથી તમામ પ્રકારની બાધાઓ દૂર થઇ જાય છે.
શ્રીકનકધારા યંત્ર- ધન પ્રાપ્તિ અને દરિદ્રતા દૂર કરવા માટે આ અચૂક યંત્ર છે. આ યંત્ર અષ્ટસિદ્ધિઓ અને નવ નિધિઓ પ્રદાન કરવા સક્ષમ છે.
સૂર્ય યંત્ર- સૂર્ય યંત્રના નિયમિત પૂજનથી તમામ પ્રકારના રોગો નાશ થાય છે. તથા શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ બની રહે છે.
પંચાદશી યંત્ર- આ યંત્ર ભગવાન શંકરની કૃપા અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.
No comments:
Post a Comment