Monday, 3 October 2011

21 કેળાનો ચમત્કાર, બધા કાર્યોમાં મળશે સફળતા

આ દિવસોમાં માતા દર્ગાની આરાધનાનું મહાપર્વ મહાનવરાત્રિ ચાલી રહ્યું છે. આ દરમિયાન માતા દુર્ગાની ભક્તિથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. જૂના પાપોથી મુક્તિ મળી જાય છે અને દેવી કૃપા પ્રાપ્ત થાય છે.

માતા દુર્ગાની પ્રસન્નતા માટે ભક્તો દ્વારા અનેક પ્રકારે પૂજા-અર્ચના કરવામાં આવે છે. જો તમે પણ માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માગતા હોવ તો આ નાનકડો ઉપાય અપનાવો...

બ્રહ્મ મૂહુર્તામાં ઊઠી સવા નિત્ય કર્મોથી નિવૃત્ત થઈ જાઓ. ત્યારબાદ કોઈપણ સિદ્ધ માતાના મંદિરમાં જાઓ અને પોતાની સાથે 21 કેળા લઈ જાઓ. મંદિરમાં પહોંચી માતાને કેળા અર્પિત કરો. તેની સાથે જ માતા દુર્ગાના મંત્રોનો જાપ કરો કે આરતી કરો. પોતાના કાર્યો પૂર્ણ કરવાની પ્રાર્થના કરો. ત્યારબાદ કેળા મંદિરમાં જ અન્ય ભક્તોમાં વહેંચી દો.

આ પ્રકારે આ ઉપાય નવરાત્રિથી શરૂ કરી અઠવાડિયામાં એક દિવસ ચોક્કસ કરો. થોડા જ દિવસોમાં જ સકારાત્મક પરિણીમ પ્રાપ્ત થવા લાગશે. દેવી-દેવતા પોતાના ભક્તોની બધી જ મનોકામના પૂરી કરે છે પરંતુ ભક્તોએ પણ એવી જ શ્રદ્ધા અને આસ્થા રાખવી પડે છે. અવિશ્વાસથી કે મનમાં શંકા રાખી ઉપાય કરવાથી તે સિદ્ધ થતા નથી...

No comments:

Post a Comment