કોઇપણ રૂપમાં નબળાઇ એ આપણી ગંભીર મુશ્કેલીઓનું મુખ્ય કારણ બને છે. આ માટે નબળાઇ પ્રત્યે હંમેશા સચેત રહી દુખ અને ચિંતાઓથી બચી શકાય છે. ખાસ કરીને શરીરમાં રહેલી નબળાઇ એ સફળ અને સુખી જીવનની ઇચ્છાઓમાં વિઘ્નો લાવી શકે છે.
એટલે જ તો આપણે ત્યાં કહેવત છે કે – નીરોગી જીવન તે જ પહેલુ સુખ. હિંદુ ધર્મમાં પૂજાનું પર્વ નવરાત્રિ એ બે ઋતુઓનું સંગમ કાળ હોય છે જેનાથી વાતાવરણમાં રહેલો બદલાવથી અનેક જાતનાં રોગાણુઓ સ્વાસ્થય પર ખરાબ અસર લાવે છે.
વ્યવહારિક રૂપથી તો બીમારીને મટાડવા કે અટકાવવા દવા એ આવશ્યક અને અસરકારક છે. પરંતુ ધર્મમાં આસ્થાવાન લોકો આવી સંકટોને હરવા માટે ભગવાનનું સ્મરણ કરે છે.
આ જ સંદર્ભે શાસ્ત્રોમાં આપવામાં આવેલ એક સરળ દેવી મંત્રનું સ્મરણ રોગી કે તેના પરિજનો દ્વારા કરવુ એ મોસમી બીમારીઓ જ નહી પરંતુ મહામારી અને સંક્રામક રોગોથી પણ છુટકારો મેળવવામાં અચુક માનવામાં આવે છે. ધર્મભાવથી આ મંત્ર દવા અને દુવાનુ પણ અસરકારક કામ કરે છે.
- રોગી અથવા તેના પરિજન દેવીની પંચોપચાર પૂજા, ગંધ, અક્ષત, ફૂલ, નૈવેધ, ધૂપ, દીવાથી પૂજા અને આરતી કરો તે સાથે આ સરળ મંત્રનું ધ્યાન પણ કરો.
ऊँ जयंती मंगला काली भद्रकाली कृपालिनी।
दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते।।
No comments:
Post a Comment