તિથિ કે ઉત્સવ ઉપર વ્રતથી કામનાસિદ્ધિ માટે માત્ર ધાર્મિક કર્મ જ નહીં, પણ આ વાતો પણ છે
ધાર્મિક કર્મ હોય કે વ્યાવહારિક જીવન ઈચ્છાઓને પૂરી કરવા કે કાર્યસિદ્ધિ કરવા માટે સંકલ્પનું મહત્વ છે. સંકલ્પને પૂરો કરવો યોગ્ય, કુશળ અને સમર્પિત માણસ માટે શક્ય છે.
ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો તેની માટે વ્રતનું વિધાન બતાવાયું છે. વ્રત પણ સંકલ્પનો પર્યાય માનવામાં આવે છે. જેની પાછળ ઈચ્છા પૂરી કરવી કે સંકટમુ્ક્તિની ભાવના હોય છે. પરંતુ મોટાભાગે વ્રત કે ઉપવાસ માત્ર ધાર્મિક કર્મની દ્રષ્ટિએ જ રાખવામાં આવે છે, પરંતુ તેની સાથે જોડાયેલ સંયમ કે વ્યવહારના પક્ષને નજર અંદાજ કરવામાં આવે છે.
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં વ્રત દ્વારા મનોરથસિદ્ધિ માટે એવા જ કેટલાક વિશેષ નિયમ બતાવવામાં આવ્યા છે, જે સ્પષ્ટ કરે છે કે, વ્રત-ઉપવાસ દ્વારા ઈચ્છાપૂર્તિ ધાર્મિક કર્મની સાથે મન, વચન અને કર્મની શુદ્ધિ દ્વાર જ શક્ય છે. કુતર્કો કે દોષ દર્શનથી અલગ રહી વિચાર કરો તો આ વાતો આજે પણ ચરિત્ર અને વિચારોના દોષ દૂર કરવામાં સાર્થક થશે. જાણો નિયમ-
-વ્રત ધર્મગ્રંથ અને વેદોના અભ્યાસને માનનાર અને સન્માન કરનાર હોય.
-બુદ્ધિમાન અને સંકલ્પવાન વ્યક્તિ, જે પૂ્ર્ણ રીતે વિધિ-વિધાનથી ધર્મ-કર્મમાં વિશ્વાસ ધરાવતો હોય.
-વ્રતના ઈચ્છુકો મન, વચન અને કર્મથી સત્યનું પાલન કરનાર હોય.
-વ્રતના આકાક્ષી પરોપકાર અને હિતની સંભાવના રાખનાર હોય.
-વ્રત કરનાર વ્યક્તિ જુઠો, કપટી કે છળ કરનાર ન હોય.
-વ્યક્તિ લોભી કે લાલચી ન હોય.
-શાસ્ત્રોમાં બતાવેલ વર્ણાશ્રમ જેમ કે બ્રહ્મચર્ય, ગૃહસ્થસ વાનપ્રસ્થ, સન્યાસ આશ્રામ માટે નક્કી ઉંમર, ધર્મ અને સંસ્કારો પ્રમાણે પવિત્ર આચરણનું પાલન કરનાર હોય. આ બાબતે આધુનિક યુગ પ્રમાણે ઉંમર અને અવસ્થામાં બદલાવની દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે છે.
શાસ્ત્રો પ્રમાણે એવા ગુણ અને પવિત્ર વિચાર રાખવાથી જ કોઈ જાતિ, પંથ કે વર્ણના સ્ત્રી કે પુરુષ દ્વારા વ્રતમાં કરવામાં આવતા ધાર્મિક કર્મ અને કામના સિદ્ધિ થાય છે.
No comments:
Post a Comment