Saturday, 12 November 2011

અનોખો ઉપાય:માન્યમાં નહીં આવે,સરળ છે નસીબને બદલવું


જો તમે સરળ રીત દ્વારા તમારા નસીબને બદલવા માંગતા હો તો આ આર્ટિકલ ચોકકસ વાંચજો. કારણ કે તમને માન્યમાં નહીં આવે કે આટલી સરળતાથી પણ નસીબના સિતારાઓને બદલી શકાય છે, જાણો કેવી રીતે

જો તમે તમારા સિતારાઓને બદલવા માંગતા હો તો તમારા બેડ પર આરામ કરતા- કરતા પણ તમે બદલી શકો છો. હા, ચોક્કસ તમને આ વાત અજીબ તો લાગશે પણ આ વાત સાચી છે કારણ કે જ્યોતિષ અનુસાર અમુક એવા ઉપાય હોય છે જે બેડ પર સુઇને પણ કરી શકો છો જેનાથી તમારું નસીબ પણ બદલાઇ શકાય છે. જાણો કેવી રીતે?

- જો તમારી કુંડળીમાં સૂર્ય અશુભ હો અને તેનો કુપ્રભાવ તમને પરેશાન કરી રહ્યો હોય તો પલંગની નીચે તાંબાના પાત્રમાં પાણી અથવા તો ઓશીકાની નીચે લાલ ચંદન રાખો.

- જો ચંદ્રથી પરેશાન હો તો પલંગની નીચે ચાંદીના વાસણમાં જળ રાખો અને ચાંદીના આભૂષણ ધારણ કરો.

- જો કુંડળીમાં મંગળ અશુભ હો ચો પલંગની નીચે કાંસાના વાસણમાં પાણી રાખો અથવા સોના- ચાંદી મિશ્રિત આભુષણ તકિયાની નીચે રાખો.

- જો તમે બુધથી પરેશાન હો તો તકિયાની નીચે સોનાના આભુષણ રાખો.

- ગુરૂથી પરેશાન હો તો પલંગની નીચે પીળા વાસણમાં પાણી રાખો અથવા હળદરની ગાંઠને પીળા કપડામાં બાંધીને તકિયાની નીચે રાખો.

- શુક્રથી સંતપ્ત હો તો ચાંદીની માછલી બનાવીને તકિયાની નીચે રાખો અથવા પલંગની નીચે ચાંદીના પાત્રમાં જળ રાખો.

- શનિથી સંતપ્ત હો તો લોખંડના પાત્રમાં પલંગની નીચે પાણી રાખો કે તકિયાની નીચે લોખંડ કે નીલમ રાખો.

No comments:

Post a Comment