Saturday, 12 November 2011

કુંડળીમાં શનિની સ્થિતિથી જાણો કેવો છે તમારો સ્વભાવ?



શનિ એક એવો ગ્રહ છે, જેની પ્રત્યે બધાના મનમાં ડર કાયમરહેતો હોય છે. તમારી કુંડળીમાં શનિ કયા ભાવમાં છે, તેનાથી તમારા આખાજીવનની દિશા, સુખ, દુઃખ વગેરે બધી જ બાબતો નક્કી થાય છે.

શનિ કયા ભાવમાં હોય તો તેને કેવું ફળ મળે છે. જાણો—

-લગ્નમાં શનિ હોય તો

જે વ્યક્તિની કુંડળીમાં શનિ પ્રથમ ભાવમાં હોય તે વ્યક્તિ રાજાની જેમ જીવન જીવનાર માનવામાં આવે છે. જો શનિ અશુભ ફળ આપનાર હોયતો વ્યક્તિ રોગી, ગરીબ અને ખરાબ કર્મો કરનાર હોય છે.

-દ્વિતીયભાવમાં શનિ હોય તો

દ્વિતીય ભાવમાં શનિ હોય તો વ્યક્તિ વિકૃતચહેરાવાળો, લાલચી, વિદેશમાંથી ધન પ્રાપ્ત કરનાર હોય છે.

-તૃતીયભાવમાં શનિ હોય તો

તૃતીય ભાવમાં શનિ હોય તો વ્યક્તિ સંસ્કારી, સુંદર શરીરવાળો, નીચ, આળસી અને ચતુર હોય છે. તેમને ઉપાય કરવો..

-ચોથા ભાવમાં શનિ હોયતો

જે વ્યક્તિની કુંડળીમાં શનિ ચોથા ભાવમાં હોય તે રોગી, દુઃખી, વાહનહીન, ધનહીન અને બુદ્ધિહીન હોય છે.

-પાંચમા ભાવમાં શનિ હોય તો

જન્મકુંડળીમાં પાંચમા ભાવમાં શનિ હોય તો તે વ્યક્તિ દુઃખી, પુત્રહીન, મિત્રહીનઅને ઓછી બુદ્ધિવાળો હોય છે.

-છઠ્ઠા ભાવમાં શનિ હોય તો

જેવ્યક્તિની કુંડળીમાં શનિ છઠ્ઠા ભાવમાં હોય તો તે વ્યક્તિ કામી, સુંદર, શરવીર, વધુ ખાનાર, કુટિલ સ્વાભાવનો, અનેક શત્રુઓને જીતનાર હોય છે.


શનિ એક એવો ગ્રહ છે, જેની પ્રત્યે બધાના મનમાં ડર કાયમ રહેતો હોય છે. તમારી કુંડળીમાં શનિ કયા ભાવમાં છે, તેનાથી તમારા આખા જીવનની દિશા, સુખ, દુઃખ વગેરે બધી જ બાબતો નક્કી થાય છે.

-સાતમા ભાવમાં શનિ હોય તો

સાતમા ભાવમાં શનિ હોય તો વ્યક્તિ રોગી, ગરીબ, કામી, ખરાબ વેશભૂષાધારી, પાપી અને નીચ હોય છે.

-આઠમા ભાવમાં શનિ હોય તો

આઠમા ભાવમાં શનિ હોય તો વ્યક્તિ કુષ્ટ કે ભંગદર રોગથી પીડિત, દુઃખી, અલ્પઆયુ, દરેક કામ કરવામાં અસક્ષમ હોય છે.

-નવમા ભાવમાં શનિ હોય તો

એવો વ્યક્તિ જેની કુંડળીમાં નવમા ભાવમાં શનિ હોય તે અધાર્મિક, ગરીબ, પુત્રહીન અને દુઃખી હોય છે.

-દશમા ભાવમાં શનિ હોય તો

દશમા ભાવમાં શનિ હોય તો વ્યક્તિ ધની, ધાર્મિક, રાજ્યમંત્રી કે ઉચ્ચપદ ઉપર આસીન(બેસેલો) હોય છે.

-અગિયારમા ભાવમાં શનિ હોય તો

જે વ્યક્તિની કુંડળીમાં અગિયારમા ભાવમાં શનિ હોય તો તે લાંબુ આયુષ્યવાળો, ધનીક, કલ્પનાશીલ, નિરોગી, બધા પ્રકારના સુખ પ્રાપ્ત કરનાર હોય છે.

-બારમા ભાવમાં શનિ હોય તો

બારમા ભાવમાં શનિ હોય તો વ્યક્તિ અશાંત મનવાળો, પતિત(ભ્રષ્ટ), વાચાળ, નિર્દયી, નિર્લજ્જ, વધુ ખર્ચ કરનાર હોય છે.

ધ્યાન રાખવું કે કુંડળી અધ્યયનમાં બધા ગ્રહોની સ્થિતિ અને અન્ય ગ્રહો સાથે સંબંધિત આધાર જ સચોટ ભવિષ્યવાણી કરી શકાય છે. આથી શનિની સ્થિતિ પ્રમાણે બતાવવમાં આવેલ અન્ય ગ્રહોની સ્થિતિ પણ કારણ બદલી શકે છે.

No comments:

Post a Comment