Sunday, 31 July 2011

શ્રાવણ, રાજસુખ મળે છે શિવની આવી પૂજાથી


હિન્દું પંચાગનો શ્રાવણ મહિનો પૂરી રીતે શંકર ભગવાનને સમર્પિત હોય છે. આ મહિનામાં કરવામાં આવતી શિવ પૂજા જીવનભર કરવામાં આવતી પૂજાથી શ્રેષ્ઠ ફળ આપે છે. એવું ધર્મ ગ્રંથોમાં લખ્યું છે. શ્રાવણ મહિનામાં દર રોજ ભગવાન શિવની વિશેષ પૂજા કરવાથી શિવ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે. શ્રાવણ મહિનાની એકમની પૂજા ભગવાન શિવની પૂજા આ પ્રકારે કરવી જોઈએ.

શ્રાવણ સુદ એકમઃ-

ધર્મ શાસ્ત્રો પ્રમાણે પ્રતિપદા તિથિના સ્વામી અગ્નિદેવ છે. આથી શ્રાવણ શુક્લ પક્ષની પ્રતિપદાએ ભગવાન શિવની પૂજામાં દીપ માળાઓ તથા ધૂપથી પૂજા કરવી જોઈએ. પૂજામાં ચોખા, ફૂલ, ધતુરો, આંકડો, બીલીપત્ર વગેરેથી પૂજા સામગ્રીઓનો ઉપયોગ કરવાથી શિવ પ્રસન્ન થાય છે.

શ્રાવણ મહિના વદની એકમે શિવ મંદિરમાં સાંજે દીવો પ્રગટાવવાથી આગલા જન્મમાં રાજસુખ પ્રાપ્ત થાય છે

No comments:

Post a Comment