
પૌરાણિક કથાઓમાં નાયક,ઉપનાયક તથા ખલનાયક પણ માથાને ઢાંકવા માટે મુકુટ પહેરતાં હતાં.આ જ કારણ છે કે આપણી પરંપરામાં માથાને ઢાંકવું એ સ્ત્રી અને પુરૂષો માટે આવશ્યક માનવામાં આવે છે.દરેક ધર્મોની સ્ત્રીઓ દુપટ્ટા કે સાડીનાં પાલવથી પોતાનું માથું ઢાંકીને રાખતી હતી.આ માટે મંદિર કે કોઇ અન્ય ધાર્મિક સ્થળ પર જતાં સમયે કે પૂજા કરતી વખતે માથાને ઢાંકવું જરૂરી છે.પહેલા દરેક લોકો માથાને ઢાંકે તેવો રિવાજ હતો.
આમ,જોઇએ તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ માથું મનુષ્યનાં અંગોમાં સૌથી સંવેદનશીલ સ્થાન ધરાવે છે.બ્રહ્મરંધ માથાની વચ્ચોવચ્ચ સ્થિત હોય છે.વાતાવરણનાં મામુલી પરિવર્તનાં દુષ્પ્રભાવથી બ્રહ્મરંધનાં ભાગથી શરીરનાં અન્ય અંગો પર આવે છે.તેના સિવાય આકાશીય વિદ્યુત તરંગો ખુલ્લા માથાવાળા વ્યક્તિઓની અંદર પ્રવેશીને કોધ,માથાનું દર્દ,આંખોમાં નબળાઇ વગેરે રોગોને જન્મ આપે છે.
આ કારણે માથા અને વાળને ઢાંકીને રાખવું એ આપણી પરંપરા વણાયેલી છે.તેના પછી ધીરે-ધીરે સમાજની આ પરંપરા મોટેરાંઓને કે ભગવાનને સન્માન આપવાની રીત બની ગઇ.તે સાથે આ કારણ પણ છે કે માથાંની મધ્યમાં સહસ્ત્રારાર ચક્ર હોય છે.પૂજાના સમયે તેને ઢાંકીને રાખવાથી મન એકાગ્ર બને છે.આ માટે ખુલ્લા માથે ભગવાન સમક્ષ જાવું યોગ્ય ગણવામાં નથી આવતું.એવી માન્યતા છે કે જેને આપણે સન્માન આપીએ છીએ તેમની સામે માથું ઢાંકીને જવું જોઇએ.તેનાથી મનમાં ભગવાન પ્રત્યે સન્માન અને સમર્પણ છે તેની અભિવ્યક્તિ થાય છે.
No comments:
Post a Comment