
શિવજીને દેવોના દેવ અર્થાત્ મહાદેવ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ આખા ભારતના દરેક ભાગોમાં હર-હર મહાદેવ અને બમ-બમ બોલેની ગુંજ સંભળાતી હોય છે. શ્રાવણિયા સોમાવારે તો દરેક શિવાલયમાં શિવનો વિશેષ શૃંગાર કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે શ્રાવણ મહિનામાં શિવ અને પાર્વતીજીની પૂજાને આપણા હિન્દુ ધર્મ ગ્રંથોમાં ખૂબ જ વધુ મહત્વ આપવામાં આવ્યું છે. આ મહિનામાં શિવના પૂજનને વિશેષ ફળદાયી માનવામાં આવે છે. તેનું કારણ એ છે તે હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતા પ્રમાણે શ્રાવણ મહિનો શંકરનો મહિનો માનવામાં આવ્યો છે.
આ બાબતે એક કથા પ્રમાણે જ્યારે સનત કુમારોએ મહાદેવ પાસેથી તેમને શ્રાવણ મહિનો પ્રિય હોવાનું કારણ પૂછ્યું તો મહાદેવ ભગવાન શિવએ જણાવ્યું કે, જ્યારે દેવી સતીને પોતાના પિતા દક્ષના ઘરમાં યોગશક્તિથી શરીર ત્યાગ કર્યો હતો, તે પહેલા દેવી સતીએ મહાદેવને દરેક જન્મમાં પતિના રૂપમાં પ્રાપ્ત કરવાનું પ્રણ લીધું હતું. પોતાના બીજા જન્મમાં દેવી સતીએ પાર્વતીના નામે હિમાલય અને રાની મૈનાના ઘરમાં પુત્રીના રૂપમાં જન્મ લીધો હતો. પાર્વતીએ શ્રાવણના મહિનામાં નિરાહર રહીને કઠોર વ્રત ધારણ કર્યું અને તેમને પ્રસન્ન કરી લગ્ન કર્યા. ત્યારબાદ જ મહાદેવ માટે આ મહિનો વિશેષ બની ગયો. આ કારણે જ શ્રાવણ મહિનો સુયોગ્ય વર પ્રાપ્ત કરવા માટે કુંવારી છોકરીઓ વ્રત રાખે છે.
No comments:
Post a Comment