Sunday, 31 July 2011

હંમેશા સુંદર દેખાવા અપનાવો આવી ખાસ ટિપ્સ


સુંદર અને આકર્ષક દેખાવાનો શોખ તો દરેક ને હોય છે.દરેક જણ ઇચ્છે છે કે લોકો તેમની સુંદરતાના વખાણ કરે.જો તમે સુંદર હોવ,તમારો નાક- નકશો આકર્ષક હોય પરંતુ જો તમારા ચહેરા પર ખીલ-ડાઘા હોય તો ? તો આ ખીલ- ડાઘાં તમારી સુંદરતાને ઓછી કરી નાખે છે.

 
ખીલ-ડાઘા એ લોહીમાં રહેલી અશુદ્ધિ ને કારણે થાય છે.વળી ખાન-પાનમાં રાખેલી બેદરકારીને કારણે આ સમસ્યાઓ થવી સ્વાભાવિક ગણાય છે.જો તમને ખીલ- ડાઘાની ઘણી દવા કર્યા બાદ પણ આ સમસ્યામાંથી છુટકારો ના મળતો હોય તો બની શકે કે કોઇ ગ્રહ –દોષને કારણે તમને આ સમસ્યાથી હેરાન થતા હોય.

 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ત્વચા ના રોગ માટે બુધ ગ્રહ,શનિ,રાહુ,મંગળ ના અશુભ હોવાને કારણે તથા સૂર્ય.ચંદ્ર નબળો હોવાને કારણે ત્વચા સંબંધી રોગ થઇ શકે છે.કુંડળીમાં છઠ્ઠુ સ્થાન એ ત્વચા સંબંધી ગણાય છે.

 
-જો કુંડળીમાં સાતમા સ્થાન પર કેતુ હોય તો પણ તે ત્વચા ના રોગનું કારણ બની શકે છે.બુધ જો બળવાન હોય તો આ રોગનો તે પુરો અસર બતાવતો,

 
ત્યાં જ બુધ ની આ નબળી સ્થિતિ ને કારણે નિશ્ચિત ત્વચા રોગો ની પીડા વેઠવી પડે છે.

 
ત્વચા રોગ અને ગ્રહ

 
- ચંદ્રના કારણે પાણી અથવા પરૂ વાળી ફોડલીઓ કે ખીલ થાય છે.

 
- મંગળ ના વિકારથી લોહીના વિકાર વાળા ખીલ-ધબ્બા થાય છે.

 
- રાહુ ના પ્રભાવથી દર્દ આપનારા ખીલ અને ફોડલીઓ થાય છે.

 
ખીલ- ડાઘા ને દુર કરવા માટેના ઉપાય

 
- જો છઠ્ઠા સ્થાન પર કોઇ અશુભ ગ્રહ હોય તો તેના ઉકેલ માટે ઉપચાર કરાવડાવો.

 
- સૂર્ય મંત્રો અને આદિત્ય હ્રદય સ્તોત્ર નો પાઠ કરો.

 
- શનિવારના દિવસે તેલ ચોપડેલી રોટલી ખવડાવો.

 
-સરસ્વતી સ્તોત્ર નો પાઠ કરો.

 
- પારા ના શિવલિંગ નું પૂજન કરો.

 
- દરરોજ સૂર્ય ને પાણી ચઢાવો અને 7 પરિક્રમા કરો.

No comments:

Post a Comment