
30 જુલાઇ, શનિવારનાં શનિશ્વરિ અમાસનો યોગ બની રહ્યો છે.ધર્મ શાસ્ત્રોમાં આ દિવસે શનિદોષને ઓછો કરવા માટે વિશેષ દિવસ માનવામાં આવ્યો છે.આ દિવસે જો નીચે લખેલાં ઉપાય કરશો તો શનિનો અશુભ પ્રભાવ ઓછો થઇ જાય છે અને જીવનમાં સુખ- શાંતિ આવે છે.
ઉપાય
1 – ચોટલીવાળા 11 નાળિયેર લો.દરેકને એક- એક કરીને જમણાં હાથમાં પકડો અને જમણાં કાનની તરફથી ડાબી બાજુ 21 વાર ફેરવી બન્ને હાથથી પાણીમાં પ્રવાહિત કરી દો.
2 – સવા મીટર કાળા કપડામાં સવા કિલો જવ અથવા ચણાં,થોડા કોલસા અને બે લોખંડનાં ખીલ્લાંઓ રાખીને પોટલી બનાવો.તે પોટલી પર ગંગાજળ છાંટો અને તેને પોતાની પરથી ઉતારીને આદરની સાથે જળમાં પ્રવાહિત કરી દો.
3- આ દિવસે ઘોડાની નાળ કે નાળનાં જહાજની ખીલ્લીને અંગુઠી બનાવીને પહેરી લો.તેને કાચા દુધમાં ગંગા જળથી ધોવો અને ऊँ प्रां प्रीं प्रौं स: शनयै नम: મંત્રનો જાપ કરતાં મધ્ય આંગળીમાં ધારણ કરી લો.
4 – આઠ કિલો,આઠસી ગ્રામ કે એંસી ગ્રામ કાળી અડદને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો.
5- શુક્રવારે કાળા ચણાંને પલાળી લો.શનિવારનાં આ ચણાને તળાવમાં માછલીઓને આપો.
6 – આ દિવસે કાળી ગાય, વાંદરા અને કાળા કુતરાને બુંદીનાં લાડવા ખવડાવો.
7 – શનિશ્વરી અમાસનાં દિવસે જલ્દી ઉઠીને શિવલિંગ પર દુધ ચઢાવો.દિવાસો હોવાથી શ્રેષ્ઠ ફળ મળશે.
No comments:
Post a Comment