
શિવ ભક્તિમાં રુદ્રાક્ષ ઘણું મહત્વ ધરાવે છે. જીવનને કલેશમુક્ત, સફળ, શાંતિયુક્ત અને ભરપૂર આર્થિક સમૃદ્ધિ માટે રુદ્રાક્ષ, જે ભગવાન શિવનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે, તેના અનેક સ્વરૂપે પહેરી કે માળાથી શિવમંત્રનો જાપ કરી કે કોઈપણ રીતે રુદ્રાક્ષનો ઉપયોગ અનિષ્ટની શાંતિ કરનાર અને સુખદાયી માનવામાં આવે છે.
શાસ્ત્રોમાં અલગ-અલગ રૂપ, આકાર અને રંગના રુદ્રાક્ષ પહેરવા, કામના વિશેષની પૂર્તિ કરનારા પણ માનવામાં આવ્યા છે. જેને ધારણ કરવાના ધાર્મિક ઉપાય, કર્મકાંડ અને મંત્ર નક્કી કરાયા છે. પરંતુ દરેક માણસ આ શાસ્ત્રોક્ત નિયમોથી પરિચિત નથી હોતો કે સમયના આભાવે તેને અપનાવી નથી શકતો.
આ કારણે ધર્મમાં આસ્થા અને સુવિધાની દ્રષ્ટિએ અહીં બતાવી રહ્યા છીએ. રુદ્રાક્ષ ધારણ કરવાનો એક સરળ અને અસરકારક ઉપાય. જેને કોઈપણ માણસ શ્રાવણ મહિનામાં કે વર્ષમાં કોઈપણ સોમવારે અપનાવી મનગમતુ રુદ્રાક્ષ પહેરી મનોરથ સિદ્ધિ કરી શકે છે. જાણો આ ઉપાય...
-ધર્મના જાણકાર કે વિદ્ઘાન બ્રાહ્મણની સલાહ પછી પોતાની કામનાઓ પ્રમાણે યોગ્ય હોય તેવું રુદ્રાક્ષ પસંદ કરો.
-સોમવારના દિવસે સવારે સ્નાન કરી ભગવાન શિવ ઉપર જળ અને બીલીપત્રો અર્પિત કરો. પછી શિવલિંગની સામે રુદ્રાક્ષ કે રુદ્રાક્ષની માળાને પહેલા કાચા દૂધ અને ત્યારબાદ તીર્થના જળથી પવિત્ર કરો. તેની માટે ગંગાજળ હોય તો ફળ પ્રાપ્તિની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
-ત્યારબાદ શિવને સમર્પિત કેસર ચંદન કે ગંધને રુદ્રાક્ષ ઉપર લગાવી શિવ પંચાક્ષરી કે ષડાક્ષરી મંત્ર ॐ नम: शिवाय નો યથાશક્તિ જાપ કરીને પહેરી લો. કમસે કમ 108 વાર બોલો અર્થાત્ 1 માળા મંત્ર જાપ કરો તો શ્રેષ્ઠ રહેશે.
શાસ્ત્રોમાં અલગ-અલગ રૂપ, આકાર અને રંગના રુદ્રાક્ષ પહેરવા, કામના વિશેષની પૂર્તિ કરનારા પણ માનવામાં આવ્યા છે. જેને ધારણ કરવાના ધાર્મિક ઉપાય, કર્મકાંડ અને મંત્ર નક્કી કરાયા છે. પરંતુ દરેક માણસ આ શાસ્ત્રોક્ત નિયમોથી પરિચિત નથી હોતો કે સમયના આભાવે તેને અપનાવી નથી શકતો.
આ કારણે ધર્મમાં આસ્થા અને સુવિધાની દ્રષ્ટિએ અહીં બતાવી રહ્યા છીએ. રુદ્રાક્ષ ધારણ કરવાનો એક સરળ અને અસરકારક ઉપાય. જેને કોઈપણ માણસ શ્રાવણ મહિનામાં કે વર્ષમાં કોઈપણ સોમવારે અપનાવી મનગમતુ રુદ્રાક્ષ પહેરી મનોરથ સિદ્ધિ કરી શકે છે. જાણો આ ઉપાય...
-ધર્મના જાણકાર કે વિદ્ઘાન બ્રાહ્મણની સલાહ પછી પોતાની કામનાઓ પ્રમાણે યોગ્ય હોય તેવું રુદ્રાક્ષ પસંદ કરો.
-સોમવારના દિવસે સવારે સ્નાન કરી ભગવાન શિવ ઉપર જળ અને બીલીપત્રો અર્પિત કરો. પછી શિવલિંગની સામે રુદ્રાક્ષ કે રુદ્રાક્ષની માળાને પહેલા કાચા દૂધ અને ત્યારબાદ તીર્થના જળથી પવિત્ર કરો. તેની માટે ગંગાજળ હોય તો ફળ પ્રાપ્તિની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
-ત્યારબાદ શિવને સમર્પિત કેસર ચંદન કે ગંધને રુદ્રાક્ષ ઉપર લગાવી શિવ પંચાક્ષરી કે ષડાક્ષરી મંત્ર ॐ नम: शिवाय નો યથાશક્તિ જાપ કરીને પહેરી લો. કમસે કમ 108 વાર બોલો અર્થાત્ 1 માળા મંત્ર જાપ કરો તો શ્રેષ્ઠ રહેશે.
No comments:
Post a Comment