Sunday, 31 July 2011

સોમવારે શિવપૂજામાં આ ઉપાયથી પૂરી કરો ધન કામના



શ્રાવણમાં ભગવાન શિવના સ્મરણનું વધુ મહત્વ છે. સાંસારિક દ્રષ્ટિએ આ શુભ કાળમાં શિવનું ધ્યાન જીવન સાથે જોડાયેલ જરૂરિયાતો અને જવાબદારીઓને પૂરી થવામાં આવતી અડચણોને દૂર કરે છે.

આ દ્રષ્ટિએ જીવનમાં ધનની ભૂમિકાનું પણ વધુ મહત્વ રહેલું છે, જેને લક્ષ્મીનું ભૌતિક રૂપ પણ માનવામાં આવે છે. પરંતુ શાસ્ત્રો કહે છે કે લક્ષ્મીનો વાસ પાપ, દરિદ્રતા અને બુરાઈથી ભરેલા સ્થાનો ઉપર નથી થતો. પરંતુ નાના-મોટા પાપ તો દરેક માણસ જાણતા અજાણતા કરતો જ રહે છે.

શિવ આરાધનામાં એવા પાપોને દૂર કરવાનો ઉપોય પણ શાસ્ત્રોમાં બતાવ્યો છે. આ પૂજામાં એક છે- શિવ ઉપાસનામાં બીલી પત્રોને ચઢાવવા. ધાર્મિક માન્યતા છે કે શ્રાવણમાં શિવને ખાસ કરીને ત્રણ પત્તાવાળા બીલીપત્રો ચઢાવવાથી માત્ર પાપોનો નાશ થાય છે એટલુ જ નહીં પણ પાપ નાશ થવાની સાથે-સાથે ધનલક્ષ્મી પણ આવે છે. જે બધા કાર્યો અને મનોકામાના સિદ્ધ કરી દે છે.

જો તમે પણ એવા જ સુખની કામના કરી રહ્યા હોવ તો શ્રાવણના પહેલા સોમવારે(1 ઓગસ્ટ)શિવ પૂજામાં નીચે બતાવેલ પૂજા વિધિ તથા મંત્રોથી બીલીપત્રોને અર્પણ કરો.

-સ્નાન પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી શિવાલયમાં જઈ શિવ ઉપર જળ કે દૂધની ધારા સમર્પિત કરો.

-પંચોપચાર પૂજામાં ગંધ, અક્ષત પછી ત્રણ પત્તાવાળા 11, 21, 51 કે શ્રદ્ધાનુંસાર તેનાથી વધુ બીલીપત્રો શિવલિંગ ઉપર આ મંત્રને બોલતા-બોલતા ચઢાવો...

त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रयायुधम्।

त्रिजन्म पापसंहारंमेकबिल्वं शिवार्पणम।।


-પૂજા, નૈવેધ તથા બીલીપત્ર અર્પણ કર્યા પછી શિવમંત્ર જાપ, સ્તુતિ કરી શિવ આરતી કરો.

-છેલ્લે શિવ પાસેથી ધન-ધાન્યથી સંપૂર્ણ અને નિરોદી જીવનની કામના કરો.

No comments:

Post a Comment