
શિવ ઉપાસનામાં બીલીપત્રને ચઢાવવા પાપનાશક અને સાંસારિક સુખો પ્રાપ્ત કરવાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ રાખે છે. ખાસ કરીને શ્રાવણના મહિનામાં બીલીપત્રનો ચઢાવો મનોરથ સિદ્ધિનો શ્રેષ્ઠ ઉપાય પણ છે.
શાસ્ત્રોમાં દેવ ઉપાસનાની નિયત મર્યાદાઓની કડીમાં બીલીપત્રને ખાસ દિવસો ઉપર તોડવાનું પણ નિષેધ માનવામાં આવ્યું છે. હિન્દુ પંચાંગ પ્રમાણે આ તિથિઓ શિવ-શક્તિ કે ગણેશ ઉપાસનાની શુભ ઘડીઓ પણ છે. જો કે બીલીપત્રમાં શિવનો વાસ અને શિવ-શક્તિ એકબીજા વગર અપૂર્ણ માનવામાં આવ્યા છે. ગણેશ પણ શિવના પુત્ર છે. એટલા માટે અજાણતા પણ નીચે બતાવે દિવસોમાં બીલીપત્ર તોડવાથી બચવું જોઈએ.
જાણો કંઈ તિથિઓ ઉપર બીલીપત્ર ન તોડવાઃ-
-ચતુર્થી
-અષ્ટમી
-નવમી
-ચતુર્દશી(ચૌદશ)
-અમાસ
જો કે બીલીપત્ર શિવપૂજાનું મુખ્ય અંગ છે. એટલે આ દિવસોમાં બીલીપત્ર ન તોડવાનો નિયમ હોવાનો લીધે બીલીપત્ર ઉપલબ્ધ ન હોય તો નવા બીલીપત્રને બદલે જૂના બીલીપત્રોને પાણીથી સ્વચ્છ કરી શિવને ચઢાવી શકાય છે અથવા આ તિથિઓ પહેલા જ બીલીપત્રો તોડી લેવા જોઈએ
No comments:
Post a Comment