Wednesday, 3 August 2011

કેમ કહેવામાં આવે છે કે,ડાબી સુંઢવાળાં ગણપતિ શુભ હોય છે?

ભગવાન શિવે ગણેશજીને પ્રથમ પૂજ્ય હોવાનું વરદાન આપ્યું હતું.આ જ કારણથી કોઇ પણ માંગલિક કાર્ય,પૂજન વગેરેમાં સૌથી પહેલાં ગણેશજીની આરાધનાં –પૂજા કરવામાં આવે છે. દરેક પૂજામાં સૌથી પહેલાં ભગવાન ગણપતિને જ પૂજવાં જોઇએ.તેનાથી તમારી દરેક મનોકામનાઓ જલ્દી પુરી થાય છે અને બધાં દેવી- દેવતાંઓની કૃપા બની રહે છે.

ગજાનને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે.જેમની આરાધનાથી દરેક સમસ્યાઓ જાતે જ પુરી થઇ જાય છે અને સુખ- સમૃદ્ધિમાં વધારો થાય છે.કહે છે ને કે વિધ્ન હર્તાની મૂર્તિ અથવા ચિત્રમાં તેમનાં ડાબા હાથની તરફ સુંઢ વળેલી હોય તે વાતનું ધ્યાન રાખવું જોઇએ.પરંતુ એ વાત બહુ ઓછા લોકો જાણે છે કે પંડિતો અને વાસ્તુવિદો્ દ્વારા ડાબાં હાથની તરફ વળેલી સુંઢવાળાં ગણેશ જ રાખવાં જોઇએ તેમ કે કહેવામાં આવે છે ?

આ માટે તો ગણેશને સમસ્ત પરિવારનાં દેવ માનવામાં આવે છે અને નિયમિત રૂપે જેમનાં દર્શનથી આપણી ઘણી સમસ્યાઓ જાતે જ પુરી થઇ જાય છે.

વાસ્તવમાં વાસ્તુ અને અન્ય શાસ્ત્રોનાં અનુસાર માનવામાં આવે છે કે જમણાં હાથની તરફ વળેલી સુંઢવાળા ગણપતિ હઠીલાં હોય છે અને તેમની આરાધનાં અને સાધનાં કઠણ હોય છે. તે બહુ જલ્દી પ્રસન્ન થતાં નથી. કારણ કે જમણાં હાથની સુંઢવાળાં ગણપતિને તંત્ર વિધિથી પૂજવાં કે મનાવવા વધારે સરળ હોય છે.તેમની પૂજન વિધી બહુ કઠણ હોય છે. આ માટે દક્ષિણ દિશાની તરફ સુંઢવાળા ગણેશજીની જગ્યાએ ડાબી બાજુની તરફ સુંઢવાળાં ગણેશજીનું પૂજન કરવામાં આવે છે.

No comments:

Post a Comment