Tuesday, 2 August 2011

શું છે શિવની ત્રીજી આંખનું રહસ્ય?





ભગવાન શિવ પોતાનાં કર્મોથી તો અદભુત છે જ,પણ તે સાથે તેમનાં સ્વરૂપ પણ રહસ્યમય છે.જો તે ભક્તથી પ્રસન્ન થઇ જાય તો તે પોતાનું ધામ તેમને આપી દે અને જો તેમને ગુસ્સો આવે તો તેમનું ધામ પણ છીનવી લે.

શિવ અનોખાપણાં અને વિચિત્રતાઓનો ભંડાર છે.શિવની ત્રીજી આંખ પણ એવી જ છે.ધર્મશાસ્ત્રો અનુસાર દરેક દેવી દેવતાંઓનાં બે આંખો છે પણ શિવને ત્રણ આંખો છે.

ખરેખર શિવની ત્રીજી આંખ પ્રતીકાત્મક નેત્ર છે.આંખોનું કામ હોય છે રસ્તો દેખાડવું અને રસ્તામાં આવનારી મુશ્કેલીઓથી સાવધ રહેવું. જીવનમાં ઘણીવાર એવા સંકટ આવે છે કે જેને આપણે પોતાની આંખોથી જોઇ શકતાં નથી.આવાં સમયમાં વિવેક અને ધીરજ જ એક સાચાં માર્ગદર્શકનાં રૂપમાં આપણને સાચાં – ખોટાની ઓળખાણ કરાવે છે. આ વિવેક અંત: પ્રેરણાનાં રૂપમાં આપણાં અંદર જ રહે છે. બસ ,જરૂર છે ખાલી તેને જગાડવાની.

ભગવાન શિવનું ત્રીજુ નેત્ર આજ્ઞાચક્રનું સ્થાન છે.આ આજ્ઞાચક્ર જ વિવેકબુદ્ધિનો સ્ત્રોત છે

No comments:

Post a Comment