Wednesday, 3 August 2011

ચોખાં રાખ્યા વગર દીવો પ્રગટાવવો નાં જોઇએ કારણ કે..




પૂજનમાં દિવાનું ઘણું મહત્વ છે. હિંદુ પરંપરા અનુસાર ભગવાનની સમક્ષ જ્યાં સુધી દીવો પ્રગટાવાય નહી ત્યાં સુઘી પૂજન પુરૂ ગણાતું નથી.આ માટે પૂજા શરૂ થતાં પહેલાં જ દીવો પ્રગટાવવામાં આવે છે અને પછી પૂજાનાં સમાપન બાદ આરતી કરવામાં આવે છે.


પૂજામાં દીવાની નીચે ચોખા રાખવામાં આવે છે.ચોખા એ શુદ્ધતાંનુ પ્રતીક માનવામાં આવે છે.દીવાને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે.હિંદુ ધર્મમાં દીવાને દેવરૂપ માનવામાં આવે છે તેથી જ તો કોઇપણ પ્રકારની પૂજા શરૂ કરતાં પહેલાં દીવાનું તિલક લગાડીને પૂજન કરવામાં આવે છે ત્યારબાદ ચોખાનું આસન બનાવીને તેમાં દીવાને મુકવામાં આવે છે.આમ,પૂજામાં દીવાને ચોખાનાં આસન પર મુકી સ્થાન આપવામાં આવે છે.


દીવાની નીચે ચોખાં ના રાખવામાં આવે તો તેને અપશુકન માનવામાં આવે છે.એવુ માનવામાં આવે છે કે જો દીવાની નીચે ચોખા મુકવામાં ના આવે તો દીવો અપુર્ણ કહેવાય છે.આ પાછળ એવી માન્યતા પણ છે કે જો દીવાને આસન આપી તેનાં પર મુકવામાં નાં આવે તો ભગવાન પણ પૂજામાં આસન ગ્રહણ કરતાં નથી.તે સાથે ચોખાં એ લક્ષ્મીજીનું પ્રિય અનાજ છે.દીવાને ચોખા પર આસન આપવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો નિવાસ થાય છે.શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ પણ છે કે શુક્રવારનાં દિવસે લક્ષ્મીમાની સામે ચોખાની ઢગલી બનાવીને તેનાં પર ઘીનો દીવો લગાડીને પ્રગટાવવાથી ધનલાભ થાય છે.

No comments:

Post a Comment