Wednesday, 3 August 2011

શ્રાવણ મહિનામાં શિવપૂજા આટલી ચમત્કારિક કેમ?

શિવની સત્તામાં વિશ્વાસ કરનાર શૈવ ગ્રંથોમાં ભગવાન શિવ સૃષ્ટિની રચના, પાલન અને વિનાશક શક્તિઓના સ્વામી છે. આ કારણે જ શિવ આરાધના કોઈ પણ સમયે, કાળ કે યુગમાં સાંસારિક બાધાઓને દૂર કરનાર માનવામાં આવે છે. પરંતુ શ્રાવણ મહિનો તેની તિથિઓ કે સોમવારે શિવ ભક્તિ ઝડપથી સિદ્ધિની દ્રષ્ટિએ બાકી મહિનાઓ તથા તિથિઓ સાથે તુલનાત્મક રીતે શ્રેષ્ઠ માનવામાં આવી છે. તેની પાછળ ધર્મગ્રંથોમાં બતાવેલ ખાસ પૌરાણિક માન્યતાઓ છે...

એક પૌરાણિક માન્યતા પ્રમાણે મરકંડૂ ઋષિના પુત્ર મારકન્ડેયની લાંબી આયુની માટે શ્રાવણ મહિનામાં જ ઘોર તપ કરી શિવ કૃપા પ્રાપ્ત કરી, દેનાથી મળેલ મંત્ર શક્તિઓની સામે મૃત્યુના દેવતા યમરાજ પણ નતમસ્તક થયા.

આ પ્રકારે બીજી માન્યતા છે-અમરનાથ ગુફામાં ભગવાન શંકર દ્વારા માતા પાર્વતીની સામે અમરત્વનું રહસ્ય ઉજાગર કરવું.

જે પ્રમાણે અમરત્વની ગૂફામાં જ્યારે ભગવાન શંકર અમરત્વની કથા સાંભળવા લાગ્યા તો આ દરમિયાન માતા પાર્વતીને થોડો સમય ઊંઘ આવી ગઈ. પરંતુ તે સમયે તેમની કહાની ત્યાં ઉપસ્થિત શુક અર્થાત પોપટે સાંભળી. જેનાથી તે શુક અમરત્વને પ્રાપ્ત થયો. ત્યારે ગોપનિયતા ભંગ થવાથી ભગવાન શંકરના કોપથી બચીને ભાગેલા આ શુક પાછળથી શુકદેવજીના રૂપમાં જન્મ લીધો. જેમણે નૈમિષારણ્ય ક્ષેત્રમાં આ અમર કથા ભક્તોને સંભળાવી.

માન્યતા છે કે આ સ્થાને જ ભગવાન શંકરે બ્રહ્મા અને વિષ્ણુની સામે સૃષ્ટિ ચક્રના રક્ષણ અને જગત કલ્યાણ માટે શ્રાપ આપ્યો કે આવનાર યુગોમાં આ કથા અમરકથાને સાંભળનાર અમર થઈ જશે. પરંતુ આ કથાને સાંભળીને દરેક ભક્ત પૂર્વ જન્મ અને વર્તમાનમાં કરેલા પાપ અને દોષોથી મુક્ત થઈ શિવલોકને પ્રાપ્ત થશે. વિશેષ કરીને શ્રાવણ મહિનામાં આ અમર કથાનો પાઠ અને શ્રવણ જનમ-જનમના બંધન મક્ત કરી દેશે.

આવા પૌરાણિક મહત્વથી જ શ્રાવણ મહિનામાં શિવ આરાધનાને શુભ અને ઝડપી ફળદાયી માનવામાં આવે છે. જેમાં શિવપૂજા, અભિષેક, શિવ સ્તુતિ, મંત્રજાપ, શિવ કથાને વાંચવી-સાંભળવી તે સાંસારિક કલેશ, અશાંતિ અને સંટકોથી રક્ષણ કરે છે. શ્રાવણ મહિનામાં શિવ ઉપાસના ગ્રહ શાંતિ દોષ અને પીડાનો અંત કરનારી પણ માનવામાં આવી છે.

No comments:

Post a Comment