
સનાતન ધર્મની માન્યતાઓમાં સંસારનાં પંચભુતો એટલે કે પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિથી બનેલું છે.આ પંચ તત્વ પણ કહેવાય છે.દરેક તત્વનો એક દેવતાં સ્વામી છે, જે પંચદેવોનાં રૂપમાં પૂજનીય છે.ભગવાન શિવ આ પાંચ તત્વોમાંથી એક પૃથ્વી તત્વનાં સ્વામી માનવામાં આવે છે.આ જ કારણ છે કે સાંસારિક સુખો માટે અને ઇચ્છા પુર્તિ માટે ભગવાન શંકરની ઉપાસનાનું મહત્વ છે.
શાસ્ત્રો પ્રમાણે શિવલિંગ રાતનાં સમયે પ્રગટ થયું. આ માટે રાતનાં સમયે શિવ સાધના બહુ અસરકારક માનવામાં આવી છે. શ્રાવણ માસ, મહાશિવરાત્રિ અને તેની સાથે જોડાયેલી નવરાત્રિ કાળ મનોરથ અને ઇષ્ટ સિદ્ધિ માટે બહુ પ્રભાવી માનવામાં આવે છે.
જો તમારા ઇષ્ટ દેવ પણ ભગવાન શિવ હોય અને જો તમે પણ સુખ, શાંતિ અને સફળતાની ઇચ્છા રાખતાં હોવ તો શ્રાવણ માસનાં આ વિશેષ કાળમાં શિવ ઉપાસના આ ઉપાયો અપનાવો. જેનો શુભ પ્રભાવથી તમે તમારાં જીવનમાં પોતે જ જોઇ શકશો.
- શ્રાવણ માસમાં સોમવારની રાતે, શ્રાવણનાં કોઇપણ વારની રાતે કે શિવરાત્રિ એ લગભગ 10 વાગે થી 2 વાગેની વચ્ચે કોઇપણ નદી કિનારે કે તીર્થ સ્થાને અથવા તો કોઇપણ સુરક્ષિત અને એકાંત વાળી જગ્યાઅ ઇશાન દિશા એટલે કે ઉત્તર – પૂર્વ દિશામાં મોં રાખીને શિવનાં પંચાક્ષરી કે ષડાક્ષરી મંત્ર ॐ नम: शिवाय મંત્રનો જાપ કરો.
- આ મંત્રનો વધારેમાં વધારે જાપ કરો.
- આ મંત્ર જાપ દરમિયાન પગને નદી કે તીર્થનાં જળમાં રાખવાં એ ઇષ્ટસિદ્ધિનાં દ્રષ્ટિકોણથી બહુ જ અસરકારક માનવામાં આવે છે.
આ શિવ સાધના શ્રાવણ માસ કે શિવ નવરાત્રિ સિવાય યથાશક્તિ પ્રમાણે કરી શકાય છે.
No comments:
Post a Comment