Wednesday, 3 August 2011

કન્યાના સમયસર લગ્ન માટે, શ્રાવણના ગુરુવારે ઉપાય કરો



શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે ત્યારે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દરેક વ્યક્તિ પ્રયત્ન કરી રહ્યા છે. લગ્ન લાયક યુવતીના લગ્ન માટે માતા-પિતાને ઘણી ચિંતા હોય છે. જો કોઈ કન્યાના લગ્નમાં મોડું થઈ રહ્યું હોય તો શિવને પ્રસન્ન કરો તેનાથી માતા પાર્વતી પણ પ્રસન્ન થાય છે. શિવપાર્વતીની કૃપા પ્રાપ્ત કરવાનો આ સૌથી યોગ્ય સમય છે.

કયા કારણોસર લગ્નમાં મોડું થાય છેઃ-

-શુક્ર ગ્રહ વિવાહ કર્તા ગ્રહ છે. જો કન્યાનો શુક્ર બળવાન, સ્વગ્રાહી કે ઉચ્ચ હોય તો તેના લગ્ન સમયસર થઇ જાય છે.

-શુક્રની મહાદશામાં પણ વિવાહ કારક યોગ બને છે.

-ગુરુ જો સાતમે સ્થાને હોય કે પછી તેની દ્રષ્ટિ સાતમા સ્થાને પડતી હોય તો વિવાહમાં વિલંબ થાય છે.

-આ સિવાય જો જન્મપત્રિકામાં મંગળ કે શનિ હોય તો પણ લગ્નમાં મોડું થઇ શકે છે.

ઉપાય-

-રવિવાર, સોમવાર, મંગળવારે પાન અને સોપારી દ્વારા શિવલિંગની પૂજા કરવી અને પાણી ચઢાવવું.

- દરરોજ પાર્વતી માતાનું પૂજન કરવું.

- ગુરુવારનું વ્રત રાખવું.

- પુખરાજ રત્ન ધારણ કરવું .


No comments:

Post a Comment