Thursday, 29 September 2011

શું તમે જાણો છો,શિવલિંગની પૂજા માટે કઇ દિશામાં બેસવું શ્રેષ્ઠ છે

શિવલીંગની પૂજા મનમાંથી કલેશ દૂર કરીને જીવનમાં સુખ સમૃદ્ધિ અને આનંદ વધારે છે. દરેક દેવ પૂજા સમાન શિવલીંગ પૂજામાં શ્રદ્ધા અને આસ્થા મહત્વના છે. પરંતુ તેની સાથે શાસ્ત્રોમાં વિધાન અનુસાર શિવલીંગ પૂજા શુભ ફળ આપનારી માનવામાં આવે છે. આ નિયમો પ્રમાણે શિવલીંગ પૂજાનો સમય ભક્તના પૂજા સ્થાન પર નિર્ભર કરે છે. શિવલીંગના પૂજાનો સમય દિશા અને સ્થાન પર કામનાઓ પૂરી કરવા માટે દ્રષ્ટિથી વિશેષ ફળદાયી છે.


- જ્યાં શિવલીંગની સ્થાપ્ના કરવામાં આવી હોય તેની પૂર્વ દિશા તરફ ચહેરો રાખીને ના બેસવું. કેમ કે એ દિશા ભગવાન શિવની સામે હોય છે. કેમ કે એ દિશા ભગવાન શિવની સામે હોય અને ધાર્મિક દ્રષ્ટિથી દેવ મૂર્તિની સામે બેસવું યોગ્ય નથી.


- શિવલીંગની ઉત્તર દિશામાં ન બેસવું. કેમકે એ દિશામાં ભગવાન શંકરનું જમણું અંગ બિરાજમાન હોય છે. જે શક્તિરુપી દેવી ઉમાનું સ્થાન છે.


- પૂજા દરમ્યાન શિવલીંગની પશ્ચિમ દિશા તરફ ન બેસવું કેમ કે તે ભગવાન શંકરની પીઠ માનવામાં આવે છે.


- જો પૂજાનું સ્થળ યોગ્ય હોય તો હંમેશા દક્ષિણ દિશા તરફ મોં રાખીને બેસવું. એ દિશામાં પૂજાફળ અને ઈચ્છાપૂર્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સરળ અર્થમાં શિવલીંગની પૂજા દક્ષિણ દિશા તરફ રાખીને બેસવું અને ઉત્તર દિશા તરફ મોં રાખીને પૂજા કરવાથી અભિષેક શીધ્ર ફળ આપનારું છે. એટલા માટે ઉજ્જૈન દક્ષિણામુખી મહાકાલ અને અન્ય દક્ષિણામુખી શિવલીંગ પૂજા ધાર્મિક મહત્વ ધરાવે છે.

શિવલીંગ પૂજામાં યોગ્ય દિશામાં બેસવાથી ભક્તને ભસ્મ કે ત્રિપુન્ડ લગાવવું અને રુદ્રાક્ષની માળા પહેરાવવી તથી બિલિપત્ર ચઢાવવું યોગ્ય છે. જો ભસ્મ ઉપલબ્ધ ન હોય તો માટીથી મસ્તક પર ત્રિપુન્ડ લગાવવાનું મહત્વ વિધાનશાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે.

શનિવારે બોલો આ ચંદ્ર મંત્ર..મન થશે શાંત અને બુદ્ધિ તેજ થશે

હિંદુ ધર્મ શાસ્ત્રોમાં ચંદ્રને મન અને જળ તત્વનાં નિયંત્રક દેવતા પણ માનવામાં આવે છે. વ્યવહારિક રૂપથી જીવનનાં દરેક કામોમાં સફળતા અને સુખ નક્કી કરવાં માટે મન અને બુદ્ધિની પાવનતા અને સમતોલન જરૂરી છે.પરંતુ અમાસની તિથિ પર ચંદ્રમાની અદ્રશ્ય સ્થિતિ મન અને જગતમાં અસંતુલન અને ચંચળતા વધારનારી માનવામાં આવે છે.

આ જ કારણ છે કે અમાસની તિથિ પર મનને સાધવા માટે ચંદ્રની પૂજા અને મંત્ર સ્તુતિનું મહત્વ આપવામાં આવ્યું છે.જાણો આ મંત્ર સ્તુતિ અને સરળ પૂજા વિધિ-

સવારે અને સાંજે સ્નાન પછી નવગ્રહ મંદિર કે ઘરમાં ચંદ્રદેવની પ્રતિમાને સફેદ ચંદન, ચોખા, સફેદ ફૂલ, ધુપ, દીવો, ઘી માં બનેલાં પકવાનનાં ભોગ અને સફેદ વસ્ત્ર અર્પણ કરીને પૂજન કરો.પૂજા બાદ નીચે લખેલા મંત્રોથી ચંદ્રને અઘ્ર્ય અને ધ્યાન કરો.

અઘ્ર્ય મંત્ર -
क्षीरोदार्णव सम्भूतं अत्रिगोत्र समुद्भव।

ग्रहाणाघ्र्यं शशाङ्केदं रोहिणी सहितं मम।।
ધ્યાન મંત્ર -
श्वेताम्बर: श्वेतविभूषणश्च। श्वेतद्युतिर्दण्डधरो दिबाहु:।

चन्द्रोमृत्मत्मावरद: किरीटी मयि प्रसादं विद्यातुतेज:।।


- મંત્ર જાપ, અઘ્ર્ય,ધ્યાન અને પૂજા બાદ ચંદ્રદેવની કપુર આરતી કરી યથાસંભવ પીપળા કે વડની જડમાં દુધ મેળવી જળ અર્પણ કરો. આ પિતૃદોષની સાથે મનને શાંત અને બુદ્ધિને પવિત્ર બનાવનારો ઉપાય પણ માનવામાં આવે છે.

તમને મંગળ દોષ છે? આવી વસ્તુઓ ખાવાથી દુર થઇ જશે

કુંડળીમાં મંગળ એ ત્રીજા, છઠ્ઠા અને દસમા ઘરનો કારક ગ્રહ છે. તેનો રંગ લાલ છે. આપણી રોજિંદી વસ્તુઓ પર તો મંગળનો પ્રભાવ તો હોય જ છે તે સાથે ખાવાની વસ્તુઓ પર પણ તેનો પ્રભાવ રહે છે.મંગળનો પ્રભાવ પણ તેવી વસ્તુઓ પર હોય છે. મંગળનો પ્રભાવ એવી વસ્તુઓ પર હોય છે જેની પ્રકૃતિ મંગળની જેમ જ ઉત્તેજક હોય છે.

મંગળથી પ્રભાવિત ભોજ્ય પદાર્થ દાડમ, ગાજર, મઠ, બીટ, ટામેટા, લવિંગ, મસુર, લાલ મકાઈ વગેરે છે. આવી વસ્તુઓનું દાન કરવાથી મંગળ દેવને પ્રસન્ન થાય છે. આ દાન આપવાની સાથે જો તેનું આ વસ્તુઓને જો આપણાં આહારમાં પણ લઇએ તો મંગળદેવની કૃપા બની રહે છે. આપણા શરીરમાં લોહીનો કારક ગ્રહ પણ મંગળ હોય છે. જો મંગળની વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં લોહી સંબંધી દોષોથી મુક્તિ મળે છે.મઠને અંકુરિત કરીને રોજ સવારે કાચા ચાવી જવાથી શરીરમાંના લોહીનાં લાલ કણોની વૃદ્ધિ થાય છે. શિયાળામાં મકાઇની રોટલી ખાઓ. બદામને પલાળીને રોજ સવારે ખાવાથી બળ વધે છે. જો તમે મંગળની વસ્તુઓ ખાવ તો મંગળ એવો જ પ્રભાવ કરશે જેમ કુંડળીમાં ઉચ્ચ રાશિની સાથે સ્થિત થઇને કરે છે.

લંચ બ્રેકઃ આ મંત્રથી મેળવો અદભૂત ચુસ્તી-સ્ફૂર્તિ !!

આરામનો સમય માત્ર થાક દૂર કરવા માટે જ નથી હોતો પણ વિતેલા સમય ઉપર વિચાર કરી, આવનાર સમય માટે ઊર્જા-શક્તિ પ્રાપ્ત કરવાનો હોય છે. જીવન, કાર્યક્ષેત્ર, વાંચન દરમિયાન એવો જ વિશ્રામ-રિસેસ કે બ્રેક ખામીઓને દૂર કરી નવી શક્તિ, નવા કૌશલ્ય અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે શ્રેષ્ઠ હોય છે.

અહીં આપણે એવા જ બ્રેક કે રિશેસની વાત કરી રહ્યા છીએ જે દૈનિક જીવનમાં કામ દરમિયાન કે વિદ્યાર્થીઓ હોય તો અભ્યાસ દરમિયાન લે છે. આ લંચ બ્રેક અર્થાત્ ભોજનકાળ.

શાસ્ત્રો પ્રમાણે પવિત્ર ભોજનથી મન અને આત્મા પણ શુદ્ધ થાય છે. જાહેર છે કે ભોજન માત્ર શરીર માટે જ નહીં પણ તમારી માનસિક અને વૈચારિક શક્તિ માટે પણ જરૂરી છે. જે આજના સમયમાં સફળતા માટે નિર્ણાયક સાબિત થાય છે.

આજ કારણ છે કે શાસ્ત્રોમાં ભોજન શરૂ કરતા પહેલા ઈશ્વરનું સ્મરણ વિશેષ મહત્વ ધરાવે છે. એટલે માત્ર ભોજન કરતી વખતે અન્નદેવ યાદ કરવામાં આવે છે, પણ ભોજન પહેલા કેટલાક વિશેષ મંત્રો દ્વારા ભગવાનનું ધ્યાન કરવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ શરીરમાં મોજુદ અનેક ગ્રંથિઓ વિશેષ રસ પેદા કરે છે. જેનાથી બધા અંગ યોગ્ય રીતે કામ કરે છે. ભોજનના સમયે પણ મંત્ર બોલતા પહેલા પવિત્ર ભાવોને લીધે ભોજનના પાચક રસોમાં દોષ પેદા નથી થતા. જે શરીર અને દિમાગને હૃષ્ટ-પુષ્ટ રાખવામાં ફાયદેમંદ સાબિત થાય છે.

એટલે જાણો શાસ્ત્રોમાં બતાવેલ ભોજન મંત્ર, તમે પ્રોફેશનલ છો, જોબ કરો છો, વિદ્યાર્થી છો કે ગૃહસ્થ હોવ ભોજન શરૂ કરતા પહેલા આ મંત્રોનો જરૂર ઉચ્ચારણ ચોક્કસપણે કરો.

ॐ सहनाववतु, सहनौ भुनक्तु

सह वीर्यम् करवावहै

तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै

ॐ शान्तिः शान्तिः शान्तिः

-ॐ ब्रह्मार्पणं ब्रह्मा हविर्ब्रह्माग्नौ ब्रह्मणाहुतं

ब्रह्मैव तेना गन्तव्यंब्रह्म कर्म समाधिना।।

આ પાંચ ચમત્કારિક કાર્યો કરો,ઘરમાં સુખ અને વૈભવ આવશે

શાસ્ત્રોમાં યજ્ઞનાં અલગ-અલગ પાંચ સ્વરૂપ આપવામાં આવ્યા છે, જે ઘરનાં જાણે- અજાણે થયેલા પાપ અને દોષનો નાશ કરે છે. તે કર્મ, વિચાર અને વ્યવહારને પવિત્ર બનાવીને જીવન અને ગૃહસ્થીમાં અપાર સુખ-શાંતિ લાવે છે. આ માટે તેમને મહાયજ્ઞ કહેવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિથી આ દરરોજની દિનચર્યામાં આ કાર્યોનો સમાવેશ કરવાથી દુખ-દર્દ દુર થાય છે.



જાણીએ કયા અને કેવા હોય છે આ પાંચ મહાયજ્ઞ.



બ્રહ્મયજ્ઞ –



દરરોજ વેદોનું અધ્યયન બ્રહ્મયજ્ઞ થાય છે. વેદો ઉપરાંત પુરાણ, ઉપનિષદ, મહાભારત,ગીતાનો પાઠથી પણ આ યજ્ઞ પુરા થાય છે. જો આ દરેક ના કરી શકતાં હોવ તો માત્ર ગાયત્રી સાધના પણ બ્રહ્મયજ્ઞને સંપુર્ણ કરી દે છે. ધાર્મિક દ્રષ્ટિથી આ યજ્ઞથી ઋષિઋણથી મુક્તિ મળે છે.



દેવયજ્ઞ –



દેવી –દેવતાઓને પ્રસન્ન કરવા માટે હવન કરવું પણ દેવયજ્ઞ કહેવાય છે.



ભૂતયજ્ઞ –



કીટ-પતંગો, પશુ-પક્ષી,કૃમિ કે ધાતા-વિધાતા સ્વરૂપ ભૂતાદિ દેવતાઓ માટે ભોજન અર્પિત કરવું એ ભૂતયજ્ઞ કહેવાય છે.



પિતૃયજ્ઞ –



મૃત પિતૃઓની સંતુષ્ટિ અને તૃપ્તિ માચે અન્ન-જળ અર્પિત કરવું એ પિતૃયજ્ઞ કહેવાય છે જેનાથી પિતૃઓની અસીમ કૃપા અને સુખ- સમૃદ્ધિ મળે છે. અમાસ,શ્રાદ્ધ પક્ષ વગેરે આ માટે વિશેષ દિવસ છે.



મનુષ્ય યજ્ઞ –



ઘરનાં દરવાજા પર આવેલા અતિથિને અન્ન,વસ્ત્ર,ધનથી તૃપ્ત કરવું કે દિવ્ય પુરૂષો માટે અન્ન દાન વગેરે મનુષ્ય યજ્ઞ કહેવાય છે.

આજે ગણેશ સાથે દેવીપૂજાનો યોગ, આ મંત્રથી ટળશે ખરાબ સમય

જીવનમાં અનેક તબક્કે એવો ખરાબ સમય આવી જાય છે ત્યારે તેમાંથી બહાર આવવું મુશ્કેલ જ નહીં અસંભવ જેવું લાગવા લાગે છે. પરંતુ સત્ય તો એ છે કે માણસ શરીર અસીમ શક્તિનો ભંડાર છે. એટલા માટે એવા વિકટ સમયમાં તે વિચલિત થયા વગર સહજતાથી તે શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરે તો તે સબળ બનીને પાછો ઊભો થઈ શકે છે.

એવી શક્તિ સંચય માટે જ હિન્દુ ધર્મમાં નવમી તિથિ ઉપર આદિશક્તિનું સ્મરણ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. ખાસ કરીને ગણેશ પૂજાના વિશેષ કાળમાં દેવી મંત્રોનું ધ્યાન તો મનચાહી કામના સિદ્ધિમાં અસરદાર બતાવવામાં આવ્યું છે. કારણ કે શ્રીગણેશ પણ આદિશક્તિ સ્વરૂપ માતા પાર્વતીના જ પુત્ર છે.

નવમી તિથિની સાંજે ગણેશ પૂજાની સાથે જ દેવીની પંચોપચાર પૂજામાં ચંદન, અક્ષત, ફૂલ, વસ્ત્ર અને ભોગમાં મઘ અને હલવાનો ભોગ લગાવો. ધૂપ, દીપ પ્રગટાવી નીચે બતાવેલ મંત્રોની સ્ફટિકની માળાથી વધુમાં વધુ વાર, યથાશક્તિ 108 વાર જરૂર સ્મરણ કરો.

सृष्टिस्थितिविनाशानां शक्ति भूते सनातनि।

गुणाश्रये गुणमये नारायणि नमोस्तुते।।

शरणागतदीनार्त परित्राणपरायणे।

सर्वस्यार्तिहरे देवि नारायणी नमोस्तुते।।

-મંત્ર સ્મરણ પછી દેવી આરતી કરી પ્રસાદ ગ્રહણ કરવાથી દરેક શક્તિ અને વિવેક પ્રદાન કરનાર માનવામાં આવે છે. જેનાથી કોઈ પણ પ્રકારનો ખરાબ સમયમાંથી બહાર આપવું ખૂબ જ સહેલુ બની જાય છે.

આ ત્રણ વસ્તુઓ શનિવારે દાન કરો...શનિની કૃપા વરસશે

શનિવાર, દિવસ છે શનિદેવનો... આ દિવસે શનિને મનાવવા માટે વિશેષ પૂજન અર્ચન કરવાનું મહત્વ છે.જ્યોતિષ અનુસાર કુંડળીમાં શનિની સ્થિતિ ઘણું કરીને ખાસ મહત્વ રાખે હોય છે. શનિની શુભ કે અશુભ સ્થિતિનાં કારણે વ્યક્તિનાં જીવનમાં સુખ અને દુખ પણ વેઠવાં પડે છે. શનિનો સૌથી વધારે પ્રભાવ સાડાસાતી અને ઢૈય્યામાં વેઠવો પડે છે. દરેક વ્યક્તિને શનિની સાડાસાતી ચોક્કસ વેઠવી પડે છે તેનાથી કોઇ બચી શકતું નથી.

જો શનિનાં કારણે કોઇ વ્યક્તિને ઘણાં દુખો અને નિષ્ફળતાઓનો સામનો કરવો પડી રહ્યો તો શનિવારનાં દિવસે અમુક વિશેષ પૂજન કાર્ય કરવું જોઇએ. શનિને મનાવવા માટે અહીં સચોટ ઉપાય આપવામાં આવ્યો છે. દરેક શનિવાર આ ઉપાય અપનાવવાથી જલ્દી શુભ થાય છે.

શનિનાં અશુભ પ્રભાવોને ઓછો કરવા માટે શનિવારનાં દિવસે એક કાળા કપડામાં કાળા અડદ, કાળા તલ અને લોખંડની વસ્તુઓ મુકી તેને બાંધી લો. શનિદેવને અર્પણ કરો અને પૂજા કરો. તેના પછી કોઇ બ્રાહ્મણ, કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને આ કાળા કપડામાં બાંધેલી ત્રણ ચીજોનું દાન કરી દો. આમ દર શનિવારે આ દાન કરવું જોઇએ. થોડા જ દિવસોમાં તેના સકારાત્મક પરિણામો જોવા મળશે.

આ 5 લોકો શિખવે છે, કેવી રીતે જીવન પસાર કરવું?

વ્યક્તિના જીવનમાં 5 પ્રકારના લોકો મુખ્ય ભૂમિકા નિભાવે છે. માણસને આ વાતને સમજી દરેક સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ

મુશ્કેલીથી બચવું કે આસાન જીવન જીવવું માણસની સ્વાભાવિક ઈચ્છાઓ હોય છે. પરંતુ સુરક્ષિત જીવનની આ ભાવના માણસના મગજ ઉપર વધુ હાવી થઈ જાય તો દરેક દિવસે, દરેક પળે ઊઠતા-બેસતા આસ-પાસના લોકો કે વાતોને લઈને અસંતુષ્ટ થવા લાગે છે. જેનાથી તે અશાંત કે વ્યર્થ દબાણ અને તણાવમાં રહીને અકેલાપણાનો શિકારપણ બનવા લાગે છે.

શાસ્ત્રો પ્રાણે સંસારમાં રહીને પણ જીવન સાથે જોડાયેલ દર્શનને લઈ અજ્ઞાનતા જ એવી મનોદશા પેદા કરે છે. જેનાથી બચીને વ્યાવહારિક જીવનની સફળતા માટે હિન્દુ ધર્મગ્રંથ મહાભારતમાં એક શ્રેષ્ઠ સૂત્ર બતાવવામાં આવ્યું છે. તે પ્રમાણે દરેક વ્યક્તિના જીવનમાં 5 પ્રકારના લોકો મુખ્ય ભૂમિકા નિભાવે છે. માણસને આ વાતને સમજી દરેક સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ.

લખવામાં આવ્યું છે કે.....

पञ्च त्वानु गमिष्यन्ति यत्र यत्र गमिष्यसि।

मित्राण्र्यामित्रा मध्यस्था उपजीव्योपजीविन:।।

આ શ્લોકનો અર્થ છે કે જીવનમાં જ્યાં-જ્યાં પણ જશો ત્યાં આ પાંચ પ્રકારના લોકોની વચ્ચે જીવન પસાર થાય છે. અને તે છે...

મિત્રઃ-

-સમાન વિચાર, વ્યવહાર અને ભાવના રાખનાર લોકો તમારી નજીકના મિત્રરૂપમાં સહયોગ બનાવે છે.

શત્રુઃ-

-કામ, સ્વાર્થ કે હિતને ચાલતા વિરોધી, દ્વૈષી કે ઈર્ષાભાવ રાખનાર લોકો શત્રુતાનો વ્યવહાર કરે છે.

ઉદાસીનઃ-

-એવા લોકો જે ખરાબ હોય કે સારું જે તમારો વિરોધ નથી કરતા કે સહયોગ પણ નથી કરતા. એવા લોકોનો વ્યવહાર અસામાન્ય કે નિષ્ક્રિયતા પણ સામેલ હોય છે. જે કોઈ પણને વિચલિત કરી શકે છે.

આશરો આપનારઃ-

-કઠિન સમયમાં નિઃસ્વાર્થ સહયોગ અને સેવા કરનાર લોકો.

આશ્રમય મેળવનારઃ-

-ખરાબ સમય કે પરિસ્થિતિને કારણે નબળા, ગરીબ કે અન્ય કોઈ કારણે શરણમાં આવનાર લોકો.

આ પ્રકારે જીવનમાં દરરોજ આ પાંચ પ્રકારના લોકોનો સામનો થવાનું નક્કી હોય છે. એટલે સમય અને વ્યક્તિઓ સાથે તાલમેળ બેસાડી જીવનને યોગ્ય દિશામાં વાળવી જોઈએ. એમ ન કરીએ તો આ વાતોથી મો ફેરવી પોતાને કે બીજાને દોષી માની કલેશ અને સંતાપની સાથે સમય અને જીવન પસાર કરવું પડે છે.

તમારું શરીર ભલે પરિશ્રમ કરે, મનને આરામ મળવો જોઈએ

આપણા વ્યાવસાયિક જીવનમાં પરિશ્રમ હોય પરંતુ પરિશ્રમનો અર્થ સમજો. પરિશ્રમ નશો બની જાય, પરિશ્રમ બીમારી ન બની જાય કેટલો પરિશ્રમ કરે છે આજના લોકો. પણ પરિશ્રમ હોવો જોઈએ તન અને વિશ્રામ મળવો જોઈએ મનને. પણ થાય ઊલટું છે. જેટલો પરિશ્રમ આપણે તનથી કરીએ છીએ, તેનાથી અનેક ગણો પરિશ્રમ મન કરવાથી લાગે છે.

તેનાથી માણણ કાંતો થાંકી જાય છે, ચિડિયો થઈ જાય છે, બેચેન બની જાય છે, બીમાર બની જાય છે, પરિશ્રમનો અર્થ સમજો. આજના પરિશ્રમે એટલા દોડાવી દીધા છે કે આદમીને બાહારથી અને અંદરથી તેની જેટલી પણ પ્રતિભા હતી તે બધુ પ્રચંડતામાં બદલાઈ ગઈ. તેની જે યોગ્યતા હતી તે છીના-ઝપટીમાં બદલાઈ ગઈ અને માણસ આક્રમક થતો ગયો છે. શરીર ખૂબ જ પરિશ્રમ કરે છે, દેહની તીવ્રતા હોવી જોઈએ પરંતુ મન તે ક્ષણે ખૂબ જ વિશ્રામમાં રહે ત્યારે તમે આ પરિશ્રમનો આનંદ ઉઠાવી શકશો. આ પરિશ્રમની પૂજા કહેવામાં આવે છે.

આ સમયે આળસ અપરાધ છે. 14 કલાક કામ કરવા કોઈ મોટી વાત નથી માનવામાં આવતી પરંતુ થોડો સમય પોતાના આંતરિક વ્યક્તિત્વને જમાવવામાં લગાવવા જોઈએ. હનુમાન જ્યારે લંકામાં ગયા તો તેઓ જાણતા હતા કે તે એક વિશ્વ વિજેતા રાવણની દુનિયામાં જઈ રહ્યા છે. ત્યાં ન માત્ર પડકારો હતા, પણ જાનનું પણ જોખમ હતું. તે રામદૂત બનીને ગયા હતા.

તે સમયે તેમને સીતાજીને શોધતા-શોધતા થોડીવાર એકાંતમાં બેસીને વિચાર કર્યો હતો કે આ પરિસ્થિતિથી કેવી રીતે ઉકેલી શકાય. તેની માટે એક શબ્દ લખવામાં આવ્યો છે.- मन महुं तरक करैं कपि लागा। હનુમાનજીના મનમાં વિચાર હતો તેનો સીધો અર્થ છે, થોડો અંદર ઊતરી પોતાના આંતરિક વ્યક્તિત્વને પકડવા. તમે જેટલા ઊંડા ઊતરશો, બહાર એટલા જ પરિપક્વ બનશો અને તમારા પરિશ્રમ સાચે જ પૂજા બનશે.

આ નવરાત્રિએ મનપસંદ કન્યા મેળવવા આ ઉપાય કરવો ચૂકતા નહીં

શારદીય નવરાત્રિનો પ્રારંભ 28 સપ્ટેમ્બર, બુધવારથી થઇ રહ્યો છે જે 5 ઓક્ટોબર, બુધવાર સુધી રહેશે. આ દરમિયાન કરવામાં આવતી પૂજા વિશેષ ફળદાયી છે. જો તમને લગ્નમાં અડચણો આવી રહી હોય તો તો નીચે લખેલ ઉપાય કરવાથી ઝડપથી તમને મનપસંદ કન્યા મળશે તથા બધા કામ સફળ થશે.


ઉપાયઃ-

-નવરાત્રિમાં દરરોજ સવારે કોઈ શિવમંદિરમાં જાઓ. ત્યાં જઈ શિવલિંગ ઉપર દૂધ, દહીં, ઘી, મધ અને શક્કર ચઢાવી તેને સારી રીતે સાફ કરો. પછી શુદ્ધ જળ ચઢાવી આખા મંદિરમાં ઝાડી લગાવી તને સાફ કરો. હવે ભગવાન શિવની ચંદન, પુષ્પ તથા ધૂપ, દીપ વગેરેથી પૂજા અર્ચના કરો.

-રાત્રે 10 વાગ્યા પછી અગ્નિ પ્રજ્વલિત કરી ऊँ नम: शिवाय મંત્રનો જાપ કરતા ઘીથી 108 વખત આહુતી આપો. હવે 40 દિવસ સુધી નિત્ય મંત્રની પાંચ માળા જાપ ભગવાન શિવની સન્મુખ કરો. તેનાથી ઝડપથી તમારી મનોકામના પૂર્ણ થશે અને સારા સ્થાને લગ્ન સંબંધ ગોઠવાઈ જશે.

-જો લગ્નમાં અડચણો વધુ આવી રહી હોય તો માતા જગદંબાના એક ફોટાને લાલ કપડામાં રાખી અને તેની સામે ચોખાથી બે સ્વસ્તિક બનાવો. એક સ્વસ્તિક ઉપર ગણેશજીને વિરાજમાન કરો અને બીજા ઉપર ગૌરી-શંકર રુદ્રાક્ષને સ્થાપિત કરો. આ રુદ્રાક્ષ સાક્ષાત માતા પાર્વતી અને ભગવાન શિવનું પ્રતીક છે. હવે તેની સન્મુખ નીચે પ્રમાણે લખેલ મંત્રનો 108 વાર જાપ કરો અને લગ્નમાં આવતી અડચણોનું નિવારણ ઝડપથી કરવા અને લગ્ન માટે પ્રાર્થના કરો.

ऊँ कात्यायन्यै नम:

છેલ્લે આ રુદ્રાક્ષની માતા ગૌરી અને ભગવાન શિવનો પ્રસાદ સમજી ગળામાં ધારણ કરી લો. તેનાથી ઝડપથી તમારા લગ્ન સારી જગ્યાએ ગોઠવાઈ જશે.

શારદીય નવરાત્રિમાં રોજ નીચે લખેલ મંત્ર જાપની ત્રણ માળા જાપ કરો. જાપ કરતા પહેલા માતા દુર્ગાની પંચોપચાર પૂજા કરો અને તેમને લાલ રંગના ફૂલ ચઢાવો. તેનાથી ઝડપથી લગ્ન ગોઠવાઈ જશે.

पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीं तारिणीं दुर्ग संसारसागरस्य कुलोद्भवाम्।।

નવરાત્રિ: દેવીને લગાડો આ ભોગ, દરેક સમસ્યાઓ ઉકેલાઇ જશે

નવરાત્રિમાં દરેક દિવસે દેવીના વિભિન્ન રૂપોની પૂજા કરવામાં આવે છે.આ નવ દિવસ વિવિધ પ્રકારની પૂજા માતાને પ્રસન્ન કરે છે. નવરાત્રિમાં દેવીનાં વિભિન્ન પ્રકારનાં ભોગ લગાડવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર એકમથી લઇને નોમ તિથિમાં દેવીને વિશિષ્ટ ભોગ અર્પણ કરીને તથા આ જ ભોગ દરિદ્રોને દાન કરવાથી સાધકની દરેક મનોકામના પુરી થાય છે અને તેમનો પરિવાર દીર્ઘાયુ થાય છે. જેના અનુસાર -

એકમ ( 28 સપ્ટેમ્બર,બુધવાર)– માતાને ઘીનો ભોગ ધરાવાથી તથા તેનું દાન કરવાથી રોગમાંથી અને કષ્ટમાથી મુક્તિ મળે છે તથા તે નીરોગી રહે છે.

બીજ ( 29 સપ્ટેમ્બર, ગુરૂવાર)- ના માતાને ખાંડનો ભોગ ધરાવાથી તથા તેનું દાન કરવાથી દેવી પ્રસન્ન થાય છે તથા સાધકને દીર્ઘાયુ મેળવે છે.

ત્રીજ ( 30 સપ્ટેમ્બર, શુક્રવાર)- ના દુધ ચઢાવીને દાન કરવાથી દરેક પ્રકારનાં દુખોમાંથી મુક્તિ મળે છે.

ચોથ ( 1ઓક્ટોબર, શનિવાર)- ને માલપુઆ ચઢાવીને દાન કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ જાતે જ દુર થાય છે.

પાંચમ ( 2 ઓક્ટોબર, રવિવાર)-ના કેળાનો ભોગ લગાડીને દાન કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે.

છઠ્ઠ ( 2 ઓક્ટોબર, રવિવાર)- ના મધનો ભોગ લગાડવાથી તથા તેનું દાન કરવાથી વ્યક્તિત્વ વિકાસ થાય છે.

સાતમ (3 ઓક્ટોબર, સોમવાર)-ના ગોળની વસ્તુઓનો ભોગ લગાડવાથી અને દાન કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે.

આઠમ (4 ઓક્ટોબર,મંગળવાર)-ના નાળિયેરોનો ભોગ લગાડીને દાન કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે.

નોમ (5 ઓક્ટોબર, બુધવાર)- ના વિભિન્ન પ્રકારનાં અન્ન અર્પણ કરવાથી અને દાન કરવાથી લોક પરલોકમાં આનંદ અને વૈભવ મળે છે.

રાતો-રાત સમૃદ્ધ થશો, નવરાત્રિમાં આ 9 દેવીઓની ભક્તિ કરો

શક્તિનાં આરાધના પર્વ નવરાત્રિમાં શક્તિ પૂજા એ સૌથી વિશેષ મહત્વ ધરાવે છે.આ જ કારણ છે કે નવરાત્રિની નવરાતમાં શક્તિઓવાળી દુર્ગાના અલગ- અલગ સ્વરૂપોની પૂજા અલગ- અલગ કામનાઓને પુરી કરી રાતોરાત આપણને બળવાન, બુદ્ધિમાન અને ધનવાન બનાવે છે. જાણો, નવરાત્રિની નવરાતમાં અંબે કયા અદભુત સ્વરૂપની ભક્તિ કઇ ઇચ્છાઓ પુરી કરે છે.



1- શૈલપુત્રી – નવરાત્રિનાં પ્રથમ દિવસે મા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે જેને કલ્યાણી પણ કહેવામાં આવે છે. માના આ સ્વરૂપની ઉપાસના એ સુખી અને નીરોગી જીવન આપે છે.



2 – બ્રહ્મચારિણી – નવરાત્રિનાં બીજા દિવસે તપસ્વિની રૂપ મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. જેમની ઉપાસનાથી પુરૂષાર્થ, આધ્યાત્મિક સુખ અને મોક્ષ આપનારી માનવામાં આવે છે. સરળ શબ્દોમાં પ્રસન્નતા, આનંદ અને સુખ માટે આ શક્તિની સાધનાનું મહત્વ છે.



3 – ચંદ્રઘંટા – નવરાત્રિના ત્રીજા દિવસે નવદુર્ગાની ત્રીજી શક્તિ ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. જેમની ભક્તિ જીવનનાં દરેક ભયને દુર કરનારી માનવામાં આવે છે.



4 – કુષ્માંડા – નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાની ઉપાસનાનું મહત્વ છે. આ ઉપાસના ભક્તના જીવનથી કલેશ, શોકનો અંત કરી લાંબી ઉંમર અને સન્માન આપનારી હોય છે.



5 – સ્કંદ માતા – નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. માતાની ઉપાસના જીવનમાં પ્રેમ, સ્નેહ અને શાંતિ લાવનારી માનવામાં આવે છે.



6 – કાત્યાયની – નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયની પૂજાનું મહત્વ છે. માતાની પૂજા વ્યવહારિક જીવનની બાધાઓને દુર કરવાની સાથે તન અને મનને ઊર્જા અને બળ આપનારી માનવામાં આવે છે.



7 – કાળરાત્રિ- નવરાત્રિનાં સાતમા દિવસે દુર્ગાના તામસી સ્વરૂપ મા કાળરાત્રિની ઉપાસના કરવામાં આવે છે, પરંતુ સાંસારિક જીવો માટે આ સ્વરૂપ શુભ અને કાળથી રક્ષા કરનારૂ માનવામાં આવે છે. તેની ઉપાસના પરાક્રમ અને વિપરીત સંજોગોમાં પણ શક્તિ આપનારી હોય છે.



8 – મહાગૌરી – નવરાત્રિનાં આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. માનુ આ કરૂણામયી રૂપ છે. તેમની ઉપાસના ભક્તને અક્ષય સુખ આપનારી માનવામાં આવી છે.



9. સિદ્ધિદાત્રી – નવરાત્રિનાં અંતિમ કે નવમાં દિવસે મા સિદ્ધિદાત્રીની ઉપાસનાનું મહત્વ છે. તેની ઉપાસના સમસ્ત સિદ્ધિ દેનારી છે. વ્યવહારિક જીવનના દ્રષ્ટિકોણથી જ્ઞાન, વિદ્યા, કૌશલ્ય, બળ, વિચાર, બુદ્ધિમાં પારંગત થવા માટે મા સિદ્ધિદાત્રીની ઉપાસના બહુ જ પ્રભાવી હોય છે.

આ નવરાત્રિએ રાશિ પ્રમાણે પસંદ કરો દાંડીયા, ને કિસ્મત ચમકાવો?

શક્તિ આરાધનાના આ પર્વ ઉપર ગ્રહ-નક્ષત્રોને પોતાની અનુકૂળ બનાવવા માટે તમે પોતાની રાશિ અનુસાર ઉપયોગ કરી શકો છે. રાશિ અનુસાર દાંડીયા તમારી તકદીર બદલી શકે છે. ગ્રહોની રાશિ અનુસાર દાંડીયા અનેક દોષો સમાપ્ત કરી દે છે.

મેષ (અ. લ. ઇ.)

-મેષ રાશિવાળા લોકો માટે આ નવરાત્રિ પર્વ ઉપર રાશિ સ્વામી મંગળ પ્રમાણે લાલ કે ખેરની લાકડાના દાંડીયા ઉપાયોગ કરો.

વૃષભ(બ. વ. ઉ.)

-આ રાશિના પોતાના રાશિ સ્વામી અનુસાર ગુલરના ઝાડની લાકડીથી દાંડીયા રમવા જોઈએ અને રાશિ અનુસાર તેની ઉપર સફેદ કપડું બાંધી દેવા જોઈએ.

મિથુન(ક. છ. ઘ.)

-આ રાશિનો સ્વામી બુધ હોય છે. એટલે મિથુન રાશિવાળા રાશિ પ્રમાણે અપામાર્ગની લાકડીના દાંડીયા બનાવી રમાવા જોઈએ કે કોઈ પણ લાકડાના દાંડીયા ઉપર લીલા રંગનું કપડું બાંધી લેવું જોઈએ.

કર્ક(ડ. હ.)

-આ રાશિવાળાને જો પૈસા બનાવવા હોય તો પલાશ કે સફેદ ચંદનના લાકડીના દાંડીયા બનાવી કે કોઈપણ લાકડાના દાંડીયા ઉપર સફેદ કપડું બાધીને રમવું જોઈએ.

સિંહ (મ. ટ.)

-સિંહ રાશિવાળાને આંકડાના ઝાડમાંથી બનેલ દાંડીયાનો ઉપયોગ કરવામાં આવે તો રૂપિયા-પૈસાનો ફાયદો થાય છે.

કન્યા (પ. ઠ. ણ.)

-કન્યા રાશિના સ્વામી બુધ છે એટલે આ રાશિવાળાને અપામાર્ગની લાકડીથી બનેલ દાંડીયાનો ઉપયોગ કરવો જોઈએ.

તુલા (ર. ત.)

-સફેદ પલાશ કે સફેદ ચંદનના લાકડાથી બનેલ દાંડીયાનો આ નવરાત્રિમાં ઉપયોગ કિસ્મત ચમકાવી શકે છે.

વૃશ્વિક (ન. ય.)

-આ રાશિવાળા લોકોને મંગળદેવ અનુસાર ખૈરનના લાકડાનો ઉપયોગ દાંડીયામાં કરવામાં આવે તો તેમની ગ્રહદશા સુધરી જાય છે.

ધન (ધ. ફ. ભ. ઢ.)

-આ રાશિવાળાનો સ્વામી ગુરુ છે. ધન રાશિવાળા માટે પીપળાના ઝાડથી બનેલ દાંડીયા શુભ ફળ આપનાર હોય છે.

મકર (ખ. જ.)

-મકર રાશિવાળાને શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શમિના ઝાડના દાંડીયાનો ઉપયોગ કરવો જોઈએ. જેથી કિસ્મત સાથ આપે.

કુંભ (ગ. શ. ષ. સ.)

-આ રાશિવાળાને પણ રાશિ સ્વામી શનિ છે એટલે કુંભ રાશિવાળાને પણ શમિના ઝાડથી બનેલ દાંડીયાનો ઉપયોગ કરવો જોઈએ.

મીન ( દ. ચ. ઝ. થ.)

-મીન રાશિના લોકો પીળા ચંદનના લાકડાનો ઉપયોગ દાંડીયામાં કરવો જોઈએ. આ રાશિવાળાને પીપળાના લાકડાનો પણ ઉપયોગ કરી શકે છે.

નવરાત્રિ: રાશિ પ્રમાણે આ મંત્ર તમને પૈસા અને સમૃદ્ધિ અપાવશે

આજનાં ભૌતિક સુખ- સુવિધાઓના યુગમાં આપણી જરૂરિયાતોનું વર્તુળ એટલુ ભરાઇ ગયુ છે કે આવક પર ખર્ચાઓ ભારે પડે છે.ગંભીરતાથી વિચાર કરીએ તો એક વાત આપણી પ્રત્યક્ષ આવે છે- સુખ સુવિધાઓની આ ઝાકઝમાળમાં આપણો વિવેક ક્યાંક ખોવાઇ રહ્યો છે. આપણા મન પર અનેક ઇચ્છાઓ હાવી છે અને તે ઇચ્છાઓને કોઇપણ ભોગે પુરી કરવાની આપણી ભાવના પણ અકબંધ રહે છે. આ જ કારણ છે કે દેવ પૂજામાં ધનથી સમૃદ્ધ રહીએ તેવી કામનાઓ મુખ્ય થઇ ગઇ છે.



શાસ્ત્રો પ્રમાણે સુખી જીવન માટે ઇચ્છાઓ પરનો નિયંત્રણ એ શ્રેષ્ઠ ઉપાય છે. ત્યાં જ જીવનમાં સુખી અને સકારાત્મક ઉદેશથી ધન મેળવવા માટે ધનનો અભાવ બાધા લાવે છે. આ માટે જ તો ધનને સુખ, પદ, પ્રતિષ્ઠા અને યશ આપનારું સાધન માનવામાં આવે છે. કોઇપણ રૂપમાં શક્તિથી સંપન્ન થવા માટે દેવી ઉપાસના પ્રભાવી માનવામાં આવે છે આ માટે જ તો ધનથી પણ બળવાન બનવા માટે નવરાત્રિમાં દેવી લક્ષ્મીની પૂજા ના માત્ર કેવળ સુખ, ઐશ્વર્ય અને ધનની ઇચ્છાઓને પુરી કરે છે, ઉપરાંત રોગ અને દરિદ્રતાને પણ દુર રાખે છે.



નવરાત્રિની સાંજે કે રાતે લક્ષ્મી પૂજા શુભ માનવામાં આવે છે. આ માટે યથાસંભવ વિદ્વાન બ્રાહ્મણનાં માર્ગદર્શન હેઠળ મા લક્ષ્મીની વિધિ- વિધાનથી પૂજા કરો.જો તે સંભવ ના હોય તો માત્ર પંચોપચાર પૂજા એટલે કે લાલ ચંદન, અક્ષત, લાલ ફૂલ, દુધથી બનેલી મિઠાઇનો ભોગ અર્પણ કર્યા બાદ લક્ષ્મીની ધુપ અને ઘી ના દીવાથી આરતી કરી અહીં બતાવેલા ખાસ ઉપાય કરો.



પૂજા બાદ આ સરળ ઉપાય છે – પોતાની રાશિ પ્રમાણે અમુક વિશેષ મંત્રોનો જાપ. પૂર્વ દિશામાં મો રાખીને લાલ આસન પર બિરાજો. તુલસી કે ચંદનના દાણાની માળાથી અહીં બતાવેલા 12 રાશિઓ માટેનાં લક્ષ્મી શુભ મંત્ર તમને પૈસાની તંગીથી દુર રાખશે.



મેષ (અ. લ. ઇ.), વૃશ્વિક (ન. ય.) - ऊँ ऐं क्लीं सौं:



વૃષભ (બ. વ. ઉ.), કર્ક (ડ. હ.) - ऊँ ऐं क्लीं श्रीं



મિથુન (ક. છ. ઘ.) - ऊँ क्लीं ऐं सौं:



સિંહ (મ. ટ.) - - ऊँ ह्रीं श्रीं सौं:



કન્યા (પ. ઠ. ણ.) - ऊँ श्रीं ऐं सौं:



તુલા (ર. ત.)- ऊँ ह्रीं क्लीं श्री



ધન (ધ. ફ. ભ. ઢ.) અને મીન (દ. ચ. ઝ. થ.) - ऊँ ह्रीं क्लीं सौं:



મકર(ખ. જ.) - ऊँ ऐं क्लीं ह्रीं श्रीं सौं:



કુંભ (ગ. શ. ષ. સ.) - ऊँ ह्रीं ऐं क्लीं श्रीं

માતાજીની મૂર્તિ અને ફોટોને મૂકતા પહેલા આટલુ ધ્યાન રાખજો

નવરાત્રિ દેવી દુર્ગાની આરાધનાનો પર્વ છે. નવરાત્રિમાં બધા લોકો માતા દુર્ગાની મૂર્તિ લાવે છે અને પ્રાણ પ્રતિષ્ઠા કરી ઘરમાં સ્થાપિત કરે છે. કેટલાક લોકો માતાજીનો ફોટો લાવે છે પરંતુ આ બધુ કરતા પહેલા એક વાતને ધ્યાન રાખો કે માતાજીની મૂર્તિ ઘરમાં ક્યાં સ્થાપિત કરવી અને કંઈ દિશામાં ફોટો લગાવો? જો વાસ્તુ પ્રમાણે આ વાતનું ધ્યાન ન રાખવામાં આવે તો ઘરમાં અશાંતિ, કલેશ થવા લાગે છે અને ધીરે-ધીરે લક્ષ્મીજી તે ઘરમાંથી ચાલી જાય છે.

જાણો કંઈ વાતનું ધ્યાન રાખશો અને શા માટે?

-ઘરમાં માતાજીની મૂર્તિ એવી જગ્યાએ રાખો જ્યાં પવિત્રતાનું ધ્યાન રાખવામાં આવતું હોય.

-પૂજા ઘરમાં એવી જગ્યાએ મૂર્તિ સ્થાપિત કરો જે ઘરના ઈશાન ખૂણામાં હોય.

-પૂર્વ દિશામાં મૂર્તિ એવી મૂર્તિ રાખો કે જેનું મુખ પશ્ચિમ દિશામાં હોય.

-દુર્ગાજીની મૂર્તિ ઉત્તર દિશામાં સ્થાપિત કરી શકો છો.

-માતા કાલીની મૂર્તિ ઘરમાં લાવવાથી બચવું. જો લાવ્યા હોવ તો ઉત્તર દિશામાં રાખો.

-ઉત્તર દિશાની દિવાલ ઉપર કાલિકા માતાનો ફોટો લગાવો તો તમારા ઘરના રોગો અને દરેક પ્રકારના દોષો દૂર થઈ જશે.

-માતા દુર્ગાની અષ્ટભૂજાવાળી તસ્વીર પૂર્વ દિશામાં રાખો તેનાથી તમારા ઘરની સમૃદ્ધિ વધશે.

-દુર્ગા દેવીના ત્રણેય સ્વરૂપોની તસ્વીર ઈશાન ખૂણામાં લાગવો પરંતુ ધ્યાન રાખવું કે મૂર્તિ ઉપર ફોટો ન લગાવો.

-માતાજીની મૂર્તિથી ઉપર પૂર્વજોના ફોટા ન રાખવા.

Thursday, 22 September 2011

માઈન્ડ આઉટ ઓફ કંટ્રોલ? મન પણ કાબુ કરે આ મંત્ર

માણસનું મન ખૂબ જ ચંચળ હોય છે. તેની ગતિ ખૂબ જ અદભૂત હોય છે એટલા માટે કહેવાય છે કે મન ઉપર કાબૂ પ્રાપ્ત કરવો મુશ્કેલ જ નહીં અશક્ય છે. પરંતુ મંત્ર શક્તિ દ્વારા મન ઉપર આસાનીથી કાબૂ મેળવી શકાય છે. આ મંત્ર આ પ્રકારે છે.

મંત્રઃ-

ऊँ श्रीं गुं स्फुरदमृत रूचये गुं श्री ऊँ नम:

જાપ વિધિઃ-


-આ ઉપાય કોઈપણ ગુરુવારના દિવસથી શરૂ કરી શકો છો.

-સવારે વહેલા ઊઠી પીળા કપડાં ધારણ કરો તથા દીવો પ્રગટાવી પૂર્વ દિશા તરફ મો કરી કુશના આસન ઉપર બેસી જાઓ.

-મંત્ર જાપ માટે સફેદ હકીકની માળાનો ઉપયોગ કરો.

-21 દિવસ સુધી આ પ્રયોગ કરો.

-22મા દિવસે આ માળાને ધારણ કરી લો.

-થોડા જ દિવસોમાં તમારું મન કંટ્રોલમાં આવી

શું તમે તમારા દુર્ભાગ્યને સૌભાગ્યનાં બદલવા માંગો છો? તો આ કરો

દરેક માણસ પોતાનાં દુર્ભાગ્યથી પીછો છોડાવવા માંગે છે પરંતુ દુર્ભાગ્યથી પીછો છોડાડવો એટલો સરળ નથી કારણ કે જ્યારે ખરાબ સમય હોય તો પડછાયો પણ સાથ છોડી દે છે જો તમે પણ ઇચ્છતાં હોવ કે તમારુ દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલાઇ જાય તો નીચે લખેલા આ ઉપાય કરો. આ ઉપાય તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી નાખશે.

ઉપાય

1 – વડના પાનને ગુરૂ પુષ્ય કે રવિ પુષ્ય યોગમાં લાવીને તેના પર હળદરથી સ્વસ્તિક બનાવીને ઘરમાં રાખો.

2 – ઘરનાં મુખ્ય દ્વાર પર ભગવાન શ્રીગણેશની પ્રતિમા અથવા ચિત્ર એ પ્રકારે લગાડો કે તેમનુ મો ઘરનાં અંદરની તરફ રહે. તેના પર સવારે દુર્વા ચોક્કસ અર્પણ કરો.

3 – ધન સંબંધી કાર્ય સોમવારે અને બુધવારે કરો.

4 – નવા કાર્ય, વ્યવસાય, નોકરી, રોજગાર વગેરે શુભ કાર્યો માટે બહાર જતા સમયે ઘરની કોઇ મહિલાએ એક મુઠ્ઠી કાળા અડદ તે વ્યક્તિની ઉપરથી ઉતારીને તે જમીન પર છોડી દો તો દરેક કાર્યમાં સફળતા મળશે.

5 – ગરીબ, અસહાય, રોગી અને કિન્નરોની સહાયતા દાન સ્વરૂપ અવશ્ય કરો. જો સંભવ હોય તો કિન્નરોને આપેલા પૈસામાંથી એક સિક્કો પાછો લઇને પોતાના કેશ બોક્સમાં કે લોકરમાં રાખો. તેનાથી બહુ લાભ થશે.

6 – કાળી હળદરની એક ગાંઠ શુભ મુહૂર્તમાં પ્રાપ્ત કરી પોતાના ઘરમાં, વ્યવસાયી પોતાના કેશ બોક્સમાં તથા વેપારી પોતાના ગલ્લામાં રાખો.

રવિ પુષ્ય નક્ષત્રનાં શુભ મુહૂર્તમાં બહેડાની જડ કે પત્તા તથા શંખપુષ્પીની જડને લાવીને ઘરમાં રાખો. ચાંદીના ડબ્બામાં રાખો તો વધુ શુભ ગણાશે.

આ ચમત્કારીક મંત્ર સાથેનું સ્નાન, તો તમને પણ ઘરબેઠા પુણ્ય આપે

તીર્થસ્થાન મન, વચન અને કર્મના દોષ અને પાપોને દૂર કરનાર માનવામાં આવે છે
- સ્નાનથી માત્ર શરીરની શુદ્ધિ જ નથી થતી, પણ તે મનમાં પવિત્ર ભાવ પેદા કરે
ધાર્મિક પરંપરાઓમાં પવિત્રતા માટે સ્નાનનું ખૂબ જ મહત્વ છે. સ્નાનથી માત્ર શરીરની શુદ્ધિ જ નથી થતી, પણ તે મનમાં પવિત્ર ભાવ પેદા કરે છે. શરીર અને મન એવી જ પવિત્રતા અને તાજગીથી કાર્ય અને સંકલ્પ વગર બાધાએ પૂરી થાય છે એટલું જ ન નહીં પણ શ્રેષ્ઠ પરિણામ પણ આપે છે.

શાસ્ત્રોમાં અનેક પ્રકારના સ્નાન બતાવવામાં આવ્યા છે. જેમાં તીર્થસ્થાન મન, વચન અને કર્મના દોષ અને પાપોને દૂર કરનાર માનવામાં આવે છે. પરંતુ આજે કઠીનાઈથી ભરેલા જીવનની ભાગદોડમાં ધર્મ અને ઇશ્વરમાં આસ્થા રાખનાર અનેક વ્યક્તિ લોકો માટે નિયમિત રીતે તીર્થ સ્થાને જવું કે તીર્થસ્નાન કરવું શક્ય નથી હોતું. સનાતન ધર્મ પરંપરાઓમાં બતાવેલા કેટલાક ઉપાય ધર્મ પાલનની આવી જ કામનાઓને પૂરા કરે છે.

એક એક ઉપાય છે-સ્નાન મંત્ર. જેને કોઈપણ વ્યક્તિ ઘરે જ નિયમિત રીતે સ્નાન કરતી વખતે મનો મન કે બોલીને સ્મરણ કરે તો તેને એ જ પુણ્ય અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. જે તીર્થ સ્થાને સ્નાન કરવાથી પુષ્ણ પ્રાપ્ત થાય છે.

જાણો આ મંત્રને—

वक्रतुंड महाकाय कल्पान्तदहनोपम।

भैरवाय नमस्तुभ्यं ह्मनुज्ञां दातुमर्हसि।।

गंगे च यमुने चैव गोदावरी सररस्वती।

नर्मदे सिन्धु कावेरी जलेस्मिन सन्निधिं कुरू।।

શ્રાદ્ધમાં તમે આ સાધારણ ઉપાયથી પિતૃઓને કરો પ્રસન્ન

ભારતીય સંસ્કૃતિ પુનર્જન્મ ઉપર વિશ્વાસ કરે છે એટલે આપણે ત્યાં પિતૃદોષને માનવામાં આવે છે. જ્યારે પરિવારમાં કોઈપણ પ્રકારની ઉન્નતિ ન થતી હોય અને સફળતામાં લગાતાર અડચણો આવતી હોય તો તેનું એક કારણ પિતૃદોષ પણ હોઈ શકે છે. જો તમારી સાથે પણ આવી સમસ્યાઓ હોય તો નીચે લખેલ ઉપાય જરૂર અપનાવો. તેનાથી ચોક્કસ પણે પિતૃદોષમાં કમી આવશે.

-પોતાના માતા-પિતા અને વડીલોનું સન્માન કરો.

-સૂર્યને પિતા માનવામાં આવ્યા છે. એટલે તાંબાના લોટામાં જળ ભરી તેમાં લાલ ચંદનનો ચૂરો, રોળી, લાલ પુષ્પના પાના નાખી સૂર્યને અર્ધ્ય આપો. અગિયારવાર ऊँ घृणीं सूर्याय नम: મંત્રનો જાપ કરો. તેનાથી પિતૃ પ્રસન્ન થાય છે.

-પિતૃઓની પ્રસન્નતા માટે રોજ મંદિરમાં બે અગરબત્તી સળગાવો.

-પક્ષિઓને દાણા નાંખો.

-શિવ મંદિરમાં શિવલિંગ ઉપર કાચૂ દૂધ મિશ્ચિત કરી જળ અને બીલીપત્ર ચઢાવો.

-રુદ્રાક્ષની માળાથી ऊँ नम: शिवाय મંત્રનો નિયમિત રીતે જાપ કરો.

સોમવારથી જાણો ગુરુથી તમારા જીવન ઉપર કેવો પ્રભાવ પડે છે?

શિવનું નામ માત્ર જ જીવનને સુધારવાનો મહામંત્ર છે કારણ કે તેઓ કલ્યાણકર્તા જ નહીં પણ પરોપકાર અને કલ્યાણના ભાવની પ્રેરણા અને ઊર્જાથી ભરી દેનારા છે. શાસ્ત્રોમાં બતાવેલ શિવ ચરિત્ર અદભૂત ગુણ, શક્તિઓ અને મહિમાથી ભરપૂર હોય ત્યારે પણ વૈરાગ્યથી સંપન્ન છે.

શિવના આ ચરિત્રમાં શિવ પરિવારમાં સામેલ છે. કારણ કે ગૃહસ્થ જીવન માટે શિવ અને તેમનો પરિવાર વિપરિત પરિસ્થિતિઓથી તાલમેળ અને સંતુલન બેસાડી દરેક મુશ્કેલીઓથી પાર ઊતરવાનો સંદેશ આપે છે. શિવ પરિવારના પ્રાણી વાહનોના સ્વાભાવિક શત્રુઓ હોય ત્યારે પણ સાથે રહેવાનું તેનું પ્રમાણ છે. આ પ્રકારે શિવ પરિવારના દરેક સદસ્ય અર્થાત્ માતા પાર્વતી, ગણેશ અને કાર્કિકેયની ભક્તિ સંકટમોચક અને શક્તિ સંપન્નતા પ્રદાન કરનારી છે.

આ કારણે જ શિવ ઉપાસનાનો વિશેષ દિવસ સોમવાર, વ્યર્થ પરેશાનીઓથી છૂટકારો અને કામના સિદ્ધિ માટે ભક્તોની વચ્ચે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે વ્રત અને પૂજા શુભ માનવામાં આવે છે. સોમવારે વ્રત શક્ય ન હોય તો શાસ્ત્રોમાં બતાવેલ પૂજાના કેટલાક સરળ ઉપાય શિવપૂજામાં અપનાવવા તે પણ કષ્ટનો અંત કરનાર માનવામાં આવ્યા છે. જાણો આ આસાન ઉપાય....

-પારિવારિક અંશાંતિ અને તણાવ દૂર કરવા માટે ગાયના દૂધથી શિવ અભિષેક ખૂબ જ મંગળકારી છે.

-કામ, આજીવિકા, નોકરીમાં પ્રગતિ અને સારા રોજગારની કામના હોય તો શિવલિંગનું મધની ધારાથી અભિષેક કરો.

-લાંબી તથા લાઇલાજ બીમારીથી તંગ હોવ તો પંચમુખી શિવલિંગ ઉપર તીર્થ અને જળ અર્પિત કરવાથી રોગમુક્તિ થઈ શકાય છે.

-માન્યતાઓમાં શિવને ભાંગ પ્રેમી પણ માનવામાં આવે છે. દૂધમાં ભાંગ મેળવી માનસિક પરેશાનીઓથી મુક્તિ મેળવો.

-સોમવાર કાલસર્પ દોષ શાંતિ માટે ખૂબ જ શુભ છે એટલે તેની માટે જવાબદાર રાહુ ગ્રહના 18000 મંત્ર જાપ કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવો, અથવા કરો,

-આ બધા ઉપાયોમાંથી કોઈપણ ન કરી શકો તો ઓછમાં ઓછા સોમવારે શિવને પાવન જળ અને બીલીપત્ર જ અર્પિત કરો, તેનાથી જીવનમાં થઈ રહેલી દરેક ઉથલ-પાથલ શાંત થઈ જશે,

દરેક ઉંમરના લોકોને યશ અને સફળતા અપાવે છે આ 5 વાતો

યશ અને સફળતા એવી સંજીવની બૂટી છે, જેને મળતા જ માણસ ઉત્સાહ, જોશ, ઉંમગ અને ઊર્જા રૂપી પ્રાણશક્તિથી લાબાલબ થઈ જાય છે. તેનાથી માણસના કર્મ, વિચાર અને વ્યવહારને સકારાત્મક દિશા મળે છે.

હિન્દુ ધર્મગ્રંથોમાં સફળ અને યશસ્વી જીવન જીવવા માટે જ માણસની ઉંમરના ચાર ભાગોમાં વહેંચીને ચાર આશ્રામ ધર્મ બતાવવામાં આવ્યા છે. ઉંમરની એક નિયત અવસ્થા અને કર્મ આ આશ્રામ ધર્મને નિભાવવા માટે નક્કી કરાયેલા છે. જે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સન્યાસ આશ્રમના રૂપમાં ઓળખવામાં આવે છે.

શાસ્ત્રોમાં અલગ-અલગ ઉંમર અને કર્મ સાથે સંબંધિત હોવાને લીધે આ પાંચ વાતો એવી બતાવવામાં આવી છે જે દરેક આશ્રમના સામાન્ય ધર્મ માનવામાં આવી છે. આધુનિક જીવનની દ્રષ્ટિએ ઉંમરના દરેક પડાવ ઉપર આ વિશેષ વાતો યશ અને સફળતા સુનિશ્ચિત કરી દે છે જાણો આ 5 વાતો....

લખવામાં આવ્યું છે કે...

अहिंसा सूनृता वाणी सत्यशौचे क्षमा दया।

वर्णिनां लिंगिनां चैव सामान्यो धर्म उच्यते।।


આ શ્લોકમાં શીખ એ છે કે દરેક અવસ્થા અને સ્થાનમાં સુખી રહવા માટે નીચે લખેલ પાંચ વાતો અપનાવવી જરૂરી છે.

1 - અહિંસાઃ- વાણી, વિચાર અને કર્મથી અહિંસા

2- મધુર અને સત્ય વાણીઃ- મીઠુ અને સત્ય બોલવું.

3- પવિત્રતાઃ- તન, મન, વિચાર, વ્યવહાર અને આચરણમાં શુદ્ધતાનું સ્થાન.

4- ક્ષમાઃ- કટુ વ્યવહાર, અપમાન કે હાનીથી પ્રતિશોધનો ભાવ ન આવવા દેવો અર્થાત્ માફકરી દેવું.

5- દયાઃ- બધા માટે સંવેદના અને ભાવનાઓને મન-મસ્તિસ્ક, કર્મમાં સ્થાન આપવું.

રૂપિયા ને નોકરી, તમને બધુ મળશે, પણ આ વાત ધ્યાન રાખજો

- જે પણ ભગવાનના સાચા ભક્ત છે તેમને ભરણ-પોષણ, ધન, ખાવાનું વગેરેની ચિંતા ન કરવી જોઈએ
- સુખનો સમય આવશે ત્યારે સુખ ચોક્કસ મળશે અને જ્યારે દુઃખનો સમય આવશે ત્યારે તેને પણ કોઈ રોકી નથી શકવાનું


મોટાભાગના યુવાનોની પહેલી ઈચ્છા હોય છે કે તેમની પાસે ખૂબ જ રૂપિયા-પૈસા હોય, સારી નોકરી હોય. તેની માટે તેઓ કઠિન મહેનત પણ કરે છે. તેમ છતાં ઘણા લોકોને નિરાશા હાથ લાગે છે. જ્યારે તેમને કઠિન મહેનત કરવા છતાં પણ યોગ્ય ફળ પ્રાપ્ત થતું નથી એવી વખતે માનસિક તણાવ વધી જાય છે અને કામમાં મન નથી લાગતું.

કોઈ પણ વ્યક્તિને સફળતા મળશે કે અસફળતા તે કોઈ જાણી નથી શકતું. ઘણીવાર પૂરી મહેનત કર્યા પછી પણ કામ પૂર્ણ નથી થતા, સફળતા નથી મળતી. આપણે ક્યારે સફળતા મળશે અને ક્યારે નહીં આ બાબતે સંત કબીરના દોહા ખૂબ જ પ્રચલિત છે.

अंडा पालै काछुई, बिन थन राखै पोख।
यौं करता सबको करै, पालै तीनों लोक।।


આ દોહાનો અર્થ છે કે જે પ્રકારે કચ્છપી માત્ર ધ્યાન રાખીને ઈંડાનું પોષણ કરે છે, એ જ રીતે ભગવાન પણ ત્રણ લોકના જીવોનું પાલન-પોષણ ધ્યાન રાખીને જ કરે છે.

-પૈસા જમા કરવાની બાબતે કબીર કહે છે કે...

हरिजन गांठि न बांधही, उदर समाना लेय।
आगे पीछे हरि खड़े, जो मांगे सो देय।।


આ દોહાનો અર્થ છે કે ભક્તોનું ધ્યાન સ્વયં ભગવાન રાખે છે. જે પણ ભગવાનના સાચા ભક્ત છે તેમને ભરણ-પોષણ, ધન, ખાવાનું વગેરેની ચિંતા ન કરવી જોઈએ. આથી વ્યક્તિએ ધન વગેરેનો સંગ્રહ પણ ન કરવો જોઈએ. સાચા ભક્તની સાથે હંમેશા ભગવાન રહે છે. જ્યારે-જ્યારે આપણે કોઈ પણ વસ્તુ, ધન વગેરેની જરૂરિયાત હોય છે ભગવાન તરત જ તેમની મનોકામના પૂરી કરી દે છે.

આપણને મળતા સુખ અને દુઃખનો નિર્ધારિત સમય છે. જ્યારે સુખનો સમય આવશે ત્યારે સુખ ચોક્કસ મળશે અને જ્યારે દુઃખનો સમય આવશે ત્યારે તેને પણ કોઈ રોકી નથી શકવાનું.

એવું માનવામાં આવે છે કે સમય કરતા પહેલા અને ભાગ્યથી વધુ કશું જ કોઈ વ્યક્તિને પ્રાપ્ત થતું નથી. ભગવાનનું ધ્યાન કરતા-કરતા આપણને કઠોર મહેનત કરવી જોઈએ.

પીપળાની નીચે બોલો આ પિતૃ મંત્ર.. દરેક મુશ્કેલીઓ થશે છૂમંતર



શાસ્ત્રો પ્રમાણે આર્થિક,શારીરિક કે માનસિક મુશ્કેલીઓ પાછળ પિતૃદોષનાં સંકેત હોઇ શકે છે.

 જેના માટે પિતૃપક્ષ કે અમાસ જેવી તિથિઓ પર શ્રાદ્ધ કર્મ, તર્પણ અચૂક ઉપાય છે. પરંતુ જો આવા કર્મોને કરવા માટે જો સમય અને નાણાંની તંગી રહેતી હોય તો એક સરળ ઉપાય છે જે માત્ર તમને પિતૃદોષથી મુક્તિ જ નહીં, પણ તે સાથે ઘર-પરિવારને સુખ સમૃદ્ધિ પણ બક્ષશે. આ  સરળ ઉપાય છે પીપળા કે વડની પૂજા. . પીપળો એ ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ છે.શાસ્ત્રોમાં પિતૃને ભગવાન વિષ્ણુનું રૂપ માનવામાં આવ્યું છે. આ માટે આ સરળ ઉપાયથી શ્રાદ્ધ પક્ષમાં પીપળાની પૂજા કરવાથી પિતૃ ઋણ ઉતરે છે અને તેમની કૃપા મળે છે.

 - શ્રાદ્ધ પક્ષમાં પીપળાનાં વૃક્ષની ગંધ, અક્ષત, તલ અને ફૂલ ચઢાવીને પૂજા કરો. દુધ કે દુધથી મેળવેલું જળ ચઢાવીને પીપળાની નીચે ગાયનાં ઘીનો દીવો પ્રગટાવો. દુધથી બનેલ ખીરનો ભોગ લગાડો.

- દીવો સળગાવીને પીપળાની નીચે સ્વચ્છ સ્થાન પર કુશનું આસન બિછાવીને પિતૃઓની નીચે લખેલા મંત્રથી સ્મરણ કરો. ચંદનની માળાથી આ મંત્રની 1, 3 કે 5 માળા કરી વિષ્ણુ આરતી કરો -

ॐ ऐं पितृदोष शमनं हीं ॐ स्वधा

- આરતી કરી પીપળાની પૂજાનું જળ ઘરમાં લાવીને છાંટો તથા પ્રસાદ અને ઘર-પરિવારનાં સભ્યોમાં વહેંચો.

મગજ પાસે સ્પીડમાં કામ લેવા માટે, સવારે બોલો આ મંત્ર

દરરોજ સરસ્વતીમંત્રનું સ્મરણ ભરપૂર માનસિક શક્તિ આપી સફળતાની ઊંચાઈએ પહોંચાડે છે
બુદ્ધિ એવી શક્તિ છે જે દરેક માણસની પાસે મોજુદ રહે છે. પરંતુ આ તાકાતના યોગ્ય ઉપયોગથી જ સફળતાના નાવા મુકામ મેળવવા શક્ય બનાવી શકાય છે. નહીંતર બુદ્ધિની ધાર નબળી પડવાથી અસફળતા અને નિરાશાઓ આપણા ભાગમાં આવે છે. તેનાથી બચવા માટે જ્ઞાન અને વિદ્યા પ્રાપ્તિ ખૂબ જ જરૂરી છે.

ધાર્મિક ઉપાયોમાં માતા સરસ્વતી જ્ઞાન, બદ્ધિ, વિદ્યા, વાણી અને કલાની દેવી માનવામાં આવે છે. જેની ઉપાસનાથી માનસિક શક્તિ મળે છે સાથે-સાથે દક્ષતા અને નિર્ણય ક્ષમતામાં વધારો થાય છે જેના લીધે સફળતાની નવી ઊંચાઈઓ સુધ પહોંચવું ખૂબ જ આસાન બની જાય છે.

માતા સરસ્વતીની ઉપાસના માટે પંચમી તિથિ શુત્ર માનવામાં આવે છે. પરંતુ બુદ્ધિ અને સફળતાની કામનાથી દરરોજ આ એક વિશેષ મંત્ર દ્વારા માતા સરસ્વતીનું ધ્યાન ખૂબ જ મંગળકારી માનવામાં આવે છે.

-સવારે સ્નાન કર્યા બાદ સફેદ વસ્ત્ર પહેરી માતા સરસ્વતીની મૂર્તિ કે તસ્વીરને કેસર કે સફેદ ચંદન, અક્ષત, કેસરિયા કે પીળા ફૂલો માતાને અર્પિત કરો.

-માતાને દૂધ કે તલ અને સૂકા મેવાથી બનેલ પકવાનોનો ભોગ લગાવો. સુગંઘિત ધૂપ અને દીપ પ્રગટાવી મહાસરસ્વતીના નીચે લખેલા બીજમંત્રો આસન ઉપર બેસી યથાશક્તિ વધુમાં વધુ વાર જાપ કરો. તુલસી કે ચંદનની માળાથી આ મંત્રોનો જાપ બુદ્ધિ અને વિવેકથી સફળતાની કામનાની સાથે કરો...

ॐ ऐं नम:

-પૂજા અને મંક્ષ પછી આરતી કરી દેવીને ચઢાવેલ ખીર પોતે અને પરિજનોને પ્રસાદ તરીકે વહેંચો

અદભુત મંત્ર, જે તમને પિતૃદોષથી મુક્તિ અપાવશે

ધર્મ શાસ્ત્રો અનુસાર મંત્રોમાં એટલી શક્તિ હોય છે કે તે દરેક પ્રકારની બાધાઓનો નાશ કરે છે, જો મંત્રને પુરા વિધિ-વિધાનથી કરવામાં આવે તો કોઇ દોષ કે બાધા એવી નથી કે તેનું નિવારણ ના થઇ શકે. અહીં નીચે એક એવો મંત્ર આપ્યો છે કે જેનો જાપ કરવાથી પિતૃદોષમાં અપ્રત્યક્ષપણે ઓછો થાય છે અને પિતૃ પ્રસન્ન થઇ આશીર્વાદ આપે છે. પિતૃપક્ષમાં આ મંત્રનો જાપ શ્રેષ્ઠ રહે છે તે સિવાય પ્રત્યેક માસની અમાસની તિથિ પર પણ આ મંત્રનો જાપ કરી શકો છો.

મંત્રऊँ सर्व पितृ प्रं प्रसन्नों भव ऊँ

જપવિધિ

- પિતૃપક્ષમાં દરરોજ અથવા દર માસની અમાસની તિથિએ સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે નિત્ય કર્મથી નિવૃત્ત થઇને ભગવાન સૂર્ય નારાયણની તરફ મો કરીને તેનું પૂજન કરો અને અઘ્ર્ય આપો.

- તેના પછી કુશનાં આસન પર બેસીને રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરો.

- ઓછામાં ઓછી 5 માળાનો જાપ અવશ્ય કરો.

- એક જ આસન, એક જ માળા અને નિશ્ચિત સમયે કરેલા મંત્રજાપથી ત્વરિત લાભ થાય છે.

શનિની આંગળી ગુરુની આંગળી જેટલી હોય તો..?



જો શનિની આંગળીનું વચ્ચેનું પર્વ પ્રમાણમાં સમ લંબાઇ ધરાવતું હોય તો તે વ્યક્તિમાં ટેક્નિકલ જ્ઞાન પણ સારું એવું રહેલું જોવા મળે છે. તેમજ તેને કોઇ મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં પણ વધુ ફાયદો થતો હોવાનું જણાય છે. આ પ્રકારની વ્યક્તિઓ જમીનમાં રહેલ જુના અવશેષો પણ તેઓમાં રહેલી ઇશ્વરદત્ત શક્તિને આધારે શોધી કાઢતા હોય છે.

જો શનિનો ઉપલો પર્વ પ્રમાણમાં સંતોષકારક હોય તો તે વ્યક્તિ પ્રમાણમાં વધુ પડતી લાગણીશીલ હોવાનું જણાય છે. જોકે, તેના સમાજમાં તેની પોતાની પ્રતિષ્ઠા પણ સારી હોવાનું જણાય છે. તેમજ તેઓની બુદ્ધિમત્તાનું પ્રમાણ પણ ઊંચું હોવાનું જણાય છે.

જો શનિની આંગળી ગુરુની આંગળી જેટલી હોય તો તે વ્યક્તિ માટે હાનિકારક હોવાનું જણાય છે. જો તે ગુરુની આંગળી જેટલી હોય તો તેની ઊંચાઇ ઓછી હોવાનું જણાય છે. તેને કારણે તે વ્યક્તિમાં જોહુકમી ચલાવવાની પણ ટેવ આવતી હોવાનું જણાય છે.

આ વખતે શનિની આંગળી વિશે વાત કરીશું, જેને હસ્તરેખામાં મધ્યમા તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ આપણે તેનાં પર્વો (વેઢા) અંગેનો વિચાર કરીશું. શનિની આંગળી શનિના પર્વતની ઉપર આવેલી હોવાથી તે શનિની આંગળી તરીકે ઓળખાય છે. શનિની આંગળીના નીચેના પર્વ અંગે જો વિચારીએ તો જો તે પ્રમાણમાં વધુ લાંબો હોય તો તે વ્યક્તિ બોલવામાં તેમજ વાતચીતમાં ખૂબ જ કુશળ, સહનશક્તિનું પ્રમાણ પણ વધુ હોવાનું જણાય છે. તેમજ તે પોતે પોતાની આજીવિકા ઊભી કરવામાં ખૂબ જ કુશળ હોવાનું જણાય છે.

જો શનિની આંગળીનું વચ્ચેનું પર્વ પ્રમાણમાં સમ લંબાઇ ધરાવતું હોય તો તે વ્યક્તિમાં ટેક્નિકલ જ્ઞાન પણ સારું એવું રહેલું જોવા મળે છે. તેમજ તેને કોઇ મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં પણ વધુ ફાયદો થતો હોવાનું જણાય છે. આ પ્રકારની વ્યક્તિઓ જમીનમાં રહેલ જુના અવશેષો પણ તેઓમાં રહેલી ઇશ્વરદત્ત શક્તિને આધારે શોધી કાઢતા હોય છે. જો શનિની આંગળીનો મધ્ય પર્વ પ્રમાણમાં સંતોષકારક હોય તો તે વ્યક્તિને જ્યોતિષ જેવા વિષયોમાં પણ ખૂબ જ અભિરુચિ રહેવા જણાય છે. તેઓમાં એક નકારાત્મક ગુણ પણ જોવા મળે છે તે આંધળો વિશ્વાસ કોઇ પણ વ્યક્તિ ઉપર સરળતાથી મૂકી શકે છે.

જો શનિનો ઉપલો પર્વ પ્રમાણમાં સંતોષકારક હોય તો તે વ્યક્તિ પ્રમાણમાં વધુ પડતી લાગણીશીલ હોવાનું જણાય છે. જોકે, તેના સમાજમાં તેની પોતાની પ્રતિષ્ઠા પણ સારી હોવાનું જણાય છે. તેમજ તેઓની બુદ્ધિમત્તાનું પ્રમાણ પણ ઊંચું હોવાનું જણાય છે. જોકે, અહીં તેઓ સમયપાલનના પણ ચુસ્ત આગ્રહી હોવાનું જણાય છે. તેઓ જ્યારે કોઇ પણ નિર્ણય કરતા હોય છે ત્યારે તેઓનો નિર્ણય અડગ રહેતો હોવાનું જણાય છે. સમાજની સહેજ પણ દરકાર રાખતા હોતા નથી. જોકે, અહીં તેઓ પ્રમાણમાં સ્વતંત્ર વિચારસરણીના પણ હોવાનું જણાય છે.

જો મધ્યમાનો આગળનો ભાગ શંકુ આકારનો હોય તો તે વ્યક્તિને માઇન્સ તેમજ એગ્રીકલ્ચરના ક્ષેત્રમાં વધુ સૂઝ હોવાનું જણાય છે. તેમજ તેઓ સતત કાર્યશીલ પણ રહેતા હોવાનું જણાય છે. જો શનિની આંગળીનો આગળનો ભાગ પ્રમાણમાં ચોરસ હોય તો તે વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રમાણમાં ગંભીર પણ હોવાનું જણાય છે. જોકે, આ પ્રકારના વ્યક્તિઓને મેડિકલ ક્ષેત્રમાં પણ ફાવટ આવતી હોવાનું જણાય છે. જો શનિની આંગળી આગળથી પ્રમાણમાં ચપટી હોય તો તે વ્યક્તિ આર્થિક રીતે થોડી મુશ્કેલીમાં પણ આવતી હોવાનું જણાય છે. તેનામાં રહેલી કળાનો પણ તે જોઇએ તેટલા પ્રમાણમાં યોગ્ય ઉપયોગ કરી શકતી નથી.

જો શનિની આંગળી ગુરુની આંગળી જેટલી હોય તો તે વ્યક્તિ માટે હાનિકારક હોવાનું જણાય છે. જો તે ગુરુની આંગળી જેટલી હોય તો તેની ઊંચાઇ ઓછી હોવાનું જણાય છે. તેને કારણે તે વ્યક્તિમાં જોહુકમી ચલાવવાની પણ ટેવ આવતી હોવાનું જણાય છે. પોતે કંઇ પણ કામ ન કરવા છતાં તેને ઘણું કામ કર્યું હોવાનો ખોટો ઢોંગ પણ કરતો હોવાનું જણાય છે. તેમજ તે પોતે પોતાના ધર્મમાં સહેજ પણ શ્રદ્ધા રાખતો નથી. જો તેની જીવનરેખા પ્રમાણમાં યોગ્ય ન હોય તો તે વ્યક્તિનું મૃત્યુ આત્મહત્યા અથવા તો કોઇ મોટી દુર્ઘટનામાં પણ થવા જણાય છે. તેમજ તેનો સ્વભાવ પણ પ્રમાણમાં મહત્વાકાંક્ષી હોવાનું જણાય છે.

શનિની આંગળી ગુરુની આંગળી કરતાં સહેજ મોટી હોવી જોઇએ તેવો શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. તેનાથી તે વ્યક્તિને દરેક કાર્યોમાં અભિરુચિ રહેવા જણાય છે. તેમજ તેને અલગ અલગ વિષયોની જાણકારી રાખવાની પણ ટેવ રહેલી હોવાનું જણાય છે. તેમજ તે પોતે બુદ્ધિશાળી હોવાથી પોતાના ક્ષેત્રમાં તે ખૂબ જ પ્રગતિ કરે છે. જોકે, અહીં તે પોતે એકાન્તપ્રિય હોવાનું પણ જણાય છે. તેમજ તેના સ્વભાવમાં પણ તે પોતે દૂરદર્શી હોવાનું જણાય છે.

જો શનિની આંગળી ગુરુ તરફ ઝૂકતી હોય તો તે વ્યક્તિમાં આત્મવિશ્વાસનું પ્રમાણ પણ સારું એવું રહેલું હોવાનું જણાય છે. જો તે સૂર્યની આંગળી તરફ ઝૂકે તો તે વ્યક્તિ પોતાના ભાગ્ય ઉપર જ આશ્રિત રહેતો હોવાનું જણાય છે. જો વ્યક્તિની હથેળીમાં રહેલી ભાગ્યરેખા શનિની આંગળીના ત્રીજા પર્વમાં પ્રવેશતી હોય તો તે વ્યક્તિ માટે નકારાત્મક નિશાની છે. જો શનિની આંગળી સીધી હોય તો તે વ્યક્તિ સાધુ જેવું સાદું જીવન જીવે છે.

તમારા ઘરની સામે આ ઝાડ હોય તો ક્યારેય રૂપિયાની ખોટ નહીં પડે




વૃક્ષો અને છોડના સૌથી મોટા ફાયદા એ છે કે તેમાં ઓક્સિજન ગેસ પ્રાપ્ત થાય છે. તે સિવાય પ્રાકૃતિક દ્રષ્ટિકોણથી પણ ઝાડ-છોડનું સર્વાધિક મહત્વ છે. તેના વગર વાતાવરણનું સંતુલન નથી કરી શકાતું. દરેક પરિસ્થિતિમાં હરિયાળી આપણા માટે ફાયદાકારક જ છે. તેના ફાયદાઓની સાથે જ શાસ્ત્રો પ્રમાણે અનેક ધાર્મિક અને જ્યોતિષિય મહત્વ પણ બતાવવામાં આવ્યા છે.


કેટલાક ઝાડ-છોડ એવા છે જેનાથી આપણે અનેક ચમત્કારિક લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ. જે આપણા ઘર કે ઘરની આસપાસ હોય તો તેના ફાયદા પ્રાપ્ત થાય છે. આ ઝાડ-વૃક્ષોમાં આંકડાના ઝાડ પણ સામેલ છે. જો આ ગ્રહ ઘરની સામે હોય તો ખૂબ જ લાભ પહોંચાડે છે.


શાસ્ત્રો પ્રમાણે આંકડાના ફૂલ શિવલિંગ ઉપર ચઢાવવાથી બધી મનોકામના પૂરી થાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આંકડાનું ઝાડ મુખ્ય દરવાજા ઉપર કે ઘરની સામે જ હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના ફૂલ સામાન્યતઃ સફેદ રંગના હોય છે. વિદ્વાનો પ્રમાણે કેટલાક જૂના આંકડાની જડમાં શ્રીગણેશની પ્રતિકૃતિ નિર્મિત થઈ જાય છે જો કે સાધકને ચમત્કારી લાભ પ્રદાન કરે છે.


જ્યોતિષ પ્રમાણે જે ઘરની સામે કે મુખ્ય દરવાજાની નજીક આંકડાના ઝાડ હોય તો તે ઘર ઉપર ક્યારેય પણ કોઈ નકારાત્મક શક્તિનો પ્રભાવ નથી પડતો. તે સિવાય ત્યાં રહેનાર લોકોને તાંત્રિક બાધાઓ ક્યારેય નથી સતાવતી. ઘરની આસપાસ સકારાત્મક અને પવિત્ર વાતાવરણ બની રહે છે, જો કે આપણે સુખ-સમૃદ્ધિ અને ધન પ્રદાન કરે છે. એવા લોકો ઉપર મહાલક્ષ્મીની વિશેષ કૃપા રહે છે અને જ્યાં-જ્યાંથી લોકો કામ કરે છે ત્યાંથી તેમને ધનલાભ પ્રાપ્ત થાય છે.

જન્માંક પ્રમાણે બેડરૂમમાં કરો આ બદલાવ, પૈસાનો વરસાદ થશે

ઘરમાં પૈસા અને બરકત માટે ન્યુમરોલોજી અને વાસ્તુ વચ્ચે એક અનોખુ કનેક્શન છે.જો ઘરમાં પૈસા અને બરકત લાવવા માંગતા હોવ તો તે માટે ઘરનું વાસ્તુ ન્યુમરોલોજી અનુસાર એટલે કે તમારી ડેટ ઓફ બર્થ અનુસાર રાખવું જોઇએ. આ માટે તમારી ડેટ ઓફ બર્થને જોડો જેના અનુસાર જે અંક આવે તેને તમારો જન્માંક ગણો. જેમ કે તમારી જન્મ તારીખ 21 હોય તો 2+1 =3 ને તમારો જન્માંક ગણો. આ અનુસાર તમે તમારા ઘરનું વાસ્તુ રાખો કે જેથી તમારા ઘરમાંથી લક્ષ્મી ક્યારેય જાય નહિ.

પતિ- પત્નીનાં બેડરૂમમાં ઘરના સ્વામી ગણાતા પતિનાં જન્માંક અનુસાર બેડરૂમનું વાસ્તુ ગણવું.

અંક 1 –

અંક 1 વાળા પોતાના ઘરનો વાસ્તુ દોષ દુર કરવા માટે ઘરનાં શયનકક્ષમાં આ લાલ કે મરૂન રંગોના પડદાઓનો ઉપયોગ કરવો જેનાથી માનસિક તણાવ તો દુર થશે તે સાથે ઘરમાં બરકત બની રહેશે.

અંક 2 –

આ અંકવાળાને પોતાનાં રૂમમાં ઘેરા લીલા રંગથી લઇને ક્રીમ, પીળા, લાલ, સફેદ રંગનાં પડદાઓનો ઉપયોગ કરો. આ રંગના પડદાઓ તમને ધનલાભ કરાવશે.

અંક 3 –

આ અંકનો સ્વામી ગુરૂ હોય છે આ માટે આ અંકવાળાને બરકત અને પૈસા માટે પીળો, કેસરી કે ગુલાબી રંગ પોતાના રૂમનાં પડદા માટે આ રંગને પસંદ કરવા.

અંક 4 –

આ અંકનો સ્વામી રાહુ હોય છે. રાહુના અશુભ પ્રભાવ અને વાસ્તુ દોષ દુર કરવા માટે વાદળી કે સ્લેટિયા રંગના પડદાઓ અંક 4 વાળા માટે શુભ ફળ આપનારો રહેશે.

અંક 5 –

આ બુધનો અંક હોય છે. આ અંકવાળાને પોતાનાં ઘરનાં વાસ્તુદોષ દુર કરવા માટે લીલા, આછો સ્લેટીયો, સફેદ કે આછા ખાખી રંગના પડદાઓનો ઉપયોગ કરવો જોઇએ. આનાથી અંક 5 વાળાના ઘરમાં બરકત બની રહે છે.

અંક 6 –

આ અંકવાળાને શુક્રના કારણે થનારા વાસ્તુદોષને દુર કરવા માટે ગુલાબી, ચોકલેટી, આછા વાદળી, ઘેરા વાદળી રંગના પડદાઓનો ઉપયોગ કરવો જોઇએ જેનાથી ઘરમાંથી લક્ષ્મી ક્યારેય ના જાય.

અંક 7 –

પોતાનાં ઘરનાં વાસ્તુદોષ દુર કરવા માટે આ અંકવાળાને પોતાના અંકના સ્વામી અનુસાર સફેદ, આછા લાલ, આછા પીળા રંગના પડદાઓનો ઉપયોગ કરવો જોઇએ.

અંક 8 –અંક આઠ શનિનો અંક હોય છે આ માટે આ અંકવાળાએ વાસ્તુદોષ દુર કરવા માટે વાદળી, ભુરો, જાંબલી, પીળો કે કાળા રંગના પડદાઓનો ઉપયોગ કરવો જોઇએ.

 અંક 9 –

લાલ અને ગુલાબી રંગના પડદાઓ આ અંકવાળાનાં ઘરનાં વાસ્તુદોષને દુર કરશે. આ અંકવાળા માટે વાસ્તુદોષ દુર થતાં જ ધનલાભનાં યોગ બનવા લાગે છે.

શુક્રવારે બોલો આ લક્ષ્મીમંત્ર, ગાડી હોય કે બંગલો બધુ જ મળશે

મુશ્કેલીઓ કે કોઈપણ પ્રકારની અસુવિધાઓ જીવનમાં પ્રગતિ જ નહીં પણ આત્મવિશ્વાસ ઉપર પણ અસર પાડે છે. મોટાભાગે વ્યાવહારિક જીવનમાં સહજતાનું કારણ શરીર, માનસિક વિચાર કે ધન સાથે જોડાયેલ હોય છે. ખાસ કરીને તન કે મનની પરેશાનીઓ કોઈ રીતે દબાવી લેવામાં આવે છે, પરંતુ ધનનો અભાવ બાહ્ય જીવનને પણ પૂરી રીતે પ્રભાવિત કરે છે અને જોવા પણ મળે છે.

કર્મ, સત્ય અને પરિશ્રમ એવી મુશ્કેલીઓથી છૂટકારો મેળવવાના સૂત્રો છે તો ધાર્મિક દ્રષ્ટિએ દેવી લક્ષ્મીની ઉપાસના દરિદ્રતાને દૂર કરનારી માનવામાં આવે છે. મન, વિચાર અને વ્યવહાર શુદ્ધિની સાથે મહાલક્ષ્મીની પૂજા ઘર-પરિવાર સાથે તન, મન અને ધન સાથે જોડાયેલ બધા કલેશનો અંત કરનારી હોય છે.

દેવી ઉપાસનાનો વિશેષ દિવસ શુક્રવારે શાસ્ત્રોમાં બતાવેલ દેવી મહિમાની દિવ્ય સ્તુતિ શ્રીસૂક્તના એક મંત્ર વિશેષનું ધ્યાન લક્ષ્મીની અપાર પ્રસન્નતા આપનારી માનવામાં આવે છે. આ મંત્ર વિશેષ અહીં બતાવવામાં આવી રહેલ મહાલક્ષ્મીના આસાન ઉપાયો પછી બોલવાથી ધન અર્જનની મુશ્કેલીઓ દૂર કરવાની સાથે તમામ સાંસારિક સુખ-સુવિધાઓની કામનાને પૂરી કરવાની સાથે માનવામાં આવે છે.

-શુક્રવારની સાંજે સ્નાન કર્યા પછી દેવી લક્ષ્મીની ચાંદી, પીત્તળની મૂર્તિ, મૂર્તિ ન હોય તો તસ્વીર કે શ્રીયંત્રની લાલ ચંદન, લાલ અક્ષત, લાલ ફૂલ, લાલ વસ્ત્ર સમર્પિત કરી પૂજા કરો. લક્ષ્મીને ગાયના દૂધથી બનેલ પકવાનોનો ભોગ લગાવો.

-ધૂપ અને દીવો પ્રગટાવી દેવી લક્ષ્મીના શ્રીસૂક્તના આ મંત્રથી ધ્યાન કરી સુખ-સમૃદ્ધિની કામના કરો.

ऊँ आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीम्।

चन्द्रांहिरण्मयीं लक्ष्मीं जातवेदोऽम आवह।।


-લાલ આસાન ઉપર બેસી યથાશક્તિ માળાથી મંત્ર જાપ કરવાનું પણ મંગળકારી હશે. પૂજા અને મંત્ર જાપ પછી માતા લક્ષ્મીની દીપ આરતી કરી પ્રસાગ ગ્રહણ કરો. માતાને ચઢાવેલ છોડા ફૂલ કુંકુ કે ચંદનની તિજોરી ઉપર લગાવો.

દુશ્મનોને કારણે જો ચિંતિંત હો તો આ મંત્રનો જાપ કરો

જો તમારા દુશ્મનોની સંખ્યા વધી ગઇ હોય અને તે તમને સતત હેરાન કરી રહ્યા હોય તો ગભરાશો નહીં. અહીં એક નાનો મંત્ર પ્રયોગથી તમારી દરેક સમસ્યા તરત જ સમાપ્ત થઇ જશે. આ મંત્ર તથા તેની જપ વિધિ આ પ્રકારે છે -


મંત્ર
ऊँ घ्रौं घ्रौं घ्रौं शत्रुनाशाय गं ऊँ फट्

જપ વિધિ

1 - સુદ પક્ષના કોઇ પણ રવિવારનાં આ પ્રયોગથી શરૂઆત કરો. સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે નિત્ય કર્મો પતાવીને મા દુર્ગાની વિધિ- વિધાનથી પૂજા કરો.

2 – જાપ માટે કમલગટ્ટાની માળા તથા કુશના આસનનો ઉપયોગ કરો.

3 – માળા જપતી વખતે દેવી દુર્ગાનું ચિત્ર રાખો તથા શુદ્ધ ઘી નો દીવો સળગતો રાખવો.

4 – આ પ્રયોગ સતત 31 દિવસ સુધી કરો.

5 – અમુક જ દિવસોમાં શત્રુ વિન્રમ થઇ જશે અને તમને તેનાથી કોઇપણ પ્રકારનો ભય નહી રહે.

6 – એક જ સમયે, આસન ,સ્થાન અને માળા હોવાથી આ મંત્ર જલ્દી સિદ્ધ થઇ જશે.