નવરાત્રિમાં દરેક દિવસે દેવીના વિભિન્ન રૂપોની પૂજા કરવામાં આવે છે.આ નવ દિવસ વિવિધ પ્રકારની પૂજા માતાને પ્રસન્ન કરે છે. નવરાત્રિમાં દેવીનાં વિભિન્ન પ્રકારનાં ભોગ લગાડવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર એકમથી લઇને નોમ તિથિમાં દેવીને વિશિષ્ટ ભોગ અર્પણ કરીને તથા આ જ ભોગ દરિદ્રોને દાન કરવાથી સાધકની દરેક મનોકામના પુરી થાય છે અને તેમનો પરિવાર દીર્ઘાયુ થાય છે. જેના અનુસાર -
એકમ ( 28 સપ્ટેમ્બર,બુધવાર)– માતાને ઘીનો ભોગ ધરાવાથી તથા તેનું દાન કરવાથી રોગમાંથી અને કષ્ટમાથી મુક્તિ મળે છે તથા તે નીરોગી રહે છે.
બીજ ( 29 સપ્ટેમ્બર, ગુરૂવાર)- ના માતાને ખાંડનો ભોગ ધરાવાથી તથા તેનું દાન કરવાથી દેવી પ્રસન્ન થાય છે તથા સાધકને દીર્ઘાયુ મેળવે છે.
ત્રીજ ( 30 સપ્ટેમ્બર, શુક્રવાર)- ના દુધ ચઢાવીને દાન કરવાથી દરેક પ્રકારનાં દુખોમાંથી મુક્તિ મળે છે.
ચોથ ( 1ઓક્ટોબર, શનિવાર)- ને માલપુઆ ચઢાવીને દાન કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ જાતે જ દુર થાય છે.
પાંચમ ( 2 ઓક્ટોબર, રવિવાર)-ના કેળાનો ભોગ લગાડીને દાન કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે.
છઠ્ઠ ( 2 ઓક્ટોબર, રવિવાર)- ના મધનો ભોગ લગાડવાથી તથા તેનું દાન કરવાથી વ્યક્તિત્વ વિકાસ થાય છે.
સાતમ (3 ઓક્ટોબર, સોમવાર)-ના ગોળની વસ્તુઓનો ભોગ લગાડવાથી અને દાન કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે.
આઠમ (4 ઓક્ટોબર,મંગળવાર)-ના નાળિયેરોનો ભોગ લગાડીને દાન કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે.
નોમ (5 ઓક્ટોબર, બુધવાર)- ના વિભિન્ન પ્રકારનાં અન્ન અર્પણ કરવાથી અને દાન કરવાથી લોક પરલોકમાં આનંદ અને વૈભવ મળે છે.
No comments:
Post a Comment