Thursday, 29 September 2011

આ નવરાત્રિએ રાશિ પ્રમાણે પસંદ કરો દાંડીયા, ને કિસ્મત ચમકાવો?

શક્તિ આરાધનાના આ પર્વ ઉપર ગ્રહ-નક્ષત્રોને પોતાની અનુકૂળ બનાવવા માટે તમે પોતાની રાશિ અનુસાર ઉપયોગ કરી શકો છે. રાશિ અનુસાર દાંડીયા તમારી તકદીર બદલી શકે છે. ગ્રહોની રાશિ અનુસાર દાંડીયા અનેક દોષો સમાપ્ત કરી દે છે.

મેષ (અ. લ. ઇ.)

-મેષ રાશિવાળા લોકો માટે આ નવરાત્રિ પર્વ ઉપર રાશિ સ્વામી મંગળ પ્રમાણે લાલ કે ખેરની લાકડાના દાંડીયા ઉપાયોગ કરો.

વૃષભ(બ. વ. ઉ.)

-આ રાશિના પોતાના રાશિ સ્વામી અનુસાર ગુલરના ઝાડની લાકડીથી દાંડીયા રમવા જોઈએ અને રાશિ અનુસાર તેની ઉપર સફેદ કપડું બાંધી દેવા જોઈએ.

મિથુન(ક. છ. ઘ.)

-આ રાશિનો સ્વામી બુધ હોય છે. એટલે મિથુન રાશિવાળા રાશિ પ્રમાણે અપામાર્ગની લાકડીના દાંડીયા બનાવી રમાવા જોઈએ કે કોઈ પણ લાકડાના દાંડીયા ઉપર લીલા રંગનું કપડું બાંધી લેવું જોઈએ.

કર્ક(ડ. હ.)

-આ રાશિવાળાને જો પૈસા બનાવવા હોય તો પલાશ કે સફેદ ચંદનના લાકડીના દાંડીયા બનાવી કે કોઈપણ લાકડાના દાંડીયા ઉપર સફેદ કપડું બાધીને રમવું જોઈએ.

સિંહ (મ. ટ.)

-સિંહ રાશિવાળાને આંકડાના ઝાડમાંથી બનેલ દાંડીયાનો ઉપયોગ કરવામાં આવે તો રૂપિયા-પૈસાનો ફાયદો થાય છે.

કન્યા (પ. ઠ. ણ.)

-કન્યા રાશિના સ્વામી બુધ છે એટલે આ રાશિવાળાને અપામાર્ગની લાકડીથી બનેલ દાંડીયાનો ઉપયોગ કરવો જોઈએ.

તુલા (ર. ત.)

-સફેદ પલાશ કે સફેદ ચંદનના લાકડાથી બનેલ દાંડીયાનો આ નવરાત્રિમાં ઉપયોગ કિસ્મત ચમકાવી શકે છે.

વૃશ્વિક (ન. ય.)

-આ રાશિવાળા લોકોને મંગળદેવ અનુસાર ખૈરનના લાકડાનો ઉપયોગ દાંડીયામાં કરવામાં આવે તો તેમની ગ્રહદશા સુધરી જાય છે.

ધન (ધ. ફ. ભ. ઢ.)

-આ રાશિવાળાનો સ્વામી ગુરુ છે. ધન રાશિવાળા માટે પીપળાના ઝાડથી બનેલ દાંડીયા શુભ ફળ આપનાર હોય છે.

મકર (ખ. જ.)

-મકર રાશિવાળાને શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શમિના ઝાડના દાંડીયાનો ઉપયોગ કરવો જોઈએ. જેથી કિસ્મત સાથ આપે.

કુંભ (ગ. શ. ષ. સ.)

-આ રાશિવાળાને પણ રાશિ સ્વામી શનિ છે એટલે કુંભ રાશિવાળાને પણ શમિના ઝાડથી બનેલ દાંડીયાનો ઉપયોગ કરવો જોઈએ.

મીન ( દ. ચ. ઝ. થ.)

-મીન રાશિના લોકો પીળા ચંદનના લાકડાનો ઉપયોગ દાંડીયામાં કરવો જોઈએ. આ રાશિવાળાને પીપળાના લાકડાનો પણ ઉપયોગ કરી શકે છે.

No comments:

Post a Comment