Thursday, 22 September 2011

શુક્રવારે બોલો આ લક્ષ્મીમંત્ર, ગાડી હોય કે બંગલો બધુ જ મળશે

મુશ્કેલીઓ કે કોઈપણ પ્રકારની અસુવિધાઓ જીવનમાં પ્રગતિ જ નહીં પણ આત્મવિશ્વાસ ઉપર પણ અસર પાડે છે. મોટાભાગે વ્યાવહારિક જીવનમાં સહજતાનું કારણ શરીર, માનસિક વિચાર કે ધન સાથે જોડાયેલ હોય છે. ખાસ કરીને તન કે મનની પરેશાનીઓ કોઈ રીતે દબાવી લેવામાં આવે છે, પરંતુ ધનનો અભાવ બાહ્ય જીવનને પણ પૂરી રીતે પ્રભાવિત કરે છે અને જોવા પણ મળે છે.

કર્મ, સત્ય અને પરિશ્રમ એવી મુશ્કેલીઓથી છૂટકારો મેળવવાના સૂત્રો છે તો ધાર્મિક દ્રષ્ટિએ દેવી લક્ષ્મીની ઉપાસના દરિદ્રતાને દૂર કરનારી માનવામાં આવે છે. મન, વિચાર અને વ્યવહાર શુદ્ધિની સાથે મહાલક્ષ્મીની પૂજા ઘર-પરિવાર સાથે તન, મન અને ધન સાથે જોડાયેલ બધા કલેશનો અંત કરનારી હોય છે.

દેવી ઉપાસનાનો વિશેષ દિવસ શુક્રવારે શાસ્ત્રોમાં બતાવેલ દેવી મહિમાની દિવ્ય સ્તુતિ શ્રીસૂક્તના એક મંત્ર વિશેષનું ધ્યાન લક્ષ્મીની અપાર પ્રસન્નતા આપનારી માનવામાં આવે છે. આ મંત્ર વિશેષ અહીં બતાવવામાં આવી રહેલ મહાલક્ષ્મીના આસાન ઉપાયો પછી બોલવાથી ધન અર્જનની મુશ્કેલીઓ દૂર કરવાની સાથે તમામ સાંસારિક સુખ-સુવિધાઓની કામનાને પૂરી કરવાની સાથે માનવામાં આવે છે.

-શુક્રવારની સાંજે સ્નાન કર્યા પછી દેવી લક્ષ્મીની ચાંદી, પીત્તળની મૂર્તિ, મૂર્તિ ન હોય તો તસ્વીર કે શ્રીયંત્રની લાલ ચંદન, લાલ અક્ષત, લાલ ફૂલ, લાલ વસ્ત્ર સમર્પિત કરી પૂજા કરો. લક્ષ્મીને ગાયના દૂધથી બનેલ પકવાનોનો ભોગ લગાવો.

-ધૂપ અને દીવો પ્રગટાવી દેવી લક્ષ્મીના શ્રીસૂક્તના આ મંત્રથી ધ્યાન કરી સુખ-સમૃદ્ધિની કામના કરો.

ऊँ आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीम्।

चन्द्रांहिरण्मयीं लक्ष्मीं जातवेदोऽम आवह।।


-લાલ આસાન ઉપર બેસી યથાશક્તિ માળાથી મંત્ર જાપ કરવાનું પણ મંગળકારી હશે. પૂજા અને મંત્ર જાપ પછી માતા લક્ષ્મીની દીપ આરતી કરી પ્રસાગ ગ્રહણ કરો. માતાને ચઢાવેલ છોડા ફૂલ કુંકુ કે ચંદનની તિજોરી ઉપર લગાવો.

No comments:

Post a Comment