આપણા વ્યાવસાયિક જીવનમાં પરિશ્રમ હોય પરંતુ પરિશ્રમનો અર્થ સમજો. પરિશ્રમ નશો બની જાય, પરિશ્રમ બીમારી ન બની જાય કેટલો પરિશ્રમ કરે છે આજના લોકો. પણ પરિશ્રમ હોવો જોઈએ તન અને વિશ્રામ મળવો જોઈએ મનને. પણ થાય ઊલટું છે. જેટલો પરિશ્રમ આપણે તનથી કરીએ છીએ, તેનાથી અનેક ગણો પરિશ્રમ મન કરવાથી લાગે છે.
તેનાથી માણણ કાંતો થાંકી જાય છે, ચિડિયો થઈ જાય છે, બેચેન બની જાય છે, બીમાર બની જાય છે, પરિશ્રમનો અર્થ સમજો. આજના પરિશ્રમે એટલા દોડાવી દીધા છે કે આદમીને બાહારથી અને અંદરથી તેની જેટલી પણ પ્રતિભા હતી તે બધુ પ્રચંડતામાં બદલાઈ ગઈ. તેની જે યોગ્યતા હતી તે છીના-ઝપટીમાં બદલાઈ ગઈ અને માણસ આક્રમક થતો ગયો છે. શરીર ખૂબ જ પરિશ્રમ કરે છે, દેહની તીવ્રતા હોવી જોઈએ પરંતુ મન તે ક્ષણે ખૂબ જ વિશ્રામમાં રહે ત્યારે તમે આ પરિશ્રમનો આનંદ ઉઠાવી શકશો. આ પરિશ્રમની પૂજા કહેવામાં આવે છે.
આ સમયે આળસ અપરાધ છે. 14 કલાક કામ કરવા કોઈ મોટી વાત નથી માનવામાં આવતી પરંતુ થોડો સમય પોતાના આંતરિક વ્યક્તિત્વને જમાવવામાં લગાવવા જોઈએ. હનુમાન જ્યારે લંકામાં ગયા તો તેઓ જાણતા હતા કે તે એક વિશ્વ વિજેતા રાવણની દુનિયામાં જઈ રહ્યા છે. ત્યાં ન માત્ર પડકારો હતા, પણ જાનનું પણ જોખમ હતું. તે રામદૂત બનીને ગયા હતા.
તે સમયે તેમને સીતાજીને શોધતા-શોધતા થોડીવાર એકાંતમાં બેસીને વિચાર કર્યો હતો કે આ પરિસ્થિતિથી કેવી રીતે ઉકેલી શકાય. તેની માટે એક શબ્દ લખવામાં આવ્યો છે.- मन महुं तरक करैं कपि लागा। હનુમાનજીના મનમાં વિચાર હતો તેનો સીધો અર્થ છે, થોડો અંદર ઊતરી પોતાના આંતરિક વ્યક્તિત્વને પકડવા. તમે જેટલા ઊંડા ઊતરશો, બહાર એટલા જ પરિપક્વ બનશો અને તમારા પરિશ્રમ સાચે જ પૂજા બનશે.
No comments:
Post a Comment