Thursday, 22 September 2011

રૂપિયા ને નોકરી, તમને બધુ મળશે, પણ આ વાત ધ્યાન રાખજો

- જે પણ ભગવાનના સાચા ભક્ત છે તેમને ભરણ-પોષણ, ધન, ખાવાનું વગેરેની ચિંતા ન કરવી જોઈએ
- સુખનો સમય આવશે ત્યારે સુખ ચોક્કસ મળશે અને જ્યારે દુઃખનો સમય આવશે ત્યારે તેને પણ કોઈ રોકી નથી શકવાનું


મોટાભાગના યુવાનોની પહેલી ઈચ્છા હોય છે કે તેમની પાસે ખૂબ જ રૂપિયા-પૈસા હોય, સારી નોકરી હોય. તેની માટે તેઓ કઠિન મહેનત પણ કરે છે. તેમ છતાં ઘણા લોકોને નિરાશા હાથ લાગે છે. જ્યારે તેમને કઠિન મહેનત કરવા છતાં પણ યોગ્ય ફળ પ્રાપ્ત થતું નથી એવી વખતે માનસિક તણાવ વધી જાય છે અને કામમાં મન નથી લાગતું.

કોઈ પણ વ્યક્તિને સફળતા મળશે કે અસફળતા તે કોઈ જાણી નથી શકતું. ઘણીવાર પૂરી મહેનત કર્યા પછી પણ કામ પૂર્ણ નથી થતા, સફળતા નથી મળતી. આપણે ક્યારે સફળતા મળશે અને ક્યારે નહીં આ બાબતે સંત કબીરના દોહા ખૂબ જ પ્રચલિત છે.

अंडा पालै काछुई, बिन थन राखै पोख।
यौं करता सबको करै, पालै तीनों लोक।।


આ દોહાનો અર્થ છે કે જે પ્રકારે કચ્છપી માત્ર ધ્યાન રાખીને ઈંડાનું પોષણ કરે છે, એ જ રીતે ભગવાન પણ ત્રણ લોકના જીવોનું પાલન-પોષણ ધ્યાન રાખીને જ કરે છે.

-પૈસા જમા કરવાની બાબતે કબીર કહે છે કે...

हरिजन गांठि न बांधही, उदर समाना लेय।
आगे पीछे हरि खड़े, जो मांगे सो देय।।


આ દોહાનો અર્થ છે કે ભક્તોનું ધ્યાન સ્વયં ભગવાન રાખે છે. જે પણ ભગવાનના સાચા ભક્ત છે તેમને ભરણ-પોષણ, ધન, ખાવાનું વગેરેની ચિંતા ન કરવી જોઈએ. આથી વ્યક્તિએ ધન વગેરેનો સંગ્રહ પણ ન કરવો જોઈએ. સાચા ભક્તની સાથે હંમેશા ભગવાન રહે છે. જ્યારે-જ્યારે આપણે કોઈ પણ વસ્તુ, ધન વગેરેની જરૂરિયાત હોય છે ભગવાન તરત જ તેમની મનોકામના પૂરી કરી દે છે.

આપણને મળતા સુખ અને દુઃખનો નિર્ધારિત સમય છે. જ્યારે સુખનો સમય આવશે ત્યારે સુખ ચોક્કસ મળશે અને જ્યારે દુઃખનો સમય આવશે ત્યારે તેને પણ કોઈ રોકી નથી શકવાનું.

એવું માનવામાં આવે છે કે સમય કરતા પહેલા અને ભાગ્યથી વધુ કશું જ કોઈ વ્યક્તિને પ્રાપ્ત થતું નથી. ભગવાનનું ધ્યાન કરતા-કરતા આપણને કઠોર મહેનત કરવી જોઈએ.

No comments:

Post a Comment