Thursday, 29 September 2011

આ નવરાત્રિએ મનપસંદ કન્યા મેળવવા આ ઉપાય કરવો ચૂકતા નહીં

શારદીય નવરાત્રિનો પ્રારંભ 28 સપ્ટેમ્બર, બુધવારથી થઇ રહ્યો છે જે 5 ઓક્ટોબર, બુધવાર સુધી રહેશે. આ દરમિયાન કરવામાં આવતી પૂજા વિશેષ ફળદાયી છે. જો તમને લગ્નમાં અડચણો આવી રહી હોય તો તો નીચે લખેલ ઉપાય કરવાથી ઝડપથી તમને મનપસંદ કન્યા મળશે તથા બધા કામ સફળ થશે.


ઉપાયઃ-

-નવરાત્રિમાં દરરોજ સવારે કોઈ શિવમંદિરમાં જાઓ. ત્યાં જઈ શિવલિંગ ઉપર દૂધ, દહીં, ઘી, મધ અને શક્કર ચઢાવી તેને સારી રીતે સાફ કરો. પછી શુદ્ધ જળ ચઢાવી આખા મંદિરમાં ઝાડી લગાવી તને સાફ કરો. હવે ભગવાન શિવની ચંદન, પુષ્પ તથા ધૂપ, દીપ વગેરેથી પૂજા અર્ચના કરો.

-રાત્રે 10 વાગ્યા પછી અગ્નિ પ્રજ્વલિત કરી ऊँ नम: शिवाय મંત્રનો જાપ કરતા ઘીથી 108 વખત આહુતી આપો. હવે 40 દિવસ સુધી નિત્ય મંત્રની પાંચ માળા જાપ ભગવાન શિવની સન્મુખ કરો. તેનાથી ઝડપથી તમારી મનોકામના પૂર્ણ થશે અને સારા સ્થાને લગ્ન સંબંધ ગોઠવાઈ જશે.

-જો લગ્નમાં અડચણો વધુ આવી રહી હોય તો માતા જગદંબાના એક ફોટાને લાલ કપડામાં રાખી અને તેની સામે ચોખાથી બે સ્વસ્તિક બનાવો. એક સ્વસ્તિક ઉપર ગણેશજીને વિરાજમાન કરો અને બીજા ઉપર ગૌરી-શંકર રુદ્રાક્ષને સ્થાપિત કરો. આ રુદ્રાક્ષ સાક્ષાત માતા પાર્વતી અને ભગવાન શિવનું પ્રતીક છે. હવે તેની સન્મુખ નીચે પ્રમાણે લખેલ મંત્રનો 108 વાર જાપ કરો અને લગ્નમાં આવતી અડચણોનું નિવારણ ઝડપથી કરવા અને લગ્ન માટે પ્રાર્થના કરો.

ऊँ कात्यायन्यै नम:

છેલ્લે આ રુદ્રાક્ષની માતા ગૌરી અને ભગવાન શિવનો પ્રસાદ સમજી ગળામાં ધારણ કરી લો. તેનાથી ઝડપથી તમારા લગ્ન સારી જગ્યાએ ગોઠવાઈ જશે.

શારદીય નવરાત્રિમાં રોજ નીચે લખેલ મંત્ર જાપની ત્રણ માળા જાપ કરો. જાપ કરતા પહેલા માતા દુર્ગાની પંચોપચાર પૂજા કરો અને તેમને લાલ રંગના ફૂલ ચઢાવો. તેનાથી ઝડપથી લગ્ન ગોઠવાઈ જશે.

पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीं तारिणीं दुर्ग संसारसागरस्य कुलोद्भवाम्।।

No comments:

Post a Comment