Thursday, 29 September 2011

લંચ બ્રેકઃ આ મંત્રથી મેળવો અદભૂત ચુસ્તી-સ્ફૂર્તિ !!

આરામનો સમય માત્ર થાક દૂર કરવા માટે જ નથી હોતો પણ વિતેલા સમય ઉપર વિચાર કરી, આવનાર સમય માટે ઊર્જા-શક્તિ પ્રાપ્ત કરવાનો હોય છે. જીવન, કાર્યક્ષેત્ર, વાંચન દરમિયાન એવો જ વિશ્રામ-રિસેસ કે બ્રેક ખામીઓને દૂર કરી નવી શક્તિ, નવા કૌશલ્ય અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે શ્રેષ્ઠ હોય છે.

અહીં આપણે એવા જ બ્રેક કે રિશેસની વાત કરી રહ્યા છીએ જે દૈનિક જીવનમાં કામ દરમિયાન કે વિદ્યાર્થીઓ હોય તો અભ્યાસ દરમિયાન લે છે. આ લંચ બ્રેક અર્થાત્ ભોજનકાળ.

શાસ્ત્રો પ્રમાણે પવિત્ર ભોજનથી મન અને આત્મા પણ શુદ્ધ થાય છે. જાહેર છે કે ભોજન માત્ર શરીર માટે જ નહીં પણ તમારી માનસિક અને વૈચારિક શક્તિ માટે પણ જરૂરી છે. જે આજના સમયમાં સફળતા માટે નિર્ણાયક સાબિત થાય છે.

આજ કારણ છે કે શાસ્ત્રોમાં ભોજન શરૂ કરતા પહેલા ઈશ્વરનું સ્મરણ વિશેષ મહત્વ ધરાવે છે. એટલે માત્ર ભોજન કરતી વખતે અન્નદેવ યાદ કરવામાં આવે છે, પણ ભોજન પહેલા કેટલાક વિશેષ મંત્રો દ્વારા ભગવાનનું ધ્યાન કરવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ શરીરમાં મોજુદ અનેક ગ્રંથિઓ વિશેષ રસ પેદા કરે છે. જેનાથી બધા અંગ યોગ્ય રીતે કામ કરે છે. ભોજનના સમયે પણ મંત્ર બોલતા પહેલા પવિત્ર ભાવોને લીધે ભોજનના પાચક રસોમાં દોષ પેદા નથી થતા. જે શરીર અને દિમાગને હૃષ્ટ-પુષ્ટ રાખવામાં ફાયદેમંદ સાબિત થાય છે.

એટલે જાણો શાસ્ત્રોમાં બતાવેલ ભોજન મંત્ર, તમે પ્રોફેશનલ છો, જોબ કરો છો, વિદ્યાર્થી છો કે ગૃહસ્થ હોવ ભોજન શરૂ કરતા પહેલા આ મંત્રોનો જરૂર ઉચ્ચારણ ચોક્કસપણે કરો.

ॐ सहनाववतु, सहनौ भुनक्तु

सह वीर्यम् करवावहै

तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै

ॐ शान्तिः शान्तिः शान्तिः

-ॐ ब्रह्मार्पणं ब्रह्मा हविर्ब्रह्माग्नौ ब्रह्मणाहुतं

ब्रह्मैव तेना गन्तव्यंब्रह्म कर्म समाधिना।।

No comments:

Post a Comment