Thursday, 29 September 2011

નવરાત્રિ: રાશિ પ્રમાણે આ મંત્ર તમને પૈસા અને સમૃદ્ધિ અપાવશે

આજનાં ભૌતિક સુખ- સુવિધાઓના યુગમાં આપણી જરૂરિયાતોનું વર્તુળ એટલુ ભરાઇ ગયુ છે કે આવક પર ખર્ચાઓ ભારે પડે છે.ગંભીરતાથી વિચાર કરીએ તો એક વાત આપણી પ્રત્યક્ષ આવે છે- સુખ સુવિધાઓની આ ઝાકઝમાળમાં આપણો વિવેક ક્યાંક ખોવાઇ રહ્યો છે. આપણા મન પર અનેક ઇચ્છાઓ હાવી છે અને તે ઇચ્છાઓને કોઇપણ ભોગે પુરી કરવાની આપણી ભાવના પણ અકબંધ રહે છે. આ જ કારણ છે કે દેવ પૂજામાં ધનથી સમૃદ્ધ રહીએ તેવી કામનાઓ મુખ્ય થઇ ગઇ છે.



શાસ્ત્રો પ્રમાણે સુખી જીવન માટે ઇચ્છાઓ પરનો નિયંત્રણ એ શ્રેષ્ઠ ઉપાય છે. ત્યાં જ જીવનમાં સુખી અને સકારાત્મક ઉદેશથી ધન મેળવવા માટે ધનનો અભાવ બાધા લાવે છે. આ માટે જ તો ધનને સુખ, પદ, પ્રતિષ્ઠા અને યશ આપનારું સાધન માનવામાં આવે છે. કોઇપણ રૂપમાં શક્તિથી સંપન્ન થવા માટે દેવી ઉપાસના પ્રભાવી માનવામાં આવે છે આ માટે જ તો ધનથી પણ બળવાન બનવા માટે નવરાત્રિમાં દેવી લક્ષ્મીની પૂજા ના માત્ર કેવળ સુખ, ઐશ્વર્ય અને ધનની ઇચ્છાઓને પુરી કરે છે, ઉપરાંત રોગ અને દરિદ્રતાને પણ દુર રાખે છે.



નવરાત્રિની સાંજે કે રાતે લક્ષ્મી પૂજા શુભ માનવામાં આવે છે. આ માટે યથાસંભવ વિદ્વાન બ્રાહ્મણનાં માર્ગદર્શન હેઠળ મા લક્ષ્મીની વિધિ- વિધાનથી પૂજા કરો.જો તે સંભવ ના હોય તો માત્ર પંચોપચાર પૂજા એટલે કે લાલ ચંદન, અક્ષત, લાલ ફૂલ, દુધથી બનેલી મિઠાઇનો ભોગ અર્પણ કર્યા બાદ લક્ષ્મીની ધુપ અને ઘી ના દીવાથી આરતી કરી અહીં બતાવેલા ખાસ ઉપાય કરો.



પૂજા બાદ આ સરળ ઉપાય છે – પોતાની રાશિ પ્રમાણે અમુક વિશેષ મંત્રોનો જાપ. પૂર્વ દિશામાં મો રાખીને લાલ આસન પર બિરાજો. તુલસી કે ચંદનના દાણાની માળાથી અહીં બતાવેલા 12 રાશિઓ માટેનાં લક્ષ્મી શુભ મંત્ર તમને પૈસાની તંગીથી દુર રાખશે.



મેષ (અ. લ. ઇ.), વૃશ્વિક (ન. ય.) - ऊँ ऐं क्लीं सौं:



વૃષભ (બ. વ. ઉ.), કર્ક (ડ. હ.) - ऊँ ऐं क्लीं श्रीं



મિથુન (ક. છ. ઘ.) - ऊँ क्लीं ऐं सौं:



સિંહ (મ. ટ.) - - ऊँ ह्रीं श्रीं सौं:



કન્યા (પ. ઠ. ણ.) - ऊँ श्रीं ऐं सौं:



તુલા (ર. ત.)- ऊँ ह्रीं क्लीं श्री



ધન (ધ. ફ. ભ. ઢ.) અને મીન (દ. ચ. ઝ. થ.) - ऊँ ह्रीं क्लीं सौं:



મકર(ખ. જ.) - ऊँ ऐं क्लीं ह्रीं श्रीं सौं:



કુંભ (ગ. શ. ષ. સ.) - ऊँ ह्रीं ऐं क्लीं श्रीं

No comments:

Post a Comment