Thursday, 22 September 2011

શ્રાદ્ધમાં તમે આ સાધારણ ઉપાયથી પિતૃઓને કરો પ્રસન્ન

ભારતીય સંસ્કૃતિ પુનર્જન્મ ઉપર વિશ્વાસ કરે છે એટલે આપણે ત્યાં પિતૃદોષને માનવામાં આવે છે. જ્યારે પરિવારમાં કોઈપણ પ્રકારની ઉન્નતિ ન થતી હોય અને સફળતામાં લગાતાર અડચણો આવતી હોય તો તેનું એક કારણ પિતૃદોષ પણ હોઈ શકે છે. જો તમારી સાથે પણ આવી સમસ્યાઓ હોય તો નીચે લખેલ ઉપાય જરૂર અપનાવો. તેનાથી ચોક્કસ પણે પિતૃદોષમાં કમી આવશે.

-પોતાના માતા-પિતા અને વડીલોનું સન્માન કરો.

-સૂર્યને પિતા માનવામાં આવ્યા છે. એટલે તાંબાના લોટામાં જળ ભરી તેમાં લાલ ચંદનનો ચૂરો, રોળી, લાલ પુષ્પના પાના નાખી સૂર્યને અર્ધ્ય આપો. અગિયારવાર ऊँ घृणीं सूर्याय नम: મંત્રનો જાપ કરો. તેનાથી પિતૃ પ્રસન્ન થાય છે.

-પિતૃઓની પ્રસન્નતા માટે રોજ મંદિરમાં બે અગરબત્તી સળગાવો.

-પક્ષિઓને દાણા નાંખો.

-શિવ મંદિરમાં શિવલિંગ ઉપર કાચૂ દૂધ મિશ્ચિત કરી જળ અને બીલીપત્ર ચઢાવો.

-રુદ્રાક્ષની માળાથી ऊँ नम: शिवाय મંત્રનો નિયમિત રીતે જાપ કરો.

No comments:

Post a Comment