હિંદુ ધર્મ શાસ્ત્રોમાં ચંદ્રને મન અને જળ તત્વનાં નિયંત્રક દેવતા પણ માનવામાં આવે છે. વ્યવહારિક રૂપથી જીવનનાં દરેક કામોમાં સફળતા અને સુખ નક્કી કરવાં માટે મન અને બુદ્ધિની પાવનતા અને સમતોલન જરૂરી છે.પરંતુ અમાસની તિથિ પર ચંદ્રમાની અદ્રશ્ય સ્થિતિ મન અને જગતમાં અસંતુલન અને ચંચળતા વધારનારી માનવામાં આવે છે.
આ જ કારણ છે કે અમાસની તિથિ પર મનને સાધવા માટે ચંદ્રની પૂજા અને મંત્ર સ્તુતિનું મહત્વ આપવામાં આવ્યું છે.જાણો આ મંત્ર સ્તુતિ અને સરળ પૂજા વિધિ-
સવારે અને સાંજે સ્નાન પછી નવગ્રહ મંદિર કે ઘરમાં ચંદ્રદેવની પ્રતિમાને સફેદ ચંદન, ચોખા, સફેદ ફૂલ, ધુપ, દીવો, ઘી માં બનેલાં પકવાનનાં ભોગ અને સફેદ વસ્ત્ર અર્પણ કરીને પૂજન કરો.પૂજા બાદ નીચે લખેલા મંત્રોથી ચંદ્રને અઘ્ર્ય અને ધ્યાન કરો.
અઘ્ર્ય મંત્ર -
क्षीरोदार्णव सम्भूतं अत्रिगोत्र समुद्भव।
ग्रहाणाघ्र्यं शशाङ्केदं रोहिणी सहितं मम।।
ધ્યાન મંત્ર -
श्वेताम्बर: श्वेतविभूषणश्च। श्वेतद्युतिर्दण्डधरो दिबाहु:।
चन्द्रोमृत्मत्मावरद: किरीटी मयि प्रसादं विद्यातुतेज:।।
- મંત્ર જાપ, અઘ્ર્ય,ધ્યાન અને પૂજા બાદ ચંદ્રદેવની કપુર આરતી કરી યથાસંભવ પીપળા કે વડની જડમાં દુધ મેળવી જળ અર્પણ કરો. આ પિતૃદોષની સાથે મનને શાંત અને બુદ્ધિને પવિત્ર બનાવનારો ઉપાય પણ માનવામાં આવે છે.
No comments:
Post a Comment