Thursday, 29 September 2011

રાતો-રાત સમૃદ્ધ થશો, નવરાત્રિમાં આ 9 દેવીઓની ભક્તિ કરો

શક્તિનાં આરાધના પર્વ નવરાત્રિમાં શક્તિ પૂજા એ સૌથી વિશેષ મહત્વ ધરાવે છે.આ જ કારણ છે કે નવરાત્રિની નવરાતમાં શક્તિઓવાળી દુર્ગાના અલગ- અલગ સ્વરૂપોની પૂજા અલગ- અલગ કામનાઓને પુરી કરી રાતોરાત આપણને બળવાન, બુદ્ધિમાન અને ધનવાન બનાવે છે. જાણો, નવરાત્રિની નવરાતમાં અંબે કયા અદભુત સ્વરૂપની ભક્તિ કઇ ઇચ્છાઓ પુરી કરે છે.



1- શૈલપુત્રી – નવરાત્રિનાં પ્રથમ દિવસે મા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે જેને કલ્યાણી પણ કહેવામાં આવે છે. માના આ સ્વરૂપની ઉપાસના એ સુખી અને નીરોગી જીવન આપે છે.



2 – બ્રહ્મચારિણી – નવરાત્રિનાં બીજા દિવસે તપસ્વિની રૂપ મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. જેમની ઉપાસનાથી પુરૂષાર્થ, આધ્યાત્મિક સુખ અને મોક્ષ આપનારી માનવામાં આવે છે. સરળ શબ્દોમાં પ્રસન્નતા, આનંદ અને સુખ માટે આ શક્તિની સાધનાનું મહત્વ છે.



3 – ચંદ્રઘંટા – નવરાત્રિના ત્રીજા દિવસે નવદુર્ગાની ત્રીજી શક્તિ ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. જેમની ભક્તિ જીવનનાં દરેક ભયને દુર કરનારી માનવામાં આવે છે.



4 – કુષ્માંડા – નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાની ઉપાસનાનું મહત્વ છે. આ ઉપાસના ભક્તના જીવનથી કલેશ, શોકનો અંત કરી લાંબી ઉંમર અને સન્માન આપનારી હોય છે.



5 – સ્કંદ માતા – નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. માતાની ઉપાસના જીવનમાં પ્રેમ, સ્નેહ અને શાંતિ લાવનારી માનવામાં આવે છે.



6 – કાત્યાયની – નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયની પૂજાનું મહત્વ છે. માતાની પૂજા વ્યવહારિક જીવનની બાધાઓને દુર કરવાની સાથે તન અને મનને ઊર્જા અને બળ આપનારી માનવામાં આવે છે.



7 – કાળરાત્રિ- નવરાત્રિનાં સાતમા દિવસે દુર્ગાના તામસી સ્વરૂપ મા કાળરાત્રિની ઉપાસના કરવામાં આવે છે, પરંતુ સાંસારિક જીવો માટે આ સ્વરૂપ શુભ અને કાળથી રક્ષા કરનારૂ માનવામાં આવે છે. તેની ઉપાસના પરાક્રમ અને વિપરીત સંજોગોમાં પણ શક્તિ આપનારી હોય છે.



8 – મહાગૌરી – નવરાત્રિનાં આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. માનુ આ કરૂણામયી રૂપ છે. તેમની ઉપાસના ભક્તને અક્ષય સુખ આપનારી માનવામાં આવી છે.



9. સિદ્ધિદાત્રી – નવરાત્રિનાં અંતિમ કે નવમાં દિવસે મા સિદ્ધિદાત્રીની ઉપાસનાનું મહત્વ છે. તેની ઉપાસના સમસ્ત સિદ્ધિ દેનારી છે. વ્યવહારિક જીવનના દ્રષ્ટિકોણથી જ્ઞાન, વિદ્યા, કૌશલ્ય, બળ, વિચાર, બુદ્ધિમાં પારંગત થવા માટે મા સિદ્ધિદાત્રીની ઉપાસના બહુ જ પ્રભાવી હોય છે.

No comments:

Post a Comment