Thursday, 22 September 2011

શનિની આંગળી ગુરુની આંગળી જેટલી હોય તો..?



જો શનિની આંગળીનું વચ્ચેનું પર્વ પ્રમાણમાં સમ લંબાઇ ધરાવતું હોય તો તે વ્યક્તિમાં ટેક્નિકલ જ્ઞાન પણ સારું એવું રહેલું જોવા મળે છે. તેમજ તેને કોઇ મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં પણ વધુ ફાયદો થતો હોવાનું જણાય છે. આ પ્રકારની વ્યક્તિઓ જમીનમાં રહેલ જુના અવશેષો પણ તેઓમાં રહેલી ઇશ્વરદત્ત શક્તિને આધારે શોધી કાઢતા હોય છે.

જો શનિનો ઉપલો પર્વ પ્રમાણમાં સંતોષકારક હોય તો તે વ્યક્તિ પ્રમાણમાં વધુ પડતી લાગણીશીલ હોવાનું જણાય છે. જોકે, તેના સમાજમાં તેની પોતાની પ્રતિષ્ઠા પણ સારી હોવાનું જણાય છે. તેમજ તેઓની બુદ્ધિમત્તાનું પ્રમાણ પણ ઊંચું હોવાનું જણાય છે.

જો શનિની આંગળી ગુરુની આંગળી જેટલી હોય તો તે વ્યક્તિ માટે હાનિકારક હોવાનું જણાય છે. જો તે ગુરુની આંગળી જેટલી હોય તો તેની ઊંચાઇ ઓછી હોવાનું જણાય છે. તેને કારણે તે વ્યક્તિમાં જોહુકમી ચલાવવાની પણ ટેવ આવતી હોવાનું જણાય છે.

આ વખતે શનિની આંગળી વિશે વાત કરીશું, જેને હસ્તરેખામાં મધ્યમા તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌ પ્રથમ આપણે તેનાં પર્વો (વેઢા) અંગેનો વિચાર કરીશું. શનિની આંગળી શનિના પર્વતની ઉપર આવેલી હોવાથી તે શનિની આંગળી તરીકે ઓળખાય છે. શનિની આંગળીના નીચેના પર્વ અંગે જો વિચારીએ તો જો તે પ્રમાણમાં વધુ લાંબો હોય તો તે વ્યક્તિ બોલવામાં તેમજ વાતચીતમાં ખૂબ જ કુશળ, સહનશક્તિનું પ્રમાણ પણ વધુ હોવાનું જણાય છે. તેમજ તે પોતે પોતાની આજીવિકા ઊભી કરવામાં ખૂબ જ કુશળ હોવાનું જણાય છે.

જો શનિની આંગળીનું વચ્ચેનું પર્વ પ્રમાણમાં સમ લંબાઇ ધરાવતું હોય તો તે વ્યક્તિમાં ટેક્નિકલ જ્ઞાન પણ સારું એવું રહેલું જોવા મળે છે. તેમજ તેને કોઇ મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં પણ વધુ ફાયદો થતો હોવાનું જણાય છે. આ પ્રકારની વ્યક્તિઓ જમીનમાં રહેલ જુના અવશેષો પણ તેઓમાં રહેલી ઇશ્વરદત્ત શક્તિને આધારે શોધી કાઢતા હોય છે. જો શનિની આંગળીનો મધ્ય પર્વ પ્રમાણમાં સંતોષકારક હોય તો તે વ્યક્તિને જ્યોતિષ જેવા વિષયોમાં પણ ખૂબ જ અભિરુચિ રહેવા જણાય છે. તેઓમાં એક નકારાત્મક ગુણ પણ જોવા મળે છે તે આંધળો વિશ્વાસ કોઇ પણ વ્યક્તિ ઉપર સરળતાથી મૂકી શકે છે.

જો શનિનો ઉપલો પર્વ પ્રમાણમાં સંતોષકારક હોય તો તે વ્યક્તિ પ્રમાણમાં વધુ પડતી લાગણીશીલ હોવાનું જણાય છે. જોકે, તેના સમાજમાં તેની પોતાની પ્રતિષ્ઠા પણ સારી હોવાનું જણાય છે. તેમજ તેઓની બુદ્ધિમત્તાનું પ્રમાણ પણ ઊંચું હોવાનું જણાય છે. જોકે, અહીં તેઓ સમયપાલનના પણ ચુસ્ત આગ્રહી હોવાનું જણાય છે. તેઓ જ્યારે કોઇ પણ નિર્ણય કરતા હોય છે ત્યારે તેઓનો નિર્ણય અડગ રહેતો હોવાનું જણાય છે. સમાજની સહેજ પણ દરકાર રાખતા હોતા નથી. જોકે, અહીં તેઓ પ્રમાણમાં સ્વતંત્ર વિચારસરણીના પણ હોવાનું જણાય છે.

જો મધ્યમાનો આગળનો ભાગ શંકુ આકારનો હોય તો તે વ્યક્તિને માઇન્સ તેમજ એગ્રીકલ્ચરના ક્ષેત્રમાં વધુ સૂઝ હોવાનું જણાય છે. તેમજ તેઓ સતત કાર્યશીલ પણ રહેતા હોવાનું જણાય છે. જો શનિની આંગળીનો આગળનો ભાગ પ્રમાણમાં ચોરસ હોય તો તે વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રમાણમાં ગંભીર પણ હોવાનું જણાય છે. જોકે, આ પ્રકારના વ્યક્તિઓને મેડિકલ ક્ષેત્રમાં પણ ફાવટ આવતી હોવાનું જણાય છે. જો શનિની આંગળી આગળથી પ્રમાણમાં ચપટી હોય તો તે વ્યક્તિ આર્થિક રીતે થોડી મુશ્કેલીમાં પણ આવતી હોવાનું જણાય છે. તેનામાં રહેલી કળાનો પણ તે જોઇએ તેટલા પ્રમાણમાં યોગ્ય ઉપયોગ કરી શકતી નથી.

જો શનિની આંગળી ગુરુની આંગળી જેટલી હોય તો તે વ્યક્તિ માટે હાનિકારક હોવાનું જણાય છે. જો તે ગુરુની આંગળી જેટલી હોય તો તેની ઊંચાઇ ઓછી હોવાનું જણાય છે. તેને કારણે તે વ્યક્તિમાં જોહુકમી ચલાવવાની પણ ટેવ આવતી હોવાનું જણાય છે. પોતે કંઇ પણ કામ ન કરવા છતાં તેને ઘણું કામ કર્યું હોવાનો ખોટો ઢોંગ પણ કરતો હોવાનું જણાય છે. તેમજ તે પોતે પોતાના ધર્મમાં સહેજ પણ શ્રદ્ધા રાખતો નથી. જો તેની જીવનરેખા પ્રમાણમાં યોગ્ય ન હોય તો તે વ્યક્તિનું મૃત્યુ આત્મહત્યા અથવા તો કોઇ મોટી દુર્ઘટનામાં પણ થવા જણાય છે. તેમજ તેનો સ્વભાવ પણ પ્રમાણમાં મહત્વાકાંક્ષી હોવાનું જણાય છે.

શનિની આંગળી ગુરુની આંગળી કરતાં સહેજ મોટી હોવી જોઇએ તેવો શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. તેનાથી તે વ્યક્તિને દરેક કાર્યોમાં અભિરુચિ રહેવા જણાય છે. તેમજ તેને અલગ અલગ વિષયોની જાણકારી રાખવાની પણ ટેવ રહેલી હોવાનું જણાય છે. તેમજ તે પોતે બુદ્ધિશાળી હોવાથી પોતાના ક્ષેત્રમાં તે ખૂબ જ પ્રગતિ કરે છે. જોકે, અહીં તે પોતે એકાન્તપ્રિય હોવાનું પણ જણાય છે. તેમજ તેના સ્વભાવમાં પણ તે પોતે દૂરદર્શી હોવાનું જણાય છે.

જો શનિની આંગળી ગુરુ તરફ ઝૂકતી હોય તો તે વ્યક્તિમાં આત્મવિશ્વાસનું પ્રમાણ પણ સારું એવું રહેલું હોવાનું જણાય છે. જો તે સૂર્યની આંગળી તરફ ઝૂકે તો તે વ્યક્તિ પોતાના ભાગ્ય ઉપર જ આશ્રિત રહેતો હોવાનું જણાય છે. જો વ્યક્તિની હથેળીમાં રહેલી ભાગ્યરેખા શનિની આંગળીના ત્રીજા પર્વમાં પ્રવેશતી હોય તો તે વ્યક્તિ માટે નકારાત્મક નિશાની છે. જો શનિની આંગળી સીધી હોય તો તે વ્યક્તિ સાધુ જેવું સાદું જીવન જીવે છે.

No comments:

Post a Comment