
શાસ્ત્રો પ્રમાણે આર્થિક,શારીરિક કે માનસિક મુશ્કેલીઓ પાછળ પિતૃદોષનાં સંકેત હોઇ શકે છે.
જેના માટે પિતૃપક્ષ કે અમાસ જેવી તિથિઓ પર શ્રાદ્ધ કર્મ, તર્પણ અચૂક ઉપાય છે. પરંતુ જો આવા કર્મોને કરવા માટે જો સમય અને નાણાંની તંગી રહેતી હોય તો એક સરળ ઉપાય છે જે માત્ર તમને પિતૃદોષથી મુક્તિ જ નહીં, પણ તે સાથે ઘર-પરિવારને સુખ સમૃદ્ધિ પણ બક્ષશે. આ સરળ ઉપાય છે પીપળા કે વડની પૂજા. . પીપળો એ ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ છે.શાસ્ત્રોમાં પિતૃને ભગવાન વિષ્ણુનું રૂપ માનવામાં આવ્યું છે. આ માટે આ સરળ ઉપાયથી શ્રાદ્ધ પક્ષમાં પીપળાની પૂજા કરવાથી પિતૃ ઋણ ઉતરે છે અને તેમની કૃપા મળે છે.
- શ્રાદ્ધ પક્ષમાં પીપળાનાં વૃક્ષની ગંધ, અક્ષત, તલ અને ફૂલ ચઢાવીને પૂજા કરો. દુધ કે દુધથી મેળવેલું જળ ચઢાવીને પીપળાની નીચે ગાયનાં ઘીનો દીવો પ્રગટાવો. દુધથી બનેલ ખીરનો ભોગ લગાડો.
- દીવો સળગાવીને પીપળાની નીચે સ્વચ્છ સ્થાન પર કુશનું આસન બિછાવીને પિતૃઓની નીચે લખેલા મંત્રથી સ્મરણ કરો. ચંદનની માળાથી આ મંત્રની 1, 3 કે 5 માળા કરી વિષ્ણુ આરતી કરો -
ॐ ऐं पितृदोष शमनं हीं ॐ स्वधा
- આરતી કરી પીપળાની પૂજાનું જળ ઘરમાં લાવીને છાંટો તથા પ્રસાદ અને ઘર-પરિવારનાં સભ્યોમાં વહેંચો.
No comments:
Post a Comment