Thursday, 29 September 2011

માતાજીની મૂર્તિ અને ફોટોને મૂકતા પહેલા આટલુ ધ્યાન રાખજો

નવરાત્રિ દેવી દુર્ગાની આરાધનાનો પર્વ છે. નવરાત્રિમાં બધા લોકો માતા દુર્ગાની મૂર્તિ લાવે છે અને પ્રાણ પ્રતિષ્ઠા કરી ઘરમાં સ્થાપિત કરે છે. કેટલાક લોકો માતાજીનો ફોટો લાવે છે પરંતુ આ બધુ કરતા પહેલા એક વાતને ધ્યાન રાખો કે માતાજીની મૂર્તિ ઘરમાં ક્યાં સ્થાપિત કરવી અને કંઈ દિશામાં ફોટો લગાવો? જો વાસ્તુ પ્રમાણે આ વાતનું ધ્યાન ન રાખવામાં આવે તો ઘરમાં અશાંતિ, કલેશ થવા લાગે છે અને ધીરે-ધીરે લક્ષ્મીજી તે ઘરમાંથી ચાલી જાય છે.

જાણો કંઈ વાતનું ધ્યાન રાખશો અને શા માટે?

-ઘરમાં માતાજીની મૂર્તિ એવી જગ્યાએ રાખો જ્યાં પવિત્રતાનું ધ્યાન રાખવામાં આવતું હોય.

-પૂજા ઘરમાં એવી જગ્યાએ મૂર્તિ સ્થાપિત કરો જે ઘરના ઈશાન ખૂણામાં હોય.

-પૂર્વ દિશામાં મૂર્તિ એવી મૂર્તિ રાખો કે જેનું મુખ પશ્ચિમ દિશામાં હોય.

-દુર્ગાજીની મૂર્તિ ઉત્તર દિશામાં સ્થાપિત કરી શકો છો.

-માતા કાલીની મૂર્તિ ઘરમાં લાવવાથી બચવું. જો લાવ્યા હોવ તો ઉત્તર દિશામાં રાખો.

-ઉત્તર દિશાની દિવાલ ઉપર કાલિકા માતાનો ફોટો લગાવો તો તમારા ઘરના રોગો અને દરેક પ્રકારના દોષો દૂર થઈ જશે.

-માતા દુર્ગાની અષ્ટભૂજાવાળી તસ્વીર પૂર્વ દિશામાં રાખો તેનાથી તમારા ઘરની સમૃદ્ધિ વધશે.

-દુર્ગા દેવીના ત્રણેય સ્વરૂપોની તસ્વીર ઈશાન ખૂણામાં લાગવો પરંતુ ધ્યાન રાખવું કે મૂર્તિ ઉપર ફોટો ન લગાવો.

-માતાજીની મૂર્તિથી ઉપર પૂર્વજોના ફોટા ન રાખવા.

No comments:

Post a Comment