વ્યક્તિના જીવનમાં 5 પ્રકારના લોકો મુખ્ય ભૂમિકા નિભાવે છે. માણસને આ વાતને સમજી દરેક સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ
મુશ્કેલીથી બચવું કે આસાન જીવન જીવવું માણસની સ્વાભાવિક ઈચ્છાઓ હોય છે. પરંતુ સુરક્ષિત જીવનની આ ભાવના માણસના મગજ ઉપર વધુ હાવી થઈ જાય તો દરેક દિવસે, દરેક પળે ઊઠતા-બેસતા આસ-પાસના લોકો કે વાતોને લઈને અસંતુષ્ટ થવા લાગે છે. જેનાથી તે અશાંત કે વ્યર્થ દબાણ અને તણાવમાં રહીને અકેલાપણાનો શિકારપણ બનવા લાગે છે.
શાસ્ત્રો પ્રાણે સંસારમાં રહીને પણ જીવન સાથે જોડાયેલ દર્શનને લઈ અજ્ઞાનતા જ એવી મનોદશા પેદા કરે છે. જેનાથી બચીને વ્યાવહારિક જીવનની સફળતા માટે હિન્દુ ધર્મગ્રંથ મહાભારતમાં એક શ્રેષ્ઠ સૂત્ર બતાવવામાં આવ્યું છે. તે પ્રમાણે દરેક વ્યક્તિના જીવનમાં 5 પ્રકારના લોકો મુખ્ય ભૂમિકા નિભાવે છે. માણસને આ વાતને સમજી દરેક સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ.
લખવામાં આવ્યું છે કે.....
पञ्च त्वानु गमिष्यन्ति यत्र यत्र गमिष्यसि।
मित्राण्र्यामित्रा मध्यस्था उपजीव्योपजीविन:।।
આ શ્લોકનો અર્થ છે કે જીવનમાં જ્યાં-જ્યાં પણ જશો ત્યાં આ પાંચ પ્રકારના લોકોની વચ્ચે જીવન પસાર થાય છે. અને તે છે...
મિત્રઃ-
-સમાન વિચાર, વ્યવહાર અને ભાવના રાખનાર લોકો તમારી નજીકના મિત્રરૂપમાં સહયોગ બનાવે છે.
શત્રુઃ-
-કામ, સ્વાર્થ કે હિતને ચાલતા વિરોધી, દ્વૈષી કે ઈર્ષાભાવ રાખનાર લોકો શત્રુતાનો વ્યવહાર કરે છે.
ઉદાસીનઃ-
-એવા લોકો જે ખરાબ હોય કે સારું જે તમારો વિરોધ નથી કરતા કે સહયોગ પણ નથી કરતા. એવા લોકોનો વ્યવહાર અસામાન્ય કે નિષ્ક્રિયતા પણ સામેલ હોય છે. જે કોઈ પણને વિચલિત કરી શકે છે.
આશરો આપનારઃ-
-કઠિન સમયમાં નિઃસ્વાર્થ સહયોગ અને સેવા કરનાર લોકો.
આશ્રમય મેળવનારઃ-
-ખરાબ સમય કે પરિસ્થિતિને કારણે નબળા, ગરીબ કે અન્ય કોઈ કારણે શરણમાં આવનાર લોકો.
આ પ્રકારે જીવનમાં દરરોજ આ પાંચ પ્રકારના લોકોનો સામનો થવાનું નક્કી હોય છે. એટલે સમય અને વ્યક્તિઓ સાથે તાલમેળ બેસાડી જીવનને યોગ્ય દિશામાં વાળવી જોઈએ. એમ ન કરીએ તો આ વાતોથી મો ફેરવી પોતાને કે બીજાને દોષી માની કલેશ અને સંતાપની સાથે સમય અને જીવન પસાર કરવું પડે છે.
No comments:
Post a Comment