Thursday, 22 September 2011

મગજ પાસે સ્પીડમાં કામ લેવા માટે, સવારે બોલો આ મંત્ર

દરરોજ સરસ્વતીમંત્રનું સ્મરણ ભરપૂર માનસિક શક્તિ આપી સફળતાની ઊંચાઈએ પહોંચાડે છે
બુદ્ધિ એવી શક્તિ છે જે દરેક માણસની પાસે મોજુદ રહે છે. પરંતુ આ તાકાતના યોગ્ય ઉપયોગથી જ સફળતાના નાવા મુકામ મેળવવા શક્ય બનાવી શકાય છે. નહીંતર બુદ્ધિની ધાર નબળી પડવાથી અસફળતા અને નિરાશાઓ આપણા ભાગમાં આવે છે. તેનાથી બચવા માટે જ્ઞાન અને વિદ્યા પ્રાપ્તિ ખૂબ જ જરૂરી છે.

ધાર્મિક ઉપાયોમાં માતા સરસ્વતી જ્ઞાન, બદ્ધિ, વિદ્યા, વાણી અને કલાની દેવી માનવામાં આવે છે. જેની ઉપાસનાથી માનસિક શક્તિ મળે છે સાથે-સાથે દક્ષતા અને નિર્ણય ક્ષમતામાં વધારો થાય છે જેના લીધે સફળતાની નવી ઊંચાઈઓ સુધ પહોંચવું ખૂબ જ આસાન બની જાય છે.

માતા સરસ્વતીની ઉપાસના માટે પંચમી તિથિ શુત્ર માનવામાં આવે છે. પરંતુ બુદ્ધિ અને સફળતાની કામનાથી દરરોજ આ એક વિશેષ મંત્ર દ્વારા માતા સરસ્વતીનું ધ્યાન ખૂબ જ મંગળકારી માનવામાં આવે છે.

-સવારે સ્નાન કર્યા બાદ સફેદ વસ્ત્ર પહેરી માતા સરસ્વતીની મૂર્તિ કે તસ્વીરને કેસર કે સફેદ ચંદન, અક્ષત, કેસરિયા કે પીળા ફૂલો માતાને અર્પિત કરો.

-માતાને દૂધ કે તલ અને સૂકા મેવાથી બનેલ પકવાનોનો ભોગ લગાવો. સુગંઘિત ધૂપ અને દીપ પ્રગટાવી મહાસરસ્વતીના નીચે લખેલા બીજમંત્રો આસન ઉપર બેસી યથાશક્તિ વધુમાં વધુ વાર જાપ કરો. તુલસી કે ચંદનની માળાથી આ મંત્રોનો જાપ બુદ્ધિ અને વિવેકથી સફળતાની કામનાની સાથે કરો...

ॐ ऐं नम:

-પૂજા અને મંક્ષ પછી આરતી કરી દેવીને ચઢાવેલ ખીર પોતે અને પરિજનોને પ્રસાદ તરીકે વહેંચો

No comments:

Post a Comment