શાસ્ત્રોમાં યજ્ઞનાં અલગ-અલગ પાંચ સ્વરૂપ આપવામાં આવ્યા છે, જે ઘરનાં જાણે- અજાણે થયેલા પાપ અને દોષનો નાશ કરે છે. તે કર્મ, વિચાર અને વ્યવહારને પવિત્ર બનાવીને જીવન અને ગૃહસ્થીમાં અપાર સુખ-શાંતિ લાવે છે. આ માટે તેમને મહાયજ્ઞ કહેવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિથી આ દરરોજની દિનચર્યામાં આ કાર્યોનો સમાવેશ કરવાથી દુખ-દર્દ દુર થાય છે.
જાણીએ કયા અને કેવા હોય છે આ પાંચ મહાયજ્ઞ.
બ્રહ્મયજ્ઞ –
દરરોજ વેદોનું અધ્યયન બ્રહ્મયજ્ઞ થાય છે. વેદો ઉપરાંત પુરાણ, ઉપનિષદ, મહાભારત,ગીતાનો પાઠથી પણ આ યજ્ઞ પુરા થાય છે. જો આ દરેક ના કરી શકતાં હોવ તો માત્ર ગાયત્રી સાધના પણ બ્રહ્મયજ્ઞને સંપુર્ણ કરી દે છે. ધાર્મિક દ્રષ્ટિથી આ યજ્ઞથી ઋષિઋણથી મુક્તિ મળે છે.
દેવયજ્ઞ –
દેવી –દેવતાઓને પ્રસન્ન કરવા માટે હવન કરવું પણ દેવયજ્ઞ કહેવાય છે.
ભૂતયજ્ઞ –
કીટ-પતંગો, પશુ-પક્ષી,કૃમિ કે ધાતા-વિધાતા સ્વરૂપ ભૂતાદિ દેવતાઓ માટે ભોજન અર્પિત કરવું એ ભૂતયજ્ઞ કહેવાય છે.
પિતૃયજ્ઞ –
મૃત પિતૃઓની સંતુષ્ટિ અને તૃપ્તિ માચે અન્ન-જળ અર્પિત કરવું એ પિતૃયજ્ઞ કહેવાય છે જેનાથી પિતૃઓની અસીમ કૃપા અને સુખ- સમૃદ્ધિ મળે છે. અમાસ,શ્રાદ્ધ પક્ષ વગેરે આ માટે વિશેષ દિવસ છે.
મનુષ્ય યજ્ઞ –
ઘરનાં દરવાજા પર આવેલા અતિથિને અન્ન,વસ્ત્ર,ધનથી તૃપ્ત કરવું કે દિવ્ય પુરૂષો માટે અન્ન દાન વગેરે મનુષ્ય યજ્ઞ કહેવાય છે.
No comments:
Post a Comment